SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન સત્ય પ્રકાશ ગુ. સિદ્ધરાજ જયસિંહદેવ અપુત્રીઓ મરણ પામ્યો એટલે તેની ગાદીએ ભીમદેવ રાજાને પુત્ર ક્ષેમરાજ (હરિપાળ) તેને પુત્ર ત્રિભુવનપાળ અને તેને પુત્ર કુમારપાળ આવ્યા. કુમારપાળ વિ. સં. ૧૧૯૯ના ભાગસર સુદી ૮ના દિવસે ગુજરાતને રાજા બને. તેણે ૩૦ વર્ષ ૧ મહિને અને ૭ દિવસ રાજ્ય ભોગવ્યું, અને વિ. સં. ૧૨૨ત્ના પિષ સુદી ૧૨ના દિવસે તેનું મૃત્યુ થયું. ગુ. કુમારપાળને મહિપાલ અને કીર્તિપાલ નામે બે ભાઈ હતા. ભોપાળદેવી અને દેવી નામે બે પત્ની તથા દેવળદેવી અને પ્રેમલદેવી નામે બે બહેનો હતી. દેવલદેવીનું લગ્ન શાકંભરીના રાજા અર્ણોરાજની સાથે અને પ્રેમલદેવીનું લગ્ન મોઢારકના જાગીરદાર કૃષ્ણદેવ સાથે થયું હતું. એ કૃષ્ણદેવ-મલદેવીને મહાબળ જ નામે પુત્ર હતો. કુમારપાલને પુત્ર થયો નથી. પિતાની પછી કુમારપાળ ગાદીએ આવશે એ જાણ થતાં સિદ્ધરાજે કુમારપાળને મારવા માટે તનતોડ મહેનત કરી હતી, કિન્તુ તેમાં તેને સફળતા મલી નહીં. આ વિકટ અવસ્થામાં કઇ સ. શ્રી હેમચંદ્રસૂરિના ઉપદેશથી મંત્રી ઉદાયન અને વાગભટ્ટ, તથા આલિગ સજજન કુંભાર (સગરા), ભીમસિંહ ખેડુત, દેવસી કટુક વાણુઓ અને સિરિ બ્રાહ્મણે કુમારપાળને કિંમતી મદદ કરી હતી. કુમારપાળે પણ રાજ્ય પ્રાપ્ત થતાં તે દરેકના ઉપકારને મેગ્ય બદલે વાળી આપ્યું છે, અને પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરી છે આ સિવાય રાજ્યપ્રાપ્તિ સમયે મારકના સ્વામી (કુમારપાળના બનેવી) કૃષ્ણદેવે પણ કુમારપાળને સહકાર આપ્યો હતો, પરંતુ તેનાં અપમાન ભય વચનેથી ગુસ્સે થઈ કુમારપાળે તેને મારી નાંખ્યો હતે. સંભવ છે કે તેના પુત્ર મહાબળને યોગ્ય સત્કાર કર્યો હશે. સં. ૧૨૭૩ની શ્રીધરની દેવપત્તનવાળી પ્રશસ્તિમાં શોભના પુત્ર સચીવવલ્લે કુમારપાળને રાજ્યાભિષેકમાં સહાય કરવાનું સૂચન છે, કિન્તુ ગુ. કુમારપાળે પિતાના ઉપકારીઓની નોંધમાં (યાદીમાં) તેને યાદ કર્યો હોય કે ઇનામ આપ્યું હોય તેનું પ્રમાણ મળી શકતું નથી. શ્રી. ગો. હ. દેશાઈએ પણ તેની નોંધ લીધી નથી. સામ્રાજ્ય-નિર્માણ ગુર્જરેશ્વર કુમારપાળે પિતાના શાસનના પૂર્વાર્ધ કાળમાં અનેક યુદ્ધ કર્યા છે. આ બધાંમાં શાકંભરીને અરાજ સાથેનું યુદ્ધ બહુ જ મહત્વનું લેખાય છે. સૈન્ય ફુટી જવાથી બીજાની સહાય વિના જ-પિતે એકલાએ જ આ યુદ્ધમાં વિજય મેળવ્યો હતે. આશરે સં. ૧૨૦૦માં એટલે રાજ્યાભિષેક પછી તુરતમાં જ આ યુદ્ધ થયું હતું અને તેમાં તેની મહારાજાધીશ્વર પદની રેગ્યતા સાબીત થઈ હતી. ત્યારપછી માળવાને કહેવાય છે. (પૃ. ૧૫૦) દુર્લભરાજ જૈનધર્મને પણ માનતે હેય એમ જણાય છે (જ. ૧૫૨) જનધામ ભીમને હું મારી બહેન નહી પરણાવું.” (પૃ. ૨૮૬) બારમા ગુજરાતી સાહિત્ય સમેલન (અમદાવાદમાં)માં ઈતિહાસ અને પુણતા વિભાગના અધ્યક્ષ શ્રીમાન જિનવિજયજીના વ્યાખ્યાન ૫ ૧૧ માં ગુજરશ્વર મૂળરાજના યુવરાજ ચામુંડરાજે વિ. સં. ૧૯૩૩માં વડસમાના જિનમંદિરની પૂજા માટે આપેલ મિદા નના તામ્રપત્રનું સૂચન છે. Jain Education Internao 8 બ ને. હા. દેશાઈ ત ગુજરાતને પ્રાચીન ઇતિહાસ ૫. ૧૮૫ એ. www.jainelibrary.org
SR No.521545
Book TitleJain Satyaprakash 1939 04 SrNo 45
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1009 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy