SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૬૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૫ આવે છે અને જાય છે. આથી હરેક પ્રાણીએ સમ્યકત્વને સ્થિર રાખવા માટે કાશિશ કરવી જોઇએ. સમ્યકત્વ વધારે ચપલ છે, કારણ કે ચારિત્ર એક ભત્ર આશ્રિત બસેાથી નવસે વાર આવે છે અને જાય છે. આ સમ્યકત્વના વિભાગ દ્રવ્ય અને ભાવથી એ પ્રકારે થાય છે. જિનેશ્વર ભગવાને કહેલાં તત્ત્વામાં સામાન્ય રૂચિનું નામ દ્રવ્ય સમ્યકત્વ છે, અને નય, નિક્ષેપ, પ્રમાણાદિવડે કરીને જીવ, અવાદિ સકલ તત્ત્વાના રિશોધનરૂપ જ્ઞાનને ભાવ સમ્યકત્વ કહે છે. પરીક્ષામાંથી ગેસન્ન થએલ મતિજ્ઞાનના અપાયાંશરૂપને શાસ્ત્રકારાએ ભાવ સમ્યકત્વ કહેલું છે. तदाहुः श्रीसिद्धसेनदिवाकरपादाः छप्पिअजीवनिकाए, सद्दहमाणो ण सद्दहे भावा । हंदि अपज्जवेसु, सद्दहणा होइ अविभत्त ॥ १ ॥ અ— શ્રી સિદ્ધસેનદિવાકર મહારાજા ફરમાવે છે કે છે જીનિકાયની શ્રદ્ધા કરતે થંકા પણ ભાવતી ન શ્રદ્ધા કરે અને અપર્યાએમાં શ્રદ્ધા રાખવાથી અવિભક્ત સમ્યકત્વ હોય છે, કારણ કે નય, નિક્ષેપ, પ્રમાણાદિ જ્ઞાન વગરનું સમ્યકત્વ દ્રવ્યથી એટલે અપ્રધાનપણે છે અને નય, નિક્ષેપ, પ્રમાણાદિ જ્ઞાનવાલું સમત્વ પ્રધાનપણે હેાવાથી ભાવ સમક્તિ કહેવાય છે. “ ગાળો ફ્ક્યું” વૃત્તિ થાયાત્ અર્થાત્ જે પ્રધાન ન હોય તેને જૈન શાસ્ત્રમાં દ્રવ્ય કહેલું છે. દ્રવ્યાર્થિક નયથી અને પર્યાયાર્થિક નયથી દ્રવ્ય અને પર્યાયાનું સ્વરૂપ કેવું હોય તેની જાણ થયા સિવાય જૈનધર્મીમાં રહ્યો થકા પણ અગડમ અગડમ પ્રરૂપણા કરવાથી સમ્યકત્વને હારી જાય છે. તેાપછી દ્રવ્ય સમકિત કેવી રીતે હોઇ શકે ? વાદિના એવા પ્રશ્નના ઉત્તરમાં સમજવું કે જેને વીતરાગ પ્રરૂપિત અનેકાન્ત તત્ત્વામાં સમ્યક્ પરિજ્ઞાન નહાવા છતાં ભગવાન પ્રરૂપિત હોવાથી તેમાં ફિંચ કાયમ રાખી વિપરીત અભિનિવેશવાલા ન બને અને ગીતા પુરૂષોના સહવાસમાં રહી તેઓની પ્રરૂપણા પ્રમાણે વર્તવાથી ગુરૂપારતંત્ર્યતાના ચેગે અન્તતઃ તત્ત્વશુદ્ધિના કારણે દ્રવ્ય સમકિત અવિરૂદ્ધ રહી શકે છૅ. એવી રીતે નય વિશેષથી દ્રવ્ય અને ભાવ વડે એમ એ પ્રકારે સમકિત સમજવું. અથવા નિશ્રય અને વ્યવહારથી સમિતિના એ ભેદા થાય છૅ. તેનુ લક્ષણ નીચે પ્રમાણે છેઃ— निच्छयओ सम्मत्तं, नाणाइमयम्पसुघटपरिणामो । इअरं पुण तुह समए भणिअं सम्मत्त उहि ||१|| અ—જ્ઞાનાદિમય આત્માએને શુભ પરિણાત નિશ્ચય સમક્તિ છે અને વ્યવહાર સમકિત સમ્યકત્વના હેતુએ વડે કરીને સિદ્દાન્તમાં કહેલુ છે. અત્ર વાદી પ્રશ્ન કરે છે કે જ્ઞાનાદિમય આત્માના શુભ પરિણામ એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર સહિત પરિણામ થયેા, એથી તેા ભાવ ચારિત્રની પ્રાપ્તિ થઇ તા એને નૈયિક સમ્યકત્વ કેમ કહ્યું ? અહી' સમજવાનું એ છે કે ભાવ ચારિત્ર એ જ નૈયિક સમ્યકત્વ છે, કારણ કે મિથ્યાચારથી અટકવારૂપ કાર્યની પ્રાપ્તિ તેવા ચારિત્રથી જ હોઇ શકે અને મિથ્યાચાર નિવૃત્તિરૂપ કાર્ય હોય તે તેનું કારણ નૈઋયિક સમ્યકત્વ માની શકાય, For Private And Personal Use Only
SR No.521556
Book TitleJain Satyaprakash 1940 04 SrNo 57
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy