SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુ શ્રી મહાવીરનું તત્વજ્ઞાન લેખક-આચાર્ય મહારાજશ્રી વિજયલધિસૂરિજી (ગતાંકથી ચાલુ) હવે સમિતિ આદિનું વર્ણન અનુક્રમથી કરવામાં આવે છે. उपयोगपूर्विका प्रवृत्तिः समितिः । सेर्याभाषैषणाऽऽदान निक्षेपोत्सर्गभेदेन पञ्चधा । स्वपरवाधापरिहाराय युगमात्रनिरीक्षणपूर्वकं रत्नत्रयफलकं गमनमीर्या । कर्कशादिदोषरहितहित मितान वद्यासंदिग्धाभिद्रोह शन्य भाषणं भाषा । सूत्रानुसारेणान्नादि पदार्थान्वेषणमेषणा । उपधिप्रभृतीनां निरीक्षणप्रमार्जन पूर्वकग्रहणस्थापनात्मकक्रियाऽऽदाननिक्षेपणा । जन्तु शून्यपरिशोधितभूमौ विधिना मृत्रपुरिषादिपरित्यजनमुत्सर्गः । અર્થ- ઉપયોગ પૂર્વકની પ્રવૃત્તિનું નામ સમિતિ છે, અને તે ઇર્ષા, ભાષા, એષણા, આદાન નિક્ષેપ, અને ઉત્સર્ગ એ ભેદથી પાંચ પ્રકારે હોય છે. તેનું રવરૂપ આ પ્રમાણે છે. ચાલતી વખતે નીચે નજર રાખી ધૂસરા પ્રમાણે જમીનને નિરીક્ષણ કરતાં સ્વપરનું રક્ષણ થાય તેવી રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્રનું ફળ જેમાં હોય તેવું ગમન ઇર્ષા સમિતિ કહેવાય છે. કર્ક શાદિ દેષથી રહિત, હિત, મિત અને નિષ્પા૫, સંદેહ રહિત, દ્રોહ વગરનું ભાષણ ભ ષા સમિતિ કહેવાય છે. સૂત્રોનુસારે અન્નાદિ પદાર્થોનું, નિરીક્ષણ પૂર્વક ગ્રહણ કરવું તે એષણ સમિતિ છે. ઉપધિ વગેરેનું નિરીક્ષણ પ્રમાજ ન પૂર્વક ગ્રહણ કરવું એવી ક્રિયાનું નામ આદાનનિક્ષેપણ સમિતિ કહેવાય છે. જીવન્ય શોધલી ભૂમિમાં વિધિપૂર્વક કલા, માત્રા વગેરેને ત્યાગ કરવો તેનું નામ ઉત્સર્ગ સમિતિ કહેવાય છે. આ પાંચ સમિતિઓથી આશ્રવ રોકાય છે માટે તે સંવર કહેવાય છે. ત્રણ ગુપ્તિનું વરૂપ નીચે પ્રમાણે છે. योगस्य सन्मार्गगमनोन्मार्गगमन निवारणाभ्यामात्मसंरक्षण गुप्तिः । सा च कायवाइमनोरूपेण त्रिधा । शयनाऽऽसननिक्षेपाऽऽदान चंक्रमणेषु चेष्टानियम कायगुप्ति: । उपसर्गपरीषहभावाभावेऽपि शरोरे नैरपेक्ष्यं, योगनिरोद्धः सर्वथा चेष्टापरिहारोऽपि काय गुप्तिः । અથ–સન્માર્ગ ગમન અને ઉન્માર્ગ નિવારણ વડે કરીને વેગનું સંરક્ષણ કરવું એનું નામ ગુપ્તિ છે, અને તે મન, વચન અને કાયા એ ભેદથી ત્રણ પ્રકારે છે. સુવામાં, બેસવામાં, વસ્તુ લેવા મૂકવામાં અને ગમનમાં કાર્ય ચેષ્ટાને નિયમિત રાખવી તેનું નામ કાયમુર્તિ છે. અથવા ઉપસર્ગ, પરિસદના ભાવમાં કે અભાવમાં શરીરની નિરપેક્ષતા રાખી કાગ નિરોધ કરનારી ચેષ્ટાનું નામ કાયમુર્તિ છે, વચગુતિનું વર્ણન આ પ્રમાણે છે. ___ अर्थवदम्रविकारादिसंकेतहुंकारादिप्रवृत्तिरहितं शास्त्रविरुद्ध भाषणशून्यं वचोनियमनं वाग्गुप्तिः । अनेन सर्वथा वाइनिरोधः सम्य ग्रभाषणश्च लभ्यते, भाषासमिती सम्यग्भाषणमेव । For Private And Personal Use Only
SR No.521558
Book TitleJain Satyaprakash 1940 06 SrNo 59
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy