SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫] એક દિગંબર સાપ્તાહિકના બ્રેષપૂર્ણ આક્ષેપ [ ૩૦૭ મુખપત્ર ન જાણે એટલું મૂખ તો ન જ હોય, પરંતુ વેતાંબર જૈન સમાજની નિંદા કરવાને આવું એક સસ્તું સૂત્ર મળી આવતું હોય તો એ તક જવા ન દેવી એમ ધારીને જ વેતાંબર જૈન સાધુના વસ્ત્ર અને વેતાંબરના આગમ સાહિત્ય ઉપર થોડે વિષને છંટકાવ કર્યો છે. માંસાહારને અને સાધુના વસ્ત્રને કંઈ સંબંધ જ શી રીતે હોઈ શકે ? અલબત્ત, ખાનપાનની લાલસા કે લાલુપતાની સાથે કઈ પણ આહાર–પાનને સાંકળી શકાય, પરંતુ અમુક માણસે ચોક્કસ પ્રકારનાં વસ્ત્ર પહેરવાનો આરંભ કર્યો અને તેથી ધીમે ધીમે એ માંસાહાર તરફ ઝૂકો એમ કહેવું એ બુદ્ધિની હરરાજી બોલવા જેવું છે. “જેન ગજટના અગ્રલેખમાં એવું જ કૌભાંડ રચાયું છે. તંત્રીજીએ લેખને આરંભ જ “પરિગ્રહની ચર્ચાથી કર્યો છે. એમની કહેવાની મતલબ એ છે કે જ્યાં મમતા હોય ત્યાં અહિંસા ન રહી શકે અને જ્યાં અહિંસા હોય ત્યાં આકુલતાને સંભવ નથી. આટલા સારું શ્રી જિનેન્દ્ર ભગવાને પરિગ્રહત્યાગ ઉપર ભાર મૂક્યો છે.. પરિગ્રહનો એ મુદ્દે સર્વમાન્ય છે, પરંતુ વેતાંબર જૈન શ્રમણે જે ઉપકરણે રાખે છે તે પરિગ્રહને પિષવા રાખે છે એમ તંત્રીજી કહી શકયા નથી. એમને તે જ્યાં જ્યાં વસ્ત્ર ત્યાં ત્યાં પરિગ્રહ એવી જ ભ્રમણ થઈ ગઈ છે. પરિગ્રહમાં મમતાબુદ્ધિ મુખ્યત્વે કરીને હેાય છે. લેભ-લાલચ એની સંતતિ હોય છે. આવી મેહ-મમતાન સર્વથા અભાવ હોય-માત્ર સંયમના નિર્વાહ અર્થે જ તેની આવશ્યકતા સ્વીકારાતી હોય તો તેને પરિગ્રહ કેમ કહી શકાય ?. - છતાં ઘડીભર માની લઈએ કે વસ્ત્રને પરિગ્રહ છે. જૈન સાધુમાં હોય તે પણ એ પ્રકારની પરિગ્રહબુદ્ધિ આગમને માંસાહાર જેવા ઉલ્લેખોથી અભડાવવામાં કઈ રીતે કારણભૂત બને? એટલી વાત તો વિદ્વાન અને પારંગતેએ મુક્તકંઠથી કબૂલ કરી છે કે શ્વેતાંબર જૈન સંઘે જે આગમ સાહિત્ય સંરફ છે તે માલિક અને સાથી અધિક પ્રાચીન છે. હવે જે એ સાચે જ મિલિક હોય તો પરિગ્રહની - દુષ્ટતા એને શી રીતે સ્પર્શી ગઈ? પરિગ્રહની બુદ્ધિ જાગી હોય તે તે વસ્ત્રોનું સમર્થન કરે! પણ આહાર-માન સાથે એને શી નસબત છે? શ્વેતાંબર જૈન સમાજ જે આગમો વિષે સંપૂર્ણ શ્રદ્ધા અને આદરબુદ્ધિ ધરાવે છે તેને નિંદવા સિવાય આ સંપાદકીય લેખને બીજો કોઈ ઉદ્દેશ હોય એમ નથી લાગતું. ભ. મહાવીર જેવા અહિંસાના પ્રથમ પયગંબરના વચનમાં હિંસા અથવા માંસાહારને ઉલ્લેખ સરખો પણ ન હોઈ શકે, દિગંબર જૈન ઉપદેશકે બીજી રીતે વેતાંબરથી ગમે તેટલા જુદા પડતા હોય તે પણ ભ, મહાવીરના વ્યક્તિત્વને અપલાપ તો તેઓ કરી શકે જ નહિ. જેન ગજટના તંત્રીજી પિતે જ ઉચ્ચારે છે કે For Private And Personal Use Only
SR No.521575
Book TitleJain_Satyaprakash 1942 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy