SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩] નિહ્નવવાદ [ ૧૦૧ જાય છે, ને પછી તરતના જ ક્ષણમાં એક ક્રિયા થાય છે. ને તે ઘટને ઉત્પન્ન કરીને વિરામ પામે છે, તમને, ઘટમાં જે કારણે છે તેમાં ઘટનું જ્ઞાન છે, માટે એમ લાગે છે કે આ ક્રિયા ધટની છે પરંતુ તે મિથ્યા છે. વળી “ કરાતું એ કરાયું ” એમ નહિ માનો તો ‘ક્રિયાનો અવિરામ ' રૂ૫ બીજે દોષ તમને યથાર્થ લાગુ પડશે; કારણ કે કરાતું એ કરાયું” એ વાદનું ખંડન કરતાં તમે અસત કાર્યવાદ સ્વીકાર્યો. એ વાદથી તમે જેમ ઘટ અસત છે, ને તેને ઉત્પન્ન કરવા ક્રિયા કરે છે, તેમ સસલાને શીંગડાં પણ અસત છે, માટે તેને પણ ઉત્પન્ન કરવા ક્રિયા કરશો. જ્યાં સુધી સસલાનાં શીંગડાં બનશે નહિ, ત્યાં સુધી ક્રિયા વિરમશે નહિ, અને સસલાનાં શીંગડાં કદી બનતાં જ નથી. એ રીતે ક્રિયાનો વિરામ જ નહિ થાય એ દોષ “કરાતું એ કરાયું' માનનારને સંભવતો જ નથી પણ નહિ માનનારને જ લાગે છે. એ પ્રમાણે બીજા દેષનું સમાધાન ન થયું. ત્રીજા દોષનું સમાધાન-પ્રથમ સમયે જ કાર્યની ઉત્પત્તિ થશે, એ ત્રીજે દોષ. માટી લાવવી, પલાળવી, વગેરે ક્રિયાથી ઘણે કાળે ઘટ ઉત્પન્ન થાય છે, પરંતુ “કરાતું એ કરાયું’ એમ માનતાં પ્રથમ સમયે જ થવી જોઈએ કારણ કે પ્રથમ સમયે ઘટ કરાતો છે માટે કરાયો પણ છે, એ રીતે ઘટે છે. પણ જયારે “કરાતું એ કરાયું' એ મત યથાર્થ સમજાય તો તે ઘટી શકે નહિ. માટી લાવવી, પલાળવી વગેરે ક્રિયાકાળ ઘટને નથી કારણ કે તે ક્રિયાઓ ઘટની નથી, પરંતુ તે ક્રિયાઓ ઘટમાં ઉપયોગી તેવાં કારણોની છે. હવે જ્યારે તે કાળ જ ઘટના નથી તો તેને પ્રથમ સમય અને બીજો સમય એ વસ્તુ જ નથી; તે તેની ઉત્પત્તિ તે કયાંથી જ સંભવે? હવે જે તમને એમ આગ્રહ છે કે માટી લાવવી, પલાળવી વગેરે ક્રિયાઓ ઘટની જ છે, તે તે ક્રિયાઓથી ઘટ જ થવો જોઈએ. પરંતુ તેમ નથી તેમાંથી ઘટ સિવાય બીજી વસ્તુઓ ગાગર, તાવડી, કુલડી, ઢાંકણુ વગેરે પણ બને છે. અનેક કાર્યો ઉત્પન્ન કરવાનું તે ક્રિયામાં સામર્થ્ય છે, તેમ પણ નહિ કહેવાય, કારણ કે તેમ કહેવાથી તે ક્રિયાઓથી પટ પણ થવો જોઈએ. અનેકની અંદર તે પણ છે. માટીનાં દરેક કાર્યો તે ક્રિયાઓથી થાય છે, એમ કહેશે તે પણ તે યથાર્થ નથી, કારણ કે ક્રિયાથી ઘટ ઉત્પન્ન થાય છે, તે જ સમયે તે ક્રિયાથી બીજી વસ્તુઓ પણ બનવી જોઈએ. પણ તેમ બનતું નથી, માટે તે ક્રિયાઓને ઘટ વગેરેની કહી શકાય નહિ. એ રીતે તે ક્રિયાઓ ઘટની નથી. તેથી તેને કાળ પણ ઘટને નથી. જ્યારે તે કાળ ઘટને જ નથી, તો તેને પ્રથમ સમયે ઉત્પત્તિ રૂ૫ ત્રીજો દોષ સંભવતો નથી. એ પ્રમાણે ત્રીજા દોષનું સમાધાન થયું. ચેથા દેષનું સમાધાન-ક્રિયા નિષ્ફળ થશે, એ ચેાથે દોષ વાસ્તવિક રીતિએ કરાતું એ કરાયું’ એ માનનારને સંભવતો નથી, કારણ કે ક્રિયા માત્ર કાર્યને તરત જ ઉત્પન્ન કરે છે. એ રીતે ધટની ક્રિયા પણ શરૂ થવાની સાથે જ ઘટને ઉત્પન્ન કરે છે, પ્રથમ સમયે ઘટ માટેની ક્રિયાનો આરંભ થયો નથી તેથી તે ક્રિયા ઘટને ઉત્પન્ન કરતી નથી. એ રીતે બીજે ત્રીજે સમયે પણ જે જે ક્રિયા છે તે પણ ધટની નથી પણ બીજાં કાર્યોની છે. આથી ક્રિયા નિષ્ફળ થશે તે ચોથે દોષ ઘટતું નથી, કારણ કે પ્રથમ સમયે ઘટની ક્રિયા નથી માટે ઘટ ઉત્પન થતું નથી. પ્રથમ સમયની ક્રિયા બીજા ત્રીજા સમય For Private And Personal Use Only
SR No.521552
Book TitleJain Satyaprakash 1939 11 SrNo 52
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy