SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૩} ] =[ વર્ષ ૫ માં વગેરેથી લેાકેાએ શ્રી પષણા પનુ સન્માન કર્યું. શ્રીકાંતના ગૃહ-મંદિરમાં પારણે ઝુલતા સત્ત્વશાલી બાલકે અમનેા તપ આદર્યુ અને તેણે સ્તનપાનને, ત્રણ દિવસ માટે તીલાંજલિ દીધી. પારણે ઝુલતા બાળક સ્તનપાન નથી કરતા, આથી માતાને અત્યંત દુ:ખ થયુ’. ગુલીબના પુષ્પસની બાલુડાની કામલ કાયા કરમાવા લાગી. તેનાં ગાત્રા ઢીલાં પડી ગયાં, હેરા ફીક્કો પડી ગયા, આથી શરીરનીસ્તેજ થયુ. એકનાએક પુત્રરત્નની આવી દુ:ખદાયી સ્થિતિ જોઇ શ્રીકાંત અને શ્રીસખીના દુઃખનો પાર રહ્યા નહીં. ઘણા ઉપચારા કરવા છતાં કંઈ વળ્યું નહીં. પ્રાણના ભોગે પણ ખાલક પેાતાની પ્રતિજ્ઞાથી ડગ્યા નહીં. ધન્ય છે એ પારણે ઝુલતા બલકને અને તેની દૃઢ પ્રતિજ્ઞાને! કુટુંબમાં હાહાકાર મચી ગયા. પુત્ર વિરહનાં હૃદયભેદક આક્રંદનાદ્દા સંભળાવા લાગ્યાં. સાની આંખમાંથી ચેાધાર આંસુ વહેવા લાગ્યાં, પુત્રમાહે શ્રીકાન્ત અત્યંત આકુલ વ્યાકુલ થઇ ગયા. પુત્રના વિરહ તેનાથી ન સહાયા, તેનું હૃદય ભેદા ગયુ, મૃચ્છાઓના ઝાલા ઉપરાઉપરી આવવા લાગ્યા. અને છેવટે તે પણ મરણને શરણ થયા. બાલકને મરણુ પામેલો માની કુટુમ્બીજનેએ એને ભૂમિમાં દાટયે। અને શ્રીકાન્તના દેહને પણ અગ્નિદાહ દીધા. પછી કુટુમ્બીએ પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા. આ ખબર રાજદ્વારે પહોંચતાં રાજાની આજ્ઞાથી રાજસેવા, પુત્રવિહીન શ્રીકાન્ત શ્રેષ્ઠીનું ધન કબજે કરવા તેના ગૃહે આવ્યા, અને તીજોરીનાં તાળા ખોલ્યાં. એટલામાં ભૂમિમાં રહેલા એ બાલ–તપસ્વીના તપ તેજથી ઇન્દ્રાસન, સાગરમાં ઝુલતા નાવની માફક, ડાલવા લાગ્યું. એટલે તરત જ ધરણેન્દ્રે અવિધજ્ઞાનના ઉપયેગ મૂકયે। અને એ પુણ્યવંત બાલકના સર્વાં વૃત્તાંત તેના જાણવામાં આવ્યેા. પછી તેનુ સંરક્ષણ કરવા ધરણેન્દ્ર દેવલાકમાંથી મનુષ્યલોકમાં પધાર્યા. અને ભૂમિમાં રહેલા તપસ્વી બાલક પર અમૃતનાં છાંટણાં છાંટી નવું ચૈત્યન્ય સ્ફુરાવી, જ્યાં રાજસેવકા શ્રીકાન્તનું ધન ગ્રહણ કરી રહ્યા છે, ત્યાં બ્રાહ્મણના વેશે આવી પહોંચ્યા અને ધનગ્રહણ કરતા રાજસેવકાને અટકાવ્યા. આથી રાજસેવકાએ રાજાને સમાચાર પહાંચાડવા એટલે રાજાએ ત્યાં આવી એ બ્રાહ્મણને કહ્યું : હે વિપ્ર ! પરંપરાગત રીતરીવાજને અનુસુરતા અમારા રાજસેવકાને કેમ અટકાવા છે? વિષે પ્રત્યુત્તર આપ્યા હું રાજન ! એ ધનને માલિક શ્રીકાન્તના પુત્ર હજુ જીવતા છે. આ સાંભળતાં રાજાને નવાઈ લાગી. કયાં છે શ્રીકાન્તને પુત્ર ?' આ પ્રશ્નના જવાબમાં વિષે ભૂમિમાં દાટેલા તે પુત્રને સજીવન દેખાડયા. આ દશ્ય દેખતાં સહુ આશ્રર્યંચકીત થઈ ગયા. વિજયસેન પણ્ અજાયખીમાં ગરકાવ થઇ ગયા. તે ખેલ્યે!: હે સ્વામીન, આપ કેણુ ? એટલે ધરણેન્દ્રે પોતાનું સાક્ષાત્ સ્વરૂપ પ્રગટ કરી એ ખાલકના પૂર્વભવને વૃત્તાંત સહુ સમક્ષ કહી સ ંભળાવ્યેા. પારણે ઝુલતા આ બાલકના તપ—તેજના પ્રભાવથી તેનું સંરક્ષણ કરવા હું આવેલ છું. હે રાજન, આ પુણ્યવત બાલક લધુકર્મી અને આ જ ભવમાં મેક્ષે જનાર છે. વળી ભવિષ્યમાં તમને પણ એ મહાન ઉપકારક થશે. એમ કહી ધરણેન્દ્ર પોતાના હાર તે બાલકના કન્દમાં સમર્પણ કરી સ્વસ્થાને ગયા. For Private And Personal Use Only
SR No.521550
Book TitleJain Satyaprakash 1939 09 SrNo 50
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy