________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૭૮ ].
શ્રી જૈન સત્ય પ્રકાશ વ્યા જ આ
હે તે તમને એ સર્વ સાથેની ચોથમાંથી અર્ધો ભાગ આપવા કબુલ થાઉં છું. આ શરતની અવેજીમાં મારા મોટા જમીનદારને તમારા તંબુમાં મોકલવા તૈયાર છું. આ શરત દામાજીએ મોમીનખાનને વંચાવી અને તે શું કરવા માંગે છે એમ પૂછયું.
મોમીનખાને ભંડારીવાળી શરત કબુલી લીધી. એમાં ખંભાતની ઉપજને બદલે વીરમગામ જિલ્લો આપી દેવારૂપ ફેરફાર કર્યો. આ લાભ મળતાં મરાઠા નાયકે રતનસિંગ ભંડારી સાથેના સંદેશા બંધ કર્યા. પિતે દુધેશ્વરની યાત્રાએ ગયે અને ત્યાંથી પાછા ફરીને સાથમાં રંગોજીને રાખીને સન ૧૭૩૮માં અમદાવાદ સર કરવા ઉગ્ર પગલાં ભર્યા. તેઓએ એવી ખરાબ રીતે મારો ચલાવ્યો કે જેથી શહેરને ઘણું નુકશાન પહોંચ્યું. ખુદ મોમીનખાનને લાગ્યું કે આ રીતે હલ્લો કરી દાખલ થતાં મરાઠા સૈન્યની પાસેથી ભવિષ્યમાં પોતે શહેરને કબજે કેવી રીતે લઈ શકશે? એથી તેણે મીરા-તે-અહમદીના કર્તાને રતનસિંગ પાસે મોકલ્યો અને સુલેહભરી રીતે શહેર સોંપી દેવાની માંગણી કરી. પણ ભંડારીએ જરા પણ નમતું તેવ્યું નહીં. દરમિયાન કાઝીમઅલીખાનની સરદારી નીચેના મુસલમાન સૈન્ય અને બાબુરાવ મરાઠાની સરદારી હેઠળના મરાઠા સૈન્ય શહેર કબજે લેવાને જોશભેર હુમલો કર્યો. પણ એમાં ઉભયને પાછા ફરવું પડ્યું. બીજે દિવસે રતનસિંગને લાગ્યું કે સંયુક્તબળને સામને કરી શહેરને બચાવ કરે શક્ય નથી એટલે મોમીનખાન જોડે સંધિના સંદેશા શરૂ કર્યા અને પિતાના સૈન્યના નિભાવ માટે અમુક રકમ લેવાની, તેમજ લડાયક સમોવડીયાને છાજે તેવા મોભા સહિત શહેર છોડી જવાની શરતથી સુલેહ કરી. આ રીતે ભંડારી રતનસિંગના કારભારને ગુજરાતમાં અંત આવ્યું.
સન ૧૭૪૫માં બીકાનેરને રાજા જોરાવરસિંગ મૃત્યુ પામ્યો. ગાદી માટે બે હકદાર ઊભા થયા. એકનું નામ ગજસિંહ અને બીજાનું નામ અમરસિંહ ઠાકુર ખુશાલસિંગ અને મહેતા બખ્તાવરસિંગની મદદથી ગજસિંહ ગાદીએ ચઢી બેઠે. અમરસિંહ અભ્યાસિંગની મદદ મેળવવા દે. અભયસિંગે અમરસિંહના હકને કબુલ રાખી, એની કુમકે રતનસિંગ ભંડારીને સૈન્ય આપી ગજસિંહ સામે મોકલ્યો. કેટલાક સમય સુધી ઉભય વચ્ચે નાની નાની લડાઈઓ ચાલુ રહી. સન ૧૭૪૭માં ઉભય પક્ષનાં સિન્યો સામસામે આખરી યુદ્ધ લડવાને સારૂ એકત્ર થયાં. ઝનુની લડાઈનો આરંભ થયો. ઘણું પ્રયાસ ને સખ્ત લડાઈ પછી બીકાનેરનું સૈન્ય વિજયી નિવડયું. એણે ઘેરે ઘાલી બેઠેલા રતનસિંગના લશ્કરને પાછું હઠાવ્યું. રતનસિંગ આ જોતાં જ એકદમ આગળ વધ્યો. જાણે એકાદ ઝનુન પર ચઢેલો સિંહ ન ઘૂમી રહ્યો હોય તેમ શત્રુ સામે તરવાર ફેરવે ઘૂમવા લાગ્યો. જોતજેતામાં ગુમાવેલી કેટલી જગ્યા મેળવી પણ ખરી; ત્યાં તે ગજસિંહે ફેકેલા બાણથી એની આંખ ફૂટી. આમ છતાં એણે સૈનિકોને દરવણી આપવી ચાલુ રાખી. પિતાને સખત ઘા લાગ્યા છતાં અને જાતે અશકત બન્યા છતાં તેણે નમતું ન લ્યું. દુશ્મન દળમાં નવી ભરતી થવા માંડી અને એનું જોર વધી પડયું. રતનસિંગને લાગ્યું કે આવા વિપુલ કટક સામે ઝઝવું નકામું છે એટલે એણે પાછા ફરવાનો હુકમ આપો. દરમિયાન એક બીકાનેરી ભાલા ધારીએ એના પર પીઠેથી ઘા કર્યો. એ ઘા મરણાંત નીવડે અને એનાથી ભંડારી સરખો મુસદ્દી ને બહાદુર સરદાર કાયમની નિદ્રામાં પોઢો. ધમે જેન હોવા છતાં ભંડારીના જીવનમાંથી સાહસ પરાક્રમ અને બહાદુરીના પ્રસંગો જોઈતા પ્રમાણમાં મળે છે. (ચાલુ)
For Private And Personal Use Only