SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૧૨૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષાં સાતમુ આમ રાજા વિ. સં. ૮૯૦ માં સ્વર્ગવાસી થયા. અને સૂરિજી વિ. સં. ૮૯૫ માં સ્વર્ગવાસી થયા. સૂરિજી મહારાજને સિદ્ધસારસ્વત, વાદિ કુજરકેસરી, બ્રહ્મચારી, ગજવર, રાજપૂજિત આદિ બિરુદેì હતાં. આમ રાજાના મૃત્યુ પછી તેના પૌત્ર ભોજરાજે બપ્પભટ્ટસૂરિજીના જ ગુરુભાઈએ શ્રીગાવિંદસૂરિજી અને નન્નસૂરિજીના ઉપદેશથી જૈનધમ પાળી જૈનશાસનની પ્રભાવના કરી હતી. આ બન્ને પણ મહાવિદ્વાન અને સારા ગ્રંથકાર થયા છે. નવમી શતાબ્દિમાં શ્રી બપ્પભટ્ટિસૂરિ એક યુગપ્રવ`ક સૂરિ થયા છે. આમરાજાને એક વૈશ્ય પત્ની હતી, જે જૈનધમ પાળતી હતી અને જેના વંશજો-પુત્રા પણ જૈનધર્મ પાળતા હતા. આમની વંશપર ́પરા પ્રચલિત રહી, જેમાં શ્રી શત્રુંજય તીના ઉદ્દાર કરાવનાર સુપ્રસિદ્ધ ધર્માત્મા દાનવીર કર્માંશાહુ થયા. ( જુએ કર્માંશાહે ” ) સં. ૧૧૧૬ માં મહાપ્રાભાવિક વિજયસિંહસૂરિજી થયા. સં, ૧૧૯૦ માં મહાપ્રતાપી શ્રી ઉમાસ્વાતિ↑ યુગપ્રધાન થયા. * Acharya Shri Kailassagarsuri Gyanmandir ܐܙ વિ. સં. ૮૦૨માં વીર નિ. સ. ૧૨૭૨માં વનરાજે અણુહિલ્લપુરની સ્થાપના કરી. ચાવડા વંશના અંતિમ રાજા જયશિખરીના પુત્ર વનરાજને શ્રીશીલગુણસૂરિજીએ આશ્રય આપી તેનું રક્ષણ કર્યું. બાદમાં જ્યારે વનરાજને ગાદી મળી અને પાટણની સ્થાપના કરી ત્યારે પાટણમાં શ્રી પંચાસરા પાર્શ્વનાથના ભવ્ય જિનમંદિરની સ્થાપના સૂરિજીના ઉપદેશથી થઈ હતી. વનરાજના રાજરક્ષણ અને વૃદ્ધિમાં ચાંપા નામના જૈન મંત્રીને પણ મેાટા હિસ્સા હતા. ગુજરાતના રાજની સ્થાપના, તેને વિસ્તાર અને તેના રક્ષણમાં મહાન જૈનાચાર્યો અને બુદ્ધિશાળી જૈન મત્રિઓને મેટો હિસ્સા હતા. દસમી સદીમાં નીચેના ગ્રંથકારા થયા છે. જયસિંહરિ—વિ. સં. ૯૧૩–૧૫માં કૃષિના શિષ્ય જયસિંહસૂરિએ ભાજદેવ રાજાના સમયમાં ( કનેાજનેા પ્રતિહાર વંશના આ રાજા હતા; રાજશેખર કવિને દાદો આ ભોજદેવના રાજકિવ હતા ) પ્રાકૃત ધર્મોપદેશમાલાત્તિ રચી. સ, ૯૧૬ માં રાણા નવષ્ણુના પુત્ર રા'ખેંગારે જુનાગઢમાં રાજ્ય મેળવ્યું. તેમના સમયમાં શ્રી અલિભદ્રસૂરિએ બૌદ્ધાના હાથમાં ગયેલ જૈનતીર્થ ગિરનાર પાછું વાળ્યું અને જૈન સધના હાથમાં અપાવ્યું. આ રાજા પણુ બૌદ્ધ થઈ ગયા હતા. સૂરિજીએ તેને પ્રતિષેાધી જૈનધર્માંતા અનુરાગી બનાવ્યેા. વિજયસિંહસૂરિ-વિ. સ. ૯૭૫માં વિજયસિંહસૂરિજીએ પ્રાકૃતમાં ૮૯૧૧ ગાથાઅહં ભુવનસુંદરી કથા રચી. તેએ નાઇલ ( નાગે× ) કુલના આચાય* શ્રી સમુદ્રસૂરિના હસ્તે દીક્ષિત શિષ્ય હતા. આ જ સદીમાં સજ્જન ઉપાધ્યાયના શિષ્ય મહેશ્વરસૂરિએ જ્ઞાનપચમી. માહાત્મ્ય પ્રાકૃતમાં બનાવ્યું. આ સિવાય સયમમજરી નામનું અપ્રભ્રંશ કાવ્ય રચનાર પણ આ જ આચાર્ય હોય તેમ લાગે છે. For Private And Personal Use Only શિલાંકાચાય --આ એક પ્રસિદ્ધ ટીકાકાર આચાય થયા છે. વિ. સ. ૯૨૫માં તેમણે દસ હજાર શ્લોકપ્રમાણ, પ્રાકૃતભાષામાં મહાપુરુષચરય બતાવ્યું છે, જેમાં ૫૪ મહાપુરુષોનાં ચરિત્ર આપ્યાં છે. તેમણે આચારાંગ સૂત્ર તથા સૂત્રકૃતાંગ સૂત્ર ઉપર સંસ્કૃતમાં મનેહર ટીકા રચી છે. આ સિવાયનાં નવે અંગે! ઉપર તેમણે ટીકાએ બનાવી હતી એમ જણાય છે, પર'તુ અભયદેવસૂરિજીના સમયે ઉપરનાં એ સિવાય બાકીનાં અંગેની ૨ આ યુગપ્રધાન ઉમાસ્વાતી તત્ત્વાર્થસૂત્રકાર ઉમાસ્વાતીઝથી ભિન્ન સમજવા,
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy