________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિનું કાર્યક્ષેત્ર
[એક ખુલાસો ]
ડાક વખત પહેલાં શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ તરફથી એક જાહેર વિજ્ઞપ્તિ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. એ વિજ્ઞપ્તિમાં, કેઈ પણ અન્યધમીઓ [ એટલે કે–વેતાંબર મૂર્તિપૂજક ધર્મ સિવાયના-તેરાપથી, સ્થાનકવાસી, દિગંબરો કે અજેને ] તરફથી જેનધર્મ કે તેના કોઈ પણ અંગ ઉપર આક્ષેપ કરેલો જોવામાં આવે તે તેની ખબર સમિતિને મોકલી આપવા વિનંતી કરવામાં આવી હતી.
આ ‘જાહેર વિજ્ઞપ્તિ' ઉપરથી “વીરશાસન' પત્રના તા. ૧૬-૨-૪ના અંકમાં ૨૯૬મા પાને “પ્રસ્તુત–પ્રકીર્ણ'ના મથાળા નીચે શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ અંગે એક નોંધ પ્રગટ કરવામાં આવી છે, જેમાં મુખ્ય રીતે નીચેના બે મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે
ઉપરના કથનમાં અમને બે વાર્તા વાંધાભરેલી અગર તે સત્યથી વેગળી લાગે છે”“]િ અન્યધમીઓ તરફથી થતા આક્ષેપના જ પ્રતિકાર માટે વિચારણા થઈ હતી કે
નીમાયેલી સમિતિએ કઈ કારણે પણ અન્ય ધર્મ ઓ તરફથી થતા આક્ષેપના
પ્રતિકાર માટે પ્રયત્ન કરો એમ ઠરાવ્યું હતું ?” “[૨] શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ નીમાયેલા પાંચે સ્થાપી હતી કે સમેલન સમયે
સ્થપાઈ હતી ?”
આ બેમાંથી એક પણ વસ્તુ “સત્યથી વેગળી અગર તો વાંધાભરેલી નથી, જે નીચેના ખુલાસાથી સમજી શકાશે.
[૧] અમદાવાદમાં ભરાયેલ મુનિસમેલન કેઈ પણ એક સમુદાય કે એક ગચ્છના મુનિરાજનું ન હતું, પણ જેન વેતાંબર મૂર્તિપૂજક સંધમાં જેમને સમાવેશ થાય છે તે બધાય સમુદાય કે ગચ્છના પૂજ્ય મુનિરાજોનું હતું. એટલે સમેલને ‘ધર્મ ઉપર થતા આક્ષેપોને અંગે” શીર્ષક જે દસમો ઠરાવ કર્યો તેમાં જેન વેતાંબર મૂર્તિ પૂજક સંઘમાં ગચ્છભેદના કારણે, સમુદાયભેદના કારણે, સમજેફેરના કારણે, વિચારભેદના કારણે કે એવા બીજા કેઈ પણ કારણસર અંદરઅંદરમાં જે કંઈ આક્ષેપ કરવામાં આવે અથવા તો ચર્ચા કે પ્રશ્નો ઉપસ્થિત થાય તેનું સમાધાન કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.
આ વાત જરા વિસ્તારથી જોઇએઃ માનો કે એક ગવાળાએ, ગમે તે કારણે,
For Private And Personal Use Only