________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નમસ્કાર મહામંત્ર-માહાભ્ય
લેખક:-શ્રીયુત સુરચંદ પુરૂષોત્તમદાસ બદામી
બી.એ., એલ.એલ.બી., રિટાયર્ડ સ્મો. ક. જજ
[ ગતાંકથી ચાલુ ] પહેલાં અરિહંતને નમસ્કાર શા માટે? આ પ્રમાણે આપણે અરિહંતાદિ પાંચ પરમેષ્ઠિ ભગવાનની વિચારણા કરી અને જોયું કે એ પાંચે મહા મંગળરૂપ, મહા ઉપકારી અને સર્વ પાપોને અત્યંત નાશ કરાવનારા છે તેથી અવશ્ય નમસ્કરણીય છે. પરંતુ જે ક્રમ એએને નમસ્કાર કરવાને રાખે છે તે બાબતમાં મનમાં એક શંકા રહી જાય છે. જે જુદી જુદી વ્યકિતઓને આપણે નમસ્કાર કરવાનું હોય, તે વ્યક્તિઓ પિકી જે સૌથી ઉત્તમ હોય તેને આપણે પ્રથમ નમસ્કાર કરવો ઘટે, પછી તેનાથી ઉતરતી પંકિતની વ્યકિતને, ત્યારપછી તેનાથી ઉતરતી પંકિતની વ્યકિતને એમ સામાન્ય વિવેકની ખાતર લેવું જોઈએ. આ પંચ પરમેષ્ઠીમાં સિદ્ધ ભગવાનને દરજો સર્વમાં શ્રેષ્ઠ છે અને અરિહંત ભગવાનને દરજે તેમનાથી નીચેનો છે, કારણ કે સિદ્ધ ભગવાન તો કૃતકૃત્ય થયા છે, જ્યારે અરિહંત ભગવાન તે હવે પછી ચાર અઘાતી કર્મો નાશ થશે ત્યારે તે દરજ્જો પામશે. છતાં આ નમસ્કાર સૂત્રમાં પ્રથમ નમસ્કાર અરિહંત ભગવાનને કેમ કરવામાં આવ્યો છે, અને સિદ્ધ ભગવાનને તેમના પછી કેમ નમસ્કાર કરાય છે? | જિનેશ્વર ભગવાન પોતે પણ નિષ્ક્રમણ વખતે સિદ્ધ ભગવંતને નમસ્કાર કરીને સામાયિક કરે છે.
૨ ઉપર જણાવેલી શંકા દેખીતી રીતે ઠીક જણાય છે, પણ આપણે જરા વિશેષ ઊંડા ઉતરીને વિચાર કરીએ તો આપણી ખાત્રી થશે કે જે કમ નમસ્કાર સૂત્રમાં રાખવામાં આવે છે તે બિલકુલ યોગ્ય જ છે. આપણે યાદ રાખવું ઘટે કે સિદ્ધ ભગવંતે તે આપણુથી દૂર ગયા છે. તેમને જાણવાનું કે ઓળખવાનું આપણી પાસે કાંઈ સાધન નથી, સિવાય કે શ્રી અરિહંત ભગવાન અને તેમણે પ્રરૂપેલા આગમ. આ બાબતમાં આપણું ઉપર ઉપકાર કેવળ અરિહંત ભગવાનને જ છે, તેથી અરિહંત ભગવાનને પ્રથમ નમસ્કાર કરવો તે યોગ્ય જ છે. વળી સિદ્ધ ભગવાન કૃતકૃત્ય થયેલા છે, અને અરિહંત ભગવન હજુ થવાના છે એ દલીલ બતાવી તેમાં કોઈ મહત્વ સમજાતું નથી. કૃતકૃત્યપણું તે પ્રાયઃ બન્નેનું સમાન કહી શકાય, કેમકે અરિહંત ભગવાને ચોક્કસ થેડા કાળમાં સિદ્ધ થવાના જ છે માટે જે પૂર્વાનુમૂવીને ક્રમ રાખવામાં આવેલો છે તે તદન વ્યાજબી છે.
૧ જુઓ વિશેષાવશ્યા બા. ૩૨૫૧, ૩૨૧૨ ૨ જુઓ વિ. આ. ગા. ૩૨૧૩ થી ૩૨૨૧
For Private And Personal Use Only