________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૫] શ્રી કર્મપ્રકૃતિના વિષયનું સંક્ષિપ્ત તારણ જે વિશુદ્ધ પરિણામ, કિવા મલિન પરિણામ આવે છે તેમાં મુખ્ય કારણ મેહનીય કર્મોદયની તીવ્રતા કિવા મંદતા છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ આત્માના ત્રણેય ગુણે પૈકી પ્રધાન ગુણ ચારિત્ર છે. મેક્ષનું અનન્તર કારણ ચારિત્ર જ છે. અને ચારિત્રગુણમાં વિધાતક અથવા જૂનાધિપણું કરનાર જે કઈ પણ કર્મ હોય તો ચારિત્રહનીય કર્મ છે. એ ચારિત્રમેહનીયનો જ્યારે સર્વથા ઉપશમભાવ થાય છે, અર્થાત ચારિત્રમેહનીયની ઉત્તર પ્રકૃતિમાંથી એક પણ પ્રકૃતિને પ્રદેશોદય તથા વિપાકોદય તે અવસ્થામાં જ્યારે નથી હતા ત્યારે, યથાખ્યાત ભાવનું ઉચ્ચ ચારિત્ર આત્મામાં પ્રગટે છે. ભલે આત્મસત્તામાં એ કર્મકચરે દબાઈને પડેલો છે, પણ વર્તમાનમાં એ કર્મ એવી ઉપશાન અવસ્થાને પામ્યું છે, કે આત્માના ચારિત્રગુણમાં લેશ પણ વિઘાતક થઈ શકતું નથી. બે ઘડી (અન્તર્મદૂત્ત) પ્રમાણુ એ ઉપશાન્ત અવસ્થાને વધુમાં વધુ કાળ હોય છે. એ કાળ જ્યાં પૂર્ણ થાય એટલે તરત તળીએ આત્મસત્તામાં શાન્ત બેઠેલ કર્મચરે ઉદયમાં આવે છે, અને નિર્મળ આત્મપરિણતિરૂપ ચારિત્રજળને ઓળું બનાવે છે. આત્માના વિકાસક્રમ માટે આ ઉપશમના કરણ સમજવું ઘણું જ ઉપયોગી છે. જ્યાં સુધી ઉપર જણાવ્યા પ્રમાણે કર્મની ઉપશાન્ત અવસ્થા હોય છે ત્યાંસુધી, તે કર્મને સ્વરૂપે કિવા પરરૂપે (વિપાકેદય-પ્રદેશોદય) ઉદય પ્રવર્તી શકતો નથી. ઉદય ન હોય એટલે તે કર્મની ઉદીરણું પણ થઈ શકતી નથી. દર્શનમેહનીયનો ઉપશમ થવાથી ઔપશમિક સમિતિ પ્રાપ્ત થાય છે. અને ચારિત્રમેહનીયન સર્વીશે ઉપશમ થવાથી ઔપનિક ભાવનું યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે. નિધત્તિકરણ : નિધન અવસ્થા સમજવા માટે “સૂચિકલાપ” નું ઉદાહરણ
જેમ ઉપર પ્રમાણે ઉપશાન્ત અવસ્થાને પામેલું કર્મ ઉદય–ઉદીરણ વગેરે કરણ માટે અયોગ્ય છે, તેમ જે વીર્યવિશિષ્ટ–પ્રયત્ન વિશેષ વડે સત્તાગત કર્મને એવી અવસ્થામાં મૂકવામાં આવે કે-જે કમને સંક્રમ ન થઈ શકે-જે કર્મની ઉદીરણ ન થઈ શકે-જે કર્મની ઉપશમના પણ ન થઈ શકે, ફક્ત- ઉત્તના-અપવર્તન થવી હોય તો યથાસંભવ થઈ શકે; તે વીર્યવિશિષ્ટ પ્રયત્ન વિશેષનું નામ નિધત્તિકરણ કહેવામાં આવે છે. આ “નિધત્ત” અવસ્થા સૂચિકલાપ–સેયના સમૂહના દષ્ટાંતથી વધુ સમજી શકાય છે. જેમકે પચીસ સંય (સીવવાની સેય) એક પડીકામાં રહેલી છે. તેમાં એક બીજી સાયનો સંબંધ ફક્ત સ્પર્શ એટલે જ છે. એમ જે કર્મપ્રદેશો આત્મપ્રદેશ સાથે ફક્ત સ્પર્શ પુરતા સંબંધવાળા હોય (જેમકે ઈપથિક કર્મ) તે કર્મની સ્પષ્ટઅવસ્થા કહેવાય છે. તે પૂર્વે જણાવેલી પચીસ સાયને દેરાથી બરાબર બાંધેલી હોય. પછી કાગળના પડીકામાં વાળેલી નહિ હોય તો પણ તે સેવે તેમાંથી એકદમ છૂટી પડી શકશે નહિ. બાંધેલે દોરે છોડાય તો જ તેમાંથી. એકાદ સોય જુદી પડી શકે, તેમ જે કર્મપ્રદેશે આત્મપ્રદેશ સાથે બદ્ધઅવસ્થાને પામ્યા છે, અર્થાત પ્રયત્નવિશેષ વડે ભગવટો કર્યા સિવાય પણ આત્મપ્રદેશથી છૂટા પડી શકે તેવી અવસ્થાવાળાં છે તેને બદ્ધઅવસ્થા કહેવામાં આવે છે. તે દોરાથી બાંધેલી સોયોના સમૂહ ઉપર ચોમાસાની રૂતુ અથવા ગમે તે કારણે ખૂબ કાટ ચઢી ગયો હોય, પછી તે સોયોને છૂટી પાડવામાં જરા વધુ પ્રયત્ન જેમ કરવો પડે છે, તે પ્રમાણે જે કર્મપ્રદેશે આત્મપ્રદેશ સાથે વધુ ઘનિષ્ઠ સંબંધને પામેલા હેડ ઉતા–અપવર્તતા સિવાય બીજા કોઈ પણ કરણને અસાધ્ય છે, અર્થાત્ આત્મપ્રદેશથી છૂટા પાડવા માટે જેમાં એકદમ વધુ સમ્પ્રયત્ન કરવાની જરૂરીયાત રહે છે, એવી અવસ્થાવાળુ કર્મ નિધત્ત અવસ્થાવાળું ગણાય છે.
For Private And Personal Use Only