SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક પ ] શ્રી માંડવગઢની મહત્તા [ ૩૧૫ ] ૧૫૫૬ થી ૧૫૬૭ સુધી નાસીરુદ્દીન ખીલજીએ રાજ્ય કર્યું. આ રાજાએ કેટલીએક લડાઇઓમાં વિજય મેળવ્યા હતા, પણ તે દારુડીએ અને ચીડિયા સ્વભાવના હતા. માંડવમાં મકખીમહેલ, ખાજબહાદૂરને મહેલ તેના સમયમાં બંધાવાયા હતા. તેણે મકાને કરાવવામાં પાંચ કરોડના વ્યય કર્યાં હતા. ૧૫૬૭ થી ૧૫૮૭ સુધી મહમૂદ ખીલજી બીજાએ રાજ્ય કર્યું. તેણે માંડવમાં હિન્ઝાલા મહેલ જેવા એક મહેલ બધાવ્યા હતા એમ કહેવાય છે. તેના સમયમાં સત્તા ઘણી નિર્બળ થઇ ગઇ હતી. તેને ગુજરાત–મેવાડ વગેરેના રાજાઓએ હરાવ્યા હતા અને સત્તા લઈ લીધી હતી. ૧૫૮૭માં તેને બહાદૂરશાહ કદી કરી ગુજરાત લઈ જતા હતા. પણ કારણસર વચમાં જ મારી નાખી દેહદમાં દફનાવ્યા હતા. ગુજરાતના બાદશાહ બહાદૂરશાહને આની હાર પછી માંડવમાંથી વિપુલપ્રમાણમાં શાહી ખજાને મળ્યા હતા ને તે તેણે ગુજરાત મેકલી આપ્યા હતા. પણ પાછળથી માયુએ ૧૫૯૦માં બહાદૂરશાહને હરાવ્યા ત્યારે તે માંડવ થઈને સેાનગઢ તરફ થઈ ગુજરાત ભાગ્યા હતા. ગુજરાત સુધી માયુએ તેને પીઠે પકડયા ત્યારે તેણે માંડવ અને ગુજરાતનેસ ખજાનેા ૩૦૦ લેાઢાની મજબૂત પેટીમાં ભરી કુશ્તુન તુનિયા પેાતાન મિત્ર સુલેમાન ઉપર “અમે તરતમાં આવીએ છીએ અને છેલ્લી જીંદગી મક્કામાં ગુજારીશું. ખાને મેાકયેા છે, ” એ પ્રમાણે લખી મેક્લ્યા હતા, પશુ રસ્તામાં દીવ અન્દર પાસે પોર્ટુગીજ લેાકાએ તેને મારી સ સમુદ્રમાં ડૂબાડી દીધું હતું. એ પ્રમાણે માંડવને ખાતે। ન તે માંડવમાં રહ્યો હતેા કે ન તા કુસ્તુનતુનીયા પહોંચ્યા હતા. ૧૯૯૨ થી ૧૫૯૮ સુધી ખીલજી વંશના એક સરદાર મલૂખાં ( કાદિરશાહ )ને અધિકાર રહ્યો. ૧૫૯૮ માં શેરશાહે તેને હરાવી પેાતાના મિત્ર સુજાતખાંને સુબેદાર તરીકે નિયુક્ત કર્યાં, ૧૬૧૦ સુધી તે સુબેદાર રહ્યો. ૧૬૧૧ થી ૧૬૨૦ સુધી શુજાતખાંનને પુત્ર મિલ ખાયછ૬ બાજ બહાદુરના નામથી સુલતાન થયા. તે એક પ્રસિદ્ધ ગવૈયા હતા. તેના દરબારમાં ૪૦૦ પ્રસિદ્ધ ગવૈયા રહેતા હતા. રૂપમતી નામની પેાતાની રાણી માટે તેણે માંડવમાં રૂપમતી મહેલ બંધાવ્યા હતા. અકબરના સેનાપતિ આદમખાંએ તેને હરાવ્યેા હતેા તે પછીથી ૧૬૨૬માં અકબરે તેને માળવાના સુબાને સરદાર બનાવ્યા હતા. ૧૬૨૦ થી ૧૭૮૮ સુધી માળવાના જુદાં જુદાં પરગણાંએ કરવામાં આવ્યાં હતાં. તેમાં માંડવ પણ એક પરગણું હતું અને તેની સત્તામાં ધાર નાલછા ધરમપુરી અને કાઠડા ૧ ગાંડવાનાની રાણી દુર્ગાવતીથી પરાજિત થયા ખદ ખાજ બહાદુર માંડવમાં આવ્યા ત્યારે તે પેાતાના મનના સ ંતેષ માટે શિકાર વગેરેમાં ઘણા સમય ગાળતા હતેા. એક સમય સારગપુરના એક પાતુરની ૧૮–૨૦ વરસની કન્યા એક નદી પાસે ઝાડીમાં બેસીને ગાઇ રહી હતી. ખાજ બહાદુર તેના સ્વરથી આકર્ષાઈ તે તરફ ગયેા. તેનુ રૂપ જોઇ મેાહિત થયા ને તેને પેાતાની બેગમ થવા કહ્યું. તે વખતે તેણીએ પેાતાની નર્મદાજીના દર્શન વગર ભેાજન નહીં કરવાની પ્રતિજ્ઞા ખતાવી. રાજાએ માંડવમાં એક ઉચ્ચ સ્થાન પર મહેલ બધાવી આપ્યા કે જ્યાંથી નદાજીનાં દૃન થઈ શકે. એ રીતે તેની પ્રતિજ્ઞા સાચવીને પરણ્યા. હાલ પણ તે મહેલ રૂપમતી મહેલ તરીકે ઓળખાય છે ને ત્યાંથી ન દાજી જોઇ શકાય છે. પાછળથી આદમખાંએ માજબહાદુરને હરાયેા ત્યારે આદમખાંની ઇચ્છા રૂપમતીને પેાતાની બેગમ બનાવવાની હતી, પણ રૂપમતી સાથે બળાત્કાર કરવા જતા, રૂપમતીએ ઝેર ખાઈને પેાતાના પ્રાણ આપ્યા હતા, પણ પ્રેમ આપ્યા નહતા. For Private And Personal Use Only
SR No.521575
Book TitleJain_Satyaprakash 1942 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy