SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલાંક એતિહાસિક પડ્યો લેખક : મુનિરાજ શ્રી કાંતિસાગરજી ભારતીય પ્રાચીન સાહિત્યમાં જૈન સાહિત્યનું એક વિશિષ્ટ સ્થાન છે. ભારતીય સાહિત્યને કઈ પણ વિષય એ નથી જેને જૈનાચાર્યોએ વિશદ રીતે ચર્ચો ન હેય. આજે પણ જૈન સાહિત્ય જે વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે એ એ સર્જકે અને તેના સંરક્ષકને આભારી છે. જૈનેનું પ્રાચીન અને મૌલિક વાલ્મય મુખ્યતયા પ્રાકૃત ભાષામાં રચાયું છે, છતાં સંસ્કૃત અને ગુજરાતી ભાષાના સાહિત્ય સર્જનમાં પણ જેન વિઠાનેએ બહુ મટે ફાળો આપ્યો છે. ગુજરાતી ભાષાની જેનેએ એવી સુંદર સેવા કરી છે કે જેને લીધે જૈનેતર અભ્યાસીઓને પણ મુક્તકંઠેથી કહેવું પડયું કે જેનેએ ગુજરાતી ભાષામાં અપૂર્વ ભાગ ભજવી બતાવ્યો છે. આ ઉપરાંત રાજસ્થાની યાને પ્રાચીન મારવાડી ભાષાના સાહિત્ય પર દષ્ટિપાત કરવાથી પણ જણાઈ આવે છે કે જેનેએ રાજસ્થાની સાહિત્યમાં પણ ઠીક ઠીક ફાળો આપે છે. આ હકીક્ત એમ સિદ્ધ કરે છે કે જેનેએ શરૂઆતથી જ સંસ્કારી અથવા વિદ્વાનની ભાષાની સાથે સાથે લેકભાષાને પણ સત્કાર કરેલ છે. રાજસ્થાન પ્રાંત સાથે જૈનધર્મને આજ કાલને નહિ, પણ પુરાતન કાળને સંબંધ છે. ઉક્ત પ્રાંતમાં જૈનધર્માનુયાયીઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે. અને તેથી રાજસ્થાની ભાષામાં જૈનનું સાહિત્ય મળે એ તદન સ્વાભાવિક વાત છે. જેને માત્ર જૈનધર્મ સાથે સંબંધ રાખે તેવી કૃતિઓ જ નિમણુ કરી છે એવું નથી, પણ સર્વ સાધારણ ઉપયોગી તેમજ ઈતિહાપગી જૈન સાહિત્ય પણ અત્રતત્ર મળી આવે છે. મારવાડના રાજાઓના તથા પ્રાંતો વગેરેનાં ભિન્ન ભિન્ન જાતનાં વર્ણને જૈન મુનિઓએ રચેલ સાહિત્યમાં ઉપલબ્ધ થાય છે. જૈન વિદ્વાનોએ મરાઠી તેમજ ફારસી ભાષામાં પણ ચંચુપ્રવેશ કરવાને પ્રયત્ન સેવ્યો છે. જૈન સાહિત્યમાં જે બારામાસી સાહિત્ય ઉપલબ્ધ થાય છે તેને જે પ્રકાશિત કરવામાં આવે તે પ્રકૃતિ કાવ્યમાં સુંદર ઉમેરે થાય એમ છે. આવા ૨૬ અપ્રસિદ્ધ બારામાસાએ મારા સંગ્રહમાં વિદ્યમાન છે. આવું તેમજ બીજું પણ જે સાહિત્ય અત્યારે જૈન ભંડારના ડાબડાઓ કે પિટલાંઓમાં અવ્યવસ્થિત પડયું છે તેમ જ દિવસે દિવસે વધુ જીર્ણ થતું જાય છે તેને વ્યવસ્થિત કરવામાં તેમજ પ્રકાશિત કરવામાં આવે તે એ સાહિત્યની વિવિધતા, મધુરતા અને ઇતિસોપરિતાને જનતાને લાભ મળી શકે. આ પ્રકારના સાહિત્યનું ગીતે પણ એક ખાસ અંગ છે. પ્રકારનાં ઉપલબ્ધ થાય છે; રાજા મહારાજાનાં ગીત, પુરાતન શહેરનાં ગીત (ગજેલ), અને પુરાતન પ્રભાવક આચાર્યોનાં ગીત. જન ઈતિહાસની દૃષ્ટિએ પ્રભાવક આચાયોનાં ગીતે તથા રાસાએ અતિ મહત્વના ગણવા માં આવે છે. રાસાએ તથા ગીતામાં માત્ર જૈન ઈતિહાસ જ નહીં પણ સાર્વજનિક ઈતિહાસ પણ ગુંથાયેલે હેય For Private And Personal Use Only
SR No.521567
Book TitleJain_Satyaprakash 1941 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy