SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra અ: ૯] www.kobatirth.org જ્જોસણાકપ્પના એક સૂત્રનું પર્યાલાચન Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૩૧ ] હવે ઉત્તરાધ માટેના બે વિકલ્પે આપણે જોઇએ :-~~ (અ) ‘વાયણતર’થી અન્ય પ્રતિ (હાથપોથી) એવા અર્થ સમજવાના છે. એટલે એ પ્રમાણે વિચારતાં પુસ્તકારાહનું વ કે પછી કેપસૂત્રના વાંચનનુ વષૅ એ બેમાંથી જે હાય તે વ અન્ય પ્રતિમાં ૯૮૦ને બદલે ૯૯૩નું લખેલું જોવાય છે.પ આ હકીકત ઉત્તરાધ સૂચવે છે. (આ) ‘વાયાંતર'ને અર્થ ઉપર મુજબ ન કરતાં ‘અન્ય વાચના,’ એમ થાય છે. એટલે એ અને ધ્યાનમાં રાખતાં ઉત્તરાની મતલબ એમ સમજાય છે કે વીર સંવત ૯૮૦માં પુસ્તકલિખનરૂપ એટલે કે પુસ્તકારી।હણુરૂપ વાચના થઈ અને એની બીજી વાચના વીર સંવત્ ૯૯૭માં થઈ. આ પ્રમાણે સુએાધિકા ઉપરથી આપણે જુદા જુદા વિકલ્પે જોઇ શકીએ છીએઃ ઇ.સ. ૧૮૮૪માં (સ્વ.) ડા.યકામીએ કલ્પસૂત્રનો અંગ્રેજી અનુવાદ કર્યા ત્યારે તેમણે ૨૭૦મા પૃષ્ડના ટિપ્પણમાં એવા ઉલ્લેખ કર્યો કે આ કડિકામાં જે બે જાતનાં વર્ષના ઉલ્લેખ છે તે કઇ કઇ બાબતને માટે છે, તે સમજાતુ નથી. ત્યાં તેમણે ઉમેયુ` છે કે ટીકાકારા નીચેની ચાર બાબતે માંથી ગમે તેને આ બે ાતનાં વર્ષોમાંથી ગમે તે સાથે જોડે છેઃ (૧) દેવદ્ધિ ગણિના પ્રમુખપણા હેઠળ મળેલી વલભીની પરિષદ્ (૨) સ્કેન્દિલ આચાના પ્રમુખપણા હેઠળ મળેલી મથુરાની પરિષદ. (૩) ધ્રુવસેન રાજાની સમક્ષ કલ્પસૂત્રનું જાહેર વાંચન. (૪) પળુસણુ [પ*ણ] ભાદરવા [સુદ] ચેાથે નહિ પણ પાંચમે એમ કાલકાચાર્ય કરેલા ફેરફાર. આ સંબંધમાં મારું નમ્ર મંતવ્ય એ છે કે શ્રી દેવદ્ધિ ગણિએ આગમેાનું પુસ્તકારણ જે વમાં કરાવ્યુ. તે વ કયું તેની કલ્પસૂત્રમાં નોંધ લેતી વેળા એ જુદા અભિપ્રાયે। આ સૂત્રદ્વારા નોંધાય છે; એક પક્ષનું કહેવું એ હતુ` કે આ વર્ષે તે વીર નિર્વાણુસંવત્ ૯૮૦ છે, જ્યારે બીન પક્ષનુ કહેવું એ હતુ કે આ વર્ષ તે વીરનિર્વાણુ સંવત્ ૯૯૩ છે. આ મતભેદના ઉકેલ શ્રી દેવદ્ધિગણિના પ્રમુખપણા હેઠળ મળેલી પરિષદ્ લાવી શકી નહિ એટલે યાચળતર એવા ઉલ્લેખ પૂર્વક અન્ય પક્ષની હકીકતની પણ નોંધ લેવા. વીરસવત્ ૯૮૦ એમ માનનાર પદ્મ શ્રી સ્ટેન્ડિલરના અનુયાયીએ હતા, જ્યારે વીર્સવત્ ૯૯૩ એમ માનનાર પક્ષ શ્રી નાગાર્જુનસૂરિના અનુયાયીઓ હતા. એ બને સૂરિએ આગમાની વ્યવસ્થા માટે એક સ્થળે ન મળતાં એક મથુરામાં અને બીજા વલભીમાં રહ્યા હતા અને પાછળથી પણ એ બે પરસ્પર મળ્યા હાય તેમ જણાતું નથી એટલે એ બંનેની વાચનનો વિચાર શ્રી ધ્રુવ ગણિના પ્રમુખપણા હેઠળ મળેલી For Private And Personal Use Only ૫ ધ્રુવસેન રાજાની સભામાં કલ્પસૂત્રની પહેલી વાચના વીરસવત્ ૯૯૩ માં થઈ એમ શ્રી. મુનિસુંદરસૂરિએ પોતે રચેલા સ્તાત્રરત્નકારામાં કહ્યું છે, પ્રસ્તુત પદ્ય નીચે મુજબ છેઃ "वीरात् त्रिनन्दाङ्क (९९३) शरथचीकरत्, त्वचैत्यपूते ध्रुवसेनभूपतिः । यस्मिन् महैः संसदि कल्पवाचनामाद्यां तदानन्दपुरं न कः स्तुते ? ॥ "" ૬ આ કે આવા આશાયવાળા અન્ય શબ્દના પ્રયાગ આગમામાં કયાં કયાં છે તેની તપાસ કરવી ઘટે. જો તેમ થશે તે એ વાચનામાં કયાં કયાં ભેદ છે તે તણી શકાશે,
SR No.521557
Book TitleJain Satyaprakash 1940 05 SrNo 58
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy