SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મા ૨વા ડનું એક વખત નું અતિ જ હો જ લા લ તીર્થ લેખક શ્રીયુત મોહનલાલ છોટાલાલ બારસદવાળા 2લેક દીપક દેહરે જાત્રા કરે રે, રાણકપુર રીસહસર-તીરથ તે નમું રે. –શ્રી સમયસુંદર (ખરતગચ્છ) “નામ રસ્તે નર્થ' એ વાક્યના આઠ લાખ અર્થેવાળું અષ્ટલક્ષી પુસ્તક લખી અકબર અને તેના પુત્ર જહાંગીર પાદશાહોને કાવ્યરસના ચમત્કારથી ખુશ કરનાર શ્રી સમયસુંદરે જેની યાત્રા કરી આ શબ્દ ઉપર્યુક્ત કાવ્યમાં ઉતાર્યા છે, એ ત્રિલેકદીપક દેવળ ધરાવનાર શ્રી રાણપુરજી તીર્થ મુંબઈથી અજમેર જતી રેલ્વે લાઈનના ફાલના સ્ટેશનથી ૧૭ મેલ પર એક ગાઢ જંગલમાં છે. ફાલને મુંબઈથી ૪૮૭ મૈલ અને અમદાવાદથી ૧૭૮ મેલ ઉત્તરે અને અજમેરથી ૧૨૮ મૈલ દક્ષિણે એટલે ઉ. અક્ષાંશ રૂપ અને પૂર્વ રેખાંશ ૭૩ લગભગ પર છે. અરવલી પહાડની હાર વચ્ચે આવેલ રાણકપુર શહેરમાં વિક્રમના ૧૫મા શતકના આરંભમાં ૧૮૦૦ સવાલ છે. જેનનાં ઘર હતાં. એ મેવાડ મેદપાટ અને મારવાડની સરહદ પર આવેલું અગત્યનું વેપારી અને રાજકીય સ્થળ હતું. તેની ચડતીના સમયમાં, જેમ લંડન શહેર વચ્ચે ટેમ્સ નદી વહે છે તેમ હાલમાં આ પ્રસિદ્ધ જિનાલય પાસે વહેતી મગઈ નદી (જે સાદરી પાસે સુકલી નદીને મળે છે ) શહેર વચ્ચે વહેતી હતી. ત્યાંના ડુંગરે કોઈ શાંત જ્વાળામુખીના અવશેષો છે. તેના ઉપદ્રવથી થતા ઉલ્કાપાતોથી, ભૂકંપથી તથા રાજ્યની સરહદ પર આવેલું હોવાથી, વિરેાધી રાજ્યનાં આક્રમણોથી તે શહેર તૂટયું, એમ સ્પષ્ટ કહેવાય તેવું છે, [ પૃષ્ઠ ૨૪ માનું અનુસંધાન ] પ્રતિ આકર્ષાયા અને જેમ જેમ એમાં ઊંડા ઉતરતા ગયા તેમ તેમ ચુસ્ત બન્યા. આમ છતાં તેમણે અન્ય ધર્મો પર કોઈ જાતનો જુલમ દાખવ્યાનો એક પણ દાખલ નહીં જડે. એમાં જ જેનધર્મનાં ઉદાર તત્ત્વોની ખુબી સમાઈ છે. | ગુજરાતની ગાદી પર વનરાજથી માંડી કુમારપાળ સુધીના રાજાઓ ભલે પોતે ગમે તે ધર્મ પાળતા હશે પણ અન્ય ધર્મો પર સમભાવ ધરનારા જ પુરવાર થયા છે. અહિં સાની જે કાળે ટીકા થતી હતી એ વેળા શાસ્ત્રી મહાશય કે એમના જેવા બીજા લેખકે કેમ મૌન હતા ? અને અત્યારે માત્ર એક જ પ્રશસ્તિના જોરે પરમહંત મહારાજા કુમારપાળને પરમ માહેશ્વર બનાવવા કયા કારણે કટિબદ્ધ થયા છે? તેમાં જેટલું સારું ને સુંદર એટલું અમારૂં” એ ભાવ તો નથી ને? - જૈન સમાજે જાગ્રત થઈ, એના અભ્યાસી વગે કમર કસી, પ્રાચીન સાહિત્ય અને પુરાતત્ત્વના વિષયમાં રસ લઈ, આવી જાતના ઊહાપોહ પર પ્રકાશ ફેંકવાની પળ આવી ચુકી છે. For Private And Personal Use Only
SR No.521550
Book TitleJain Satyaprakash 1939 09 SrNo 50
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy