SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૧૨ ] શ્રી જન સત્ય પ્રકાશ [ વર્ષ પ સિવાય બીજો કોઈ માર્ગ જ ન રહ્યો એટલે તેમણે આ મત સ્વીકાર્યો અને એટલા જ ખાતર આજ પણ વૈદિક સંધ્યાની સાથે તાંત્રિક સંધ્યા પણ આ દેશમાં પ્રાયઃ બધા જ કરે છે. ગુજરાતમાં તે મેં ત્યાં સુધી જોયું છે કે દરેક બ્રાહ્મણના ઘરમાં એક એક કુલદેવી છે. ઘણાની કુલદેવી તો કુવાની ભીંતમાં બિરાજમાન કરેલ છે, જે બધાની દૃષ્ટિથી દૂર છે પરંતુ પૂર્ણ સંરક્ષિત છે, પરંતુ વિવાહાદિ પ્રત્યેક અનુષ્ઠાનમાં કુલદેવીની પૂજા તો કરવી જ પડે છે. આવી જ રીતે ગ્રામદેવી અને ગ્રામદેવતા પણ અમારા સમાજમાં વધતા જ જાય છે. આ વધારે એટલે બધો થઈ ગયો છે–થતો જાય છે કે બિચારા મૂલ પ્રાચીન વૈદિક દેવતાઓને તેમના સ્થાનથી પદભ્રષ્ટ થવું પડયું છે. આજકાલ દેવી માંહાસ્યના ગાયનેમાં ત્યાં સુધી ગવાય છે કે “જાત વેર દાતણ ચાર મહામgિwrમચર માતા ! સુપ્રસિદ્ધ હિન્દી રામાયણકાર ગોસ્વામી તુલસીદાસજી તે મહાપંડિત હતા, પરંતુ તેમના જેવા પંડિત પુરુષે પણ પોતાનાથી પ્રતિપક્ષી મતવાળા ઉપર આક્ષેપ કરતાં પિતાના મત–વેદ સમ્મત મત જણાવતાં લખ્યું કે “સિક્યૂમિnિgથ” (રામચરિત માનસ, ઉત્તર દેહા ૧પ૯). આગળ ઉપર શ્રીયુત ક્ષિતિમોહન સેન ઉપર્યુકત વેદબાહ્ય-આતર દેવની પૂજા માટે તેના પુરોહિત પણ આપેંતર જાતિના જ હતા એમ પ્રમાણુ આપી સિદ્ધ કરે છે. તેઓ લખે છે. “આ વેદબાહ્ય દેવતાઓની પૂજા માટે પુરોહિત પણ આતર જાતિના જ લકે હતા. તે સમયે બ્રાહ્મણે આ બહારના દેવતાઓના વિરોધી હતા; પરંતુ ક્રમશઃ જ્યારથી આ દેવતાઓને વેદપંથીઓના ગ્રંથમાં પ્રવેશ થયે ત્યારથી બ્રાહ્મણને તેમના પ્રતિને વિરોધ દૂર થયો અને તેમણે આ દેવતાઓના પુરોહિત થવાનું શરૂ કર્યું, જ્યારે દક્ષિણમાં તો દેવમંદિરની પુહિતા સ્ત્રીઓ થવા માંડી, કારણકે ત્યાંની સમાજમાં સ્ત્રીઓનું જ પ્રાધાન્ય હતું. આ માતૃતંત્ર દેશમાં–સ્ત્રીપ્રધાન દેશમાં જ્યારે વૈદિક ધર્મ પહોંચ્યો ત્યારે તો ત્યાં સ્ત્રીઓની કુંથી જ અગ્નિદેવતા પ્રજ્વલિત થતા હતા. મહાભારતમાં સહદેવના દિગવિજય પ્રસંગે કહ્યું છે કે જ્યારે સહદેવ માહિષ્મતિ નગરીમાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે સુંદર કુમારિકાઓના પુટમાંથી નિકળેલા વાયુ સિવાય બીજા કોઈ પંખા આદિથી અગ્નિદેવતા પ્રગટ થતા નથી. " व्यजनैधूयमानोऽपि तावत् प्रज्वलते न सः । यावच्चारुपुटौकेष्ठेन वायुना न विधूयते ॥". [ મહાભારત, સભાપર્વ, ૨૯-૩૦ ]. અગ્નિદેવતા પણ સુન્દરી કન્યાઓને સંગ-લાભ પ્રાપ્ત કરી તેમના પર પ્રસન્ન થયા અને તેમને સ્વતંત્રતાનું વરદાન આપ્યું. આટલા માટે ત્યાંની સ્ત્રીઓ રવછંદી અને ઈચ્છા પ્રમાણે વિચરનારી હતી " एवमग्निर्वरं प्रादात् स्त्रीणामप्रतिवारणे । स्वैरिणयस्तत्र नार्यो हि यथेष्टं विचरत्युत।" [મહાભારત, સભાપર્વ, ૩૦-૩૮] આગળ ઉપર દક્ષિણમાં અને ઉડીસામાં, જગન્નાથપુરી આદિમાં પ્રચલિત દેવદાસીની પ્રથાનું મૂલ જણાવતાં શ્રી. ક્ષિતિબાબુ લખે છે કેઃ હું For Private And Personal Use Only
SR No.521557
Book TitleJain Satyaprakash 1940 05 SrNo 58
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy