SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ { ૫૪ } શ્રી જૈન સત્ય પ્રકાશ [ r વાદમાં વાસ્તવિક રીતિયે શુષ્કવાદ અને વિવાદ એ બન્ને પ્રકારના વાદ, વાદાભાસ તરીકે– અતઃ વાદના વિકૃત સ્વરૂપે-જિજ્ઞાસુઓને કંટાળારૂપ બને છે. એટલે આ એ વાદના યેગે જ આજે જગતની ચેમેર સાચે તત્ત્વવાદ દૂષિત બન્યા છે. આજની આપણી આન્તરિક પરિસ્થિતિ વિશેષ દુ:ખદ છે. આજે આપણે વાદના સ્વરૂપથી અવળી દિશાએ દૂરના દૂર ઉતરી પડયા છીએ. આજે આપણા સમાજમાં બે વર્ગો નજરે પડે છે. એક વ સિદ્ધાન્તને માને છે, પ્રામાણિક મતભેદને ક્ષન્તવ્ય સ્વીકારે છે, વાદની મહત્તાને કબૂલે છે, પણ વાદના નામે કેટલીક વેળાએ શુષ્કવાદ અને વિવાદના કાષ્ટ પ્રકારમાં અટવાઈ જઇ, તત્ત્વવાદ જેવા ઉપકારક વાદના નામે વસ્તુના મૂલ્યને, સિદ્ધાન્તના પ્રેમને જગતમાં તદ્દન કંગાલ દશામાં આણી મૂકે છે. બીજો વર્ગ એ છે કે જેને સિદ્ધાન્ત જેવું કાંઈ રાખ્યું જ નથી; પ્રામાણિક મન્તવ્યભેદમાં જેને કાંઈ સત્ત્વ માન્યું જ નથી. આ વર્ગ શુષ્કવાદ યા તેવાજ પ્રકારના વાદના વિકૃત સ્વરૂપના લાંબા પીંજણુ કરી, જગતને સિદ્ધાન્તથી ચલિત કરવાને તૈયાર અને છે. એટલે આ પ્રકારના બન્ને વર્ગના ઘેાડાક સેળભેળ વાતાવરણથી આપણે એ પરિસ્થિતિમાં આવી પડીએ છીએ કે જેના મેગે કેટલીક વેળાએ આપણને એમ લાગે છે કે ‘સિદ્ધાન્તના નામે તે વળી આ વાદવિવાદ શા ?’ ‘આવા ઝઘડા તે વળી હતા હશે ? અને આપણે એ સિદ્ધાન્તના પ્રેમને, કદાગ્રહ અને ખેંચપકડ માનવાને તૈયાર બનીએ છીએ. વળી જ્યારે, સિદ્ધાન્તના પ્રામાણિક આગ્રહના અંગે થતા વાદ્ય વિષેના ભૂતકાલીન ઇતિહાસના વર્ણન વાંચીએ કે સાંભળીએ ત્યારે આપણને સ્હેજે તેવાં વર્ષોંને નીરસ અને ઝધડાભર્યાં લાગે છે; તેમજ તેવી રીતિયે સિદ્ધાન્તને માટે, નિી કતાથી ઋજુભાવે વાદ કરવાને તૈયાર, આપણા પૂર્વકાલીન પ્રભાવક પુરેષાને “નકામા ઝઘડા કરનારા અને અનુદાર' કહેવાને આપણે લલચાએ છીએ. પશુ વાદના સાચા સ્વરૂપ વિષે આંગળી ચીંધતા કહેવું જોઇએ કે આ આપણા એક હિમાલય જેવડી મહાન ભૂલ છે. આપણી ચેમેરની પરિસ્થિતિનું આ એક અનિષ્ટ પ્રતિબિમ્બ છે. જો સિદ્ધાન્ત કે તત્ત્વજ્ઞાન વિષેની ભૂખ રહેજે ઉધડી હોય તેા પૂર્વકાલીન યા વર્તમાનકાલીન તત્ત્વવાદો કે ચર્ચાએ આપભુતે નીરસ લાગે જ કેમ ? પણવમાનના અનાત્મ વાતાવરણે, આપણી આન્તર પરિસ્થિતિમાં જબ્બર પલટા આપી છે, આપણી તત્ત્વચર્ચાની ભૂખ દબાઈ ગઈ છે, એટલે જ તત્ત્વચર્ચાના મિષ્ટ ભેજના, આપણી મન્દમલ હાઝરીને અનુકૂળ અને પોષક નથી બનતા. એટલે પરિણામ એ આવે છે કે આપણે વાદ અને ચર્ચાના નામથી ડરીએ છીએ, અથવા તો તેવી પરિસ્થિતિમાં ચૂપ જ બેસી રહેવાનું આપણને પસંદ પડે છે. શુષ્કવાદ અનકારક છે. કહેવું જોઈએ કે, આપણી આ વર્તમાન પરિસ્થિતિ માટે આપણુ સિદ્ધાન્તવિહાણુ વાતાવરણ જેટલું જવાબદાર છે, તેટલું જ જવાબદાર વાદાભાસ તરીકે પ્રસિદ્ધ શુવાદ પણ છે. શુષ્કવાદ એટલે નીરસ–ધ્યેય વહાણેા વાદ. ન એ વાદમાં સિદ્ધાન્ત હેાય છે કે ન પ્રામાણિક મતભેદ. ક્રૂક્ત હું કાંઇ જાણું છું એ અભિમાન પૂર્વક, સામા સમથ પ્રતિભાશાળીને પી`ખી નાખવાની ખરી તેમમાંથી જ • 7 આ For Private & Personal Use Only વાદનુ ઉત્થાન છે. Jain Educato International www.jainelibrary.org
SR No.521544
Book TitleJain Satyaprakash 1939 03 SrNo 44
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size862 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy