SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩] પ્રભુ શ્રી મહાવીરનું તત્વજ્ઞાન | [ ૫ મત વિશ્વસ્ત જીવને વિષય કરનારી અયથાર્થ વસ્તુની શ્રદ્ધા એ જે વ્યાપારનો હેતુ હોય તેવા વ્યાપારવાળાની ક્રિયા અનુમોદના સ્વરૂપ અનભિગૃહીત કહેવાય. આ ત્રીજા ગુણસ્થાન સુધી રહે છે. १० जीवाजीवविषयिणी विरत्यभावानुकूला क्रियाऽप्रत्याख्यानिकी । ૧૦ જીવ તથા અજીવ સંબંધી વિરતિના અભાવને ઉત્પન્ન કરનારી ક્રિયા અપ્રત્યાખ્યાનિકી કહેવાય. મતલબ સંયમનો ઘાત કરનાર ત્યાગ કરવા લાયક કષાયોને ન ત્યાગે ક્તિ તેને અનુકૂલ ક્રિયા કરતા રહે તેથી કરીને પોતાના જીવનમાં અવિરતિ બની રહે તે અપ્રત્યાખ્યાનિકી ક્રિયા ચોથા ગુણસ્થાનક સુધી રહે છે. ११ प्रमादिनो जीवाजीवविषयकदर्शनादरात्मिका क्रिया दृष्टिकी । ૧૧ પ્રમાદ વશ બનેલે પ્રાણી આકર્ષક છવજીવાદિ પદાર્થોને દેખી તેનો આદર કરવા લાગે તે ક્રિયાનું નામ દષ્ટિકી છે. “પ્રમાદક્રિયા વશ બનેલો' એ વિશેષણ આપવાથી ધર્મબુદ્ધિથી મધ્યસ્થ ભાવે નિરખનારને આ ક્રિયા લાગતી નથી. આ ક્રિયા દશમાં ગુણસ્થાનક સુધી રહે છે. १२ सदोषस्य जीवाजीवविषयकं स्पर्शनं स्पृष्टिकी । ૧૨ રાગદ્વેષપણે જવઅજીવ વસ્તુનો સ્પર્શ કરવો તે પૃષ્ટિકી કહેવાય. અર્થાત સ્ત્રી પુરુષ અને નપુંસકના અંગને રાગાદિથી સ્પર્શ કરવો તે જીવ વિષયક કહેવાય અને મૃગરામાદિ, વસ્ત્ર, મોતી, રત્નાદિ પદાર્થોને રાગાદિથી પર્શ કરે તે અજીવ વિશ્વક સ્પર્શ કહેવાય. આ ક્રિયા દશમ ગુણસ્થાનક સુધી રહે છે. १३ प्रमादात् प्राक्स्वीकृतपापोदानकारणजन्यक्रिया प्रातित्यिको । ૧૩ પ્રમાદથી પ્રથમ સ્વીકારેલ પાપના ઉપાદાન કારણથી જન્ય ક્રિયા પ્રતિયિકી કહેવાય છે. આ ક્રિયા દશમા ગુણસ્થાનક સુધી રહે છે. . १४ कारुण्यवीरबिभत्सादिरसप्रयोक्तृणां प्रेक्षकाणां च सानुरागिणां नाट्या दिजन्या क्रिया सामन्तोऽपनिपातिकी । ૧૪ કારણ્ય, વીર, બિભત્સાદિ રસના પ્રયોક્તા અને પ્રેક્ષકોને અનુરાગપૂર્વક નાટયાદિ જોતાં જે ક્રિયા લાગે તે સામોનિપાતિકી કહેવાય છે. આ ક્રિયા પાંચમા ગુણસ્થાનક સુધી હોય છે. १५ यन्त्रादिकरणकजलनिःसारणधनुरादिकरणकशरादिमोचनान्यतररूपा क्रिया નૈ રાત્રિી ! ૧૫ મંત્રાદિનું કરવું, જલનું બહાર નીકાલવું, ધનુષ્યાદિની રચના કરવી તથા બાણ આદિ છોડવાં ઈત્યાદિ ક્રિયાને નૈશસ્ત્રિકી કહેવામાં આવે છે. જેનું બીજું નામ નૈસૃષ્ટિકી ક્રિયા પણ છે. આ ક્રિયા પાંચમાં ગુણસ્થાનક સુધી રહે છે. १६ सेवकयोग्यकर्मणां क्रोधादिना स्वेनैव करणं स्वाहस्तिको । ૧૬ સેવકને કરવા લાયક જે કાર્યો હોય તેવાં કાર્યોને ક્રોધાદિથી પિતાના હાથે કરે તે For Private And Personal Use Only
SR No.521552
Book TitleJain Satyaprakash 1939 11 SrNo 52
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy