SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જન સત્ય પ્રકાશ - - -- = = = આ ઉપરથી જેવાશે કે શબ્દ વ્યુત્પત્તિશાસ્ત્રના નિયમ મુજબ આચારાંગ સૂત્રના વિવાદગ્રસ્ત પાઠમાંના મંસ અને મચ્છ શબ્દોના અર્થે માંસ અને “મસ્યા છે. આ માંસાહારના નિષેધની સાથે આ અર્થની સંગતિ કરવી બાકી રહે છે. કદાચ એમ માની લઈએ કે ઐતિહાસિક સમયમાં માંસાહારને જેટલે અંશે નિષેધ કરાવે છે તેટલે અશે એને નિષેધ પ્રાચીન સમયમાં નહિ હેય, તે પણ એમ તે આપણે માની શકીએ તેમ નથી કે કોઈ પણ કાળે જૈન સાધુ એમ સ્પષ્ટપણે કહે કે હું માંસ અને મત્સ્ય લેવા તૈયાર છું. જે આપણે વિવાદગ્રસ્ત પાકને અક્ષરશઃ અર્થ કરીએ તે આપણે આ નહિ માનવા જેવી વાત પણ સ્વીકારવી પડશે. આવી પરિસ્થિતિમાં હું પતંજલિકૃત મહાભાષ્ય અને ન્યાયસૂત્રના ઉપરની વાચસ્પતિકૃત તાત્પર્ય મીમાંસાના આધારે નીચે મુજબ તાગ કાઢી શકું છું પતંજલિ તેમજ એમના પછી ઓછામાં ઓછા ૮૦૦ વર્ષે થયેલા વાચસ્પતિએ, જેમાં મોટા ભાગ ત્યાજ્ય હેય એની સાથે નાન્તરીયકત્વ ભાવ ધારણ કરનારા પદાર્થ તરીકે મત્સ્યનું ઉદાહરણ આપ્યું છે. કેમકે મત્સ્ય એવી વસ્તુ છે કે જેનું માંસ ખાઇ શકાય છે, પરંતુ એના કાંટા વગેરે ખાઈ શકાતા નથી. આચારાંગના વિવાદગ્રસ્ત પાઠમાં આ ઉદાહરણરૂપ પ્રગને ઉપયોગ કરાયેલ છે. એટલે કે મંસ અને મચ્છને અત્ર આલંકારિક અર્થ કરવાનું છે. આ પાઠનું નિરીક્ષણ કરતાં અહીં આ અર્થ કરે વિશેષ અનુકૂલ જણાય છે, કેમકે બહુ અસ્થિવાળું માંસ તમે લેશે એમ ગૃહસ્થ સાધુને પૂછે છે ત્યારે તેઓ એમ કહે છે કે બહુ અસ્થિવાળું માંસ લેવું અને કલ્પ નહિ. હવે જે ગૃહસ્થ ખરેખર માંસ આપવા માંડયું હેત તે સાધુ એમ જ કહેત કે એ મને નહિ જોઈએ, કેમકે હું માંસાહારી નથી, પરંતુ આમ ન કહેતાં તેઓ એમ કહે છે કે બહુ અસ્થિમય માંસ મને ખપે નહિ, જે તમારે મને આપવું હોય તે મને બને એટલે અંશે પુગ્ગલ આપે, પરંતુ અસ્થિ નહિ. અહીં એ વાત તરફ ખાસ ધ્યાન ખેંચવું ઉચિત સમજાય છે કે ગૃહસ્થ આપવા મોડેલ વસ્તુને નિષેધ કરતાં સાધુ પ્રચલિત ઉદાહરણરૂપ થઈ પડેલ બહુ કંદમય મોસનો પ્રયોગ કરે છે , પરંતુ તેઓ ભિક્ષા તરીકે શું ગ્રહણ કરી શકે તે સૂચવતી વેળા આ આલંકારિક પ્રયોગ ન કરતા વસ્તુવાચકે પુગલ શબ્દનો પ્રયોગ કરે છે. આમ ભિન્ન શબ્દ વાપરવાનું કારણ એ છે કે પ્રથમ પ્રાગ આલંકારિક છે અને તે ગેરસમજ ઉત્પન્ન કરે તે છે એમ તેઓ જાણે છે. “આથી વિવાદગ્રસ્ત પાઠને અર્થે હું એ કરું છું કે જે પદાર્થોને છેડેક ભાગ ४. कश्चित् मांसार्थी मत्स्यान् सशकलान् सकण्टकान आहरति नारत रोयकत्वात् स यावदादेयं तावदादाय शकलकण्टकानि उत्कृजति। ५. तस्मान्मांसा व कण्टकान् उद्धृत्य मांसमश्नन्नानर्थ कण्टकजन्यमाan emalonતજો લાવા સુરક્ષિત છે તinarayan
SR No.521543
Book TitleJain Satyaprakash 1939 02 SrNo 43
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages64
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy