________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
આ ઉલ્લેખ એમના જ શિષ્ય સમર્થ વિદ્વાન શ્રી સ્વાદિદેવસૂરિજીએ કરેલું હોવાથી ખાસ વિશ્વસનીય ગણાય.
શ્રી મુનિચંદ્રસૂરિજી તપાગચ્છીય શ્રીયશોભદ્રસૂરિના શિષ્ય અને પ્રખર વિદ્વાન હતા. એમણે રચેલા સ્વતંત્ર ગ્રંથ અને વૃત્તિગ્રંથે અનેક છે, પરંતુ અત્ર અપ્રસ્તુત હેવાથી તેની નોધ લેતા નથી. (જુઓ અમારા તરફથી પ્રકાશિત જૈન સ્તોત્ર સંદેહની ભૂમિકા.) એમને સ્વર્ગવાસ વિક્રમ સંવત ૧૧૭૮ ના કા. વદિ ૫ પાટણમાં થયેલ જુઓ
सच्चं सा कसिणच्चिय कत्तियमासस्स पंचगी कसिणा । खेत्तंतरं व सूरो जीह तं संग्गमल्लीणो ॥ एक्कारस अट्टत्तर संवच्छरकाल ! पडउ तुह कालो । जससेसं जेण तए तं मुनिरयणं कयं पाव ! ॥
ગુ. વિ. વિ. . -૪૦ ક્લિ–તપાગચ્છીય શ્રી જિનહર્ષ ગણિ વસ્તુપાળચરિત્ર સર્ગ૩માં જણાવે છે કે
ગૂર્જરેશ વિરધવલને મંત્રી વસ્તુપાળને લધુબંધુ તેજપાળ ગોધરા નરેશ ધુંધુલને વિજય કરી પાછા ફરતાં ઋદ્ધિઓ વડે વિદર્ભો જેવી દર્શાવતી (ડભોઈ) નગરીએ પહોંચ્યા. ત્યાંના નિવાસી લેકેને બીજા પ્રોજને ભૂલી પદ્ધિપતિ રાજાના ભયની શંકારૂપી શંકુની વ્યથાથી આકુલ જોઈને બુદ્ધિમાન મંત્રી તેજપાળે નગરીની આસપાસ મૂળરાજ વગેરે રાજાઓની મૂતિઓ વડે ક્રુરતા ઉદયવાળ, આકાશને સ્પર્શ કરતે (ઉચ્ચ) વિવિધ રચનાવાળે, સજજનોને શરણુરૂપ (રક્ષક થાય તેવો), નિરાધાર માર્ગ (આકાશ)માં જનારા દેવોને વિશ્રામ માટે હેય તે કિલ્લો કરાવીને સૂર્ય જેમ અંધકારના સમૂહને દૂર કરે તેમ તેની સઘળી ભીતિને દૂર કરી. કેમકે તેવા ઉત્તમ પુરુષને જન્મ પ્રાણિઓના સુખ માટે હોય છે.
જૈન દેરાસર–તે મંત્રીએ ત્યાં ત્રણે જગતનાં નેત્રને અમૃતાંજન જેવું, ચોતરફ રહેલાં ૧૭૦ જિદ્રોનાં મંદિરે વડે ફરતી દવાઓથી શોભતું, સેનાના કળશે વડે અંકિત થયેલ, તરણ સહિત, પૂર્વજોની કૃતિઓથી યુક્ત, કૈલાસ પર્વતના જેવું, પાર્શ્વ જિનેશ્વરનું ચૈત્ય રચાવ્યું હતું. તે મંદિરના વલાનકમાં હાથી ઉપર આરૂઢ થયેલી, રૂપાના ફૂલોની માળા હાથમાં લઈને રહેલી, સચિવેશની માતા કુમારદેવી યુગાદીશ પ્રભુની માતા (મરૂ દેવા) જેવી વિરાજે છે.
૫. એમનો જન્મ કાગવાટ વણિક કુળમાં ગુજરાતના મેદાહત ગામમાં સં. ૧૧૪૩ માં થયો હતા. ૧૧૫૨ માં નવ વર્ષની વયે ભરૂચમાં દીક્ષા, સં ૧૧૭૪ માં આચાર્ય પદ પામ્યા હતા. એમણે પ્રમાણનયતવાલેક અને તે ઉપર પજ્ઞવૃત્તિ સ્યાદાદરત્નાકર નામે ૮૪૦૦૦ થાક પ્રમાણુ રચી હતી. પાટણમાં દિગંબરાચાર્ય કમુદચંદ્રને વિજય કરી જયપતા મેળવી હતી. સ. ૧૨૦૪ માં કલવધિ ( કળાધી) ગામમાં પાશ્વનાથની અને આ રેસણમાં શ્રી નેમિનાથના બિંબની પ્રતિષ્ઠા કરી હતી અને સં. ૧૨૨૬ માં કુપારપાળના રાજ્યમાં સ્વર્ગવાસી થયા હતા.
થા રતલામ દ્વારા પ્રકાશિત પ્રકરણમય પ્રારણ સમુચ્ચય ૫. ૪૬-૪૭,
For Private And Personal Use Only