________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુપા ક તીર્થ
લેખક–પૂ. મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજયજી
(કમક ૭૨ થી ચાલુ) કુલ્યાક તીર્થમાં ઉપલબ્ધ લેખો સંબંધી વિચારણું
શ્રી કુપાક તીર્થમાંથી ઉપલબ્ધ થતા ૨૮ લેખ આપણે “ શ્રી જૈન સત્ય પ્રકાશના વર્ષ ૬ના અંક ૧૨મામાં એટલે કે ક્રમાંક ૭રમાં જોઈ ગયા. હવે એ લેખમાંથી વિ. સં. ૧૪૬૫ પછીના ઈતિહાસની જે વિગતો ઉપલબ્ધ થાય છે તે આપણે અહીં જઈશું.
(૧) વિ. સં. ૧૪૬૫ની સાલમાં કઈ યાત્રોએ કુલ પાકની યાત્રા કરી છે. (જુઓ લેખાંક ૩)
(૨) વિ. સં. ૧૪૬૫ની સાલમાં કોઈ મારવાડી યહથે કુલ્પાક તીર્થની યાત્રા કરી છે. (જુઓ લેખાંક ૪-૧)
(૩) કેઈ એક ભાવિક યાત્રીએ આ તીર્થમાં રૂ. ૨૦૦૦ બે હજાર) આપ્યા છે. ( જુઓ લેખાંક ૧૩)
(૪) વિ. સં. ૧૮૭૫ના મહા શુદિ ૧૧ને રવિવારના દિવસે તપછીય આચાર્ય શ્રી સમસુન્દરસૂરિજીના શિષ્ય ભટ્ટારક ઉદયસુંદર વગેરે ૧૧ સાધુઓ, વિજયરત્ન ગણિની વગેરે સાધ્વીઓ તથા તેની સંવેગણ અને અન્ય પરિવાર આ તીર્થની યાત્રાએ આવ્યાં હતાં. ( જુઓ લેખાંક ૧૦-૨)
(૫) વિ. સં ૧૪૮૧માં ભટ્ટારક સેસુંદરસૂરિ અને પં. શ્રી શાંતિગણી વગેરે પણ સાર્થવાહ નરસીની સાથે આ તીર્થની યાત્રાએ પધાર્યા હતા. (જુઓ લેખક ૨૫) અને ત્યાર પછી તેઓએ બે વર્ષ સુધી આસપાસના પ્રદેશમાં વિહાર કર્યો હશે, એમ લેખાંક ૧૮ ઉપરથી સપષ્ટ થાય છે. (જુઓ લેખાંક ૧૮.)
(૬) વિ. સં. ૧૪૭પ માં જ (મહા) શુદિ ૧૧ને રવિવારે જ્યારે લેખાંક ૧૦-૨માંના ઉલ્લેખ મુજબ, ઉપર જણાવેલ ચેથા નંબરની હકીકત પ્રમાણે શ્રી સમસુંદરસૂરિના શિષ્ય ભટ્ટારક ઉદયસુંદર વગેરે આ તીર્થની યાત્રાએ આવ્યા હતા તે દિવસે) પાસુનાં પુત્રો, માતા અને પુત્રવધુ આ તીર્થની યાત્રાએ આવ્યાં હતાં. (જુઓ લેખાંક ૨૦.)
* અહીં તેમજ આગળ ઉપર આપેલા લેખક શ્રી જન સત્ય પ્રકાશના ક્રમાંક ૭૨માં જે મૂળ લેખ છપાયા છે તે સમજવા આમ કરૂણ અંત આવ્યો.
આ આખા એતિહાસિક બનાવો ઉલ્લેખ અત્રે એ દષ્ટિબિન્દુથી રજુ કરવામાં આવેલું છે કે જેઓ અહિંસા જેવી અદ્ભુત શક્તિને પિછાનતા નથી ને કેવલ એ દ્વારા બાયલાપણું કિંવા નબળાઈ આવે છે એવી બૂમો પાડે છે. એ માટે જેનેને દેષિત લેખે છે; તેમની આંખ ખુલે. ઇતરધમીએ માફક જૈનધર્મીઓએ પણ પિતાના રાજવી કે દેશ માટે શૂરવીરતા દાખવી છે અને સમય આવે પ્રાણ પણ જે છાવર કર્યા છે એ નર્યું સત્ય ઇતિહાસના પાના પર અલંકૃત કરાયેલ છે.
For Private And Personal Use Only