SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૨] મી જેન સત્ય પ્રકાશ જેઓ દેશ કુલ જાતિ રૂપ આદિ અનેક ગુણોથી સંયુક્ત છે, અને ચાલતા જમાનામાં મુખ્ય હોય છે તેઓને હું નમસ્કાર કરું છું. જેઓ હમેશ અપ્રમત્ત હૈઈ રાજ કથા, દેશ કથા, ભક્ત કથા અને સ્ત્રી કથા આદિ વિકથાઓથી વિરક્ત હોય છે. કેળાદિ કષાને જેમણે સર્વ ત્યાગ કરે છે અને હમેશ ધર્મોપદેશમાં મગ્ન હોય છે એવા સમર્થ આચાર્ય ભગવાનને હું નમસ્કાર કરું છું. જેઓ પંચાચારમાં વિસ્મૃત થનારાઓને સાર ( સ્મારણ- યાદ કરાવવું), અશુદ્ધ આચરણાદિ કરનારાઓને વારણા (વારવું), અધ્યયન આદિમાં ચાયણ (પ્રેરણા), અને પ્રસંગે કઠોર વચન સંભળાવીને પણ પડિયણ કરે છે, અને આ પ્રમાણે સારણ, વારણ, એયણ અને પડિયછું કરી પોતાના ગચ્છની રક્ષા કરે છે તે આચાર્ય ભગવાનને હું નમસ્કાર કરું છું. જેઓ સૂત્રનું રહસ્ય જાણીને પરોપકાર કરવામાં તત્પર રહી તત્વના ઉપદેશનું દાન કરી રહ્યા છે તે આચાર્ય ભગવાનને હું નમસ્કાર કરું છું. સૂર્ય સમાન પ્રકાશને કરતા અરિહંત ભગવાને અને ચંદ્ર સમાન પ્રકાશને કરતાં સામાન્ય કેવલજ્ઞાની ભગવાને અસ્ત પામે તે દીપકની પેઠે જગતમાં પદાર્થોને પ્રકટ કરે છે તે આચાર્ય ભગવાનને હું નમસ્કાર કરું છું. જેના ઉપર અતિશય પાપનું આક્રમણ થઈ રહેલું છે, અને તેથી જેઓ સંસાર રૂપી મહાન અંધકૃપમાં પડી રહેલા છે તે છે જેઓ વિસ્તાર કરે છે તે આચાર્ય ભગવાનેને હું નમસ્કાર કરું છું. જેઓ નું માતા પિતા અને બાંધવા વગેરે કરતાં પણ અધિક કાર્ય સાધે છે તે આચાર્ય ભગવાનને હું નમસ્કાર કરું છું. જેઓ ઘણી લબ્ધિઓથી સમૃદ્ધ હવાથી અતિશયવાળા છે, અને જિનશાસનને દીપાવવા રાજા સરખા છે, અને ચિના હિત છે તે આચાર્ય ભગવાનને હું નમસ્કાર કરે છે. ain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521548
Book TitleJain Satyaprakash 1939 07 SrNo 48
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy