SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૧૦ શ્રી જૈન સત્ય પ્રકાશ _ [વર્ષ : ૩ વનસ્પત્યાહારમાં અગત્યનો ભાગ ભજવાયા પહેલાં, જેમાં માંસાહાર છુટથી થતો હતો, અને તેને પ્રતિબંધ ન હતો. ૪ પ્રભુ મહાવીરે માંસાહાર કર્યો હતો. ૫ પ્રાચીન ટીકાકારે માંસ શબ્દને અર્થ માંસ જ અને માછલી શબ્દનો અર્થ માછલી જ કરેલ છે. ૬ પ્રાચીન ટીકાકારે ભલે વનસ્પતિ અર્થ કર્યો હોય, છતાં પણ કેઇક પ્રાચીન ટીકાકારની ટીકામાંથી માંસ અર્થ મળી શકતો હોય તે તે જ અમે કાયમ રાખેલ છે. પ્રથમ સારાંશને જવાબ– જૈનદર્શન એ નિવૃત્તિપ્રધાન અજોડ દર્શન છે, જેનું અણહારી પદ-એક્ષ-એ અવિસ્મરણીય લક્ષ્ય છે. આ દર્શન કદાપિ કઈ પણ પ્રકારના આહારપ્રચારમાં અગ્ર ભાગ ભજવી શકે જ નહિ. પરંતુ જેઓ આહાર સિવાય રહી શક્તા નથી, તેઓ આહાર તે જરૂર લેશે. આ આહાર અવ્યવસ્થિત રીતે જે લેવાય તે મહાહિંસામય આહાર લઈ દુર્ગતિના ભાગી બની જાય, આવી પરિસ્થિતિમાં દુર્ગતિથી બચાવવા પૂરતું જણાવી શકે છે કે વનસ્પતિને નિરવા આહાર મળી શકે છે, તેનાથી નિર્વાહ કરી આગળ વધશે નહિં. એવી જાતને ઉપદેશ જૈનધર્મે પિતાના ઉદય સમયે જતો કર્યો નથી. એટલું જ નહિ પણ જોરશોરથી ચાલુ રાખેલ છે. વર્તમાન શાસનમાં જૈનધર્મને ઉદયકાળ પરમાત્મા મહાવીરને સમય હતે. જ્યારે પ્રભુ મહાવીર, પ્રજ્ઞાસમુદ્ર ગણધર ભગવ, ચેદ હજાર શ્રમણે, છત્રીસ હજાર શ્રમણીઓ, પ્રતિમાધારી આનન્દ પ્રમુખ શ્રમણે પાસ અને સુલભા પ્રમુખ શ્રમણે પાસિકાએ અનેક લક્ષ પ્રમાણમાં અસ્તિત્વ ધરાવતાં હતાં. એ સમયના આગમમાં ઉપર જણાવેલ ઉપદેશ અખૂટ ભર્યું હતું, જે વિધમાન આગમમાં સ્પષ્ટ જોઈ શકાય છે. દ્વિતીય સારાંશને જવાબ–જનધર્મે પિતાના ઉદય સમયે જે ઉપદેશ વરસાવ્યો અને મેં તેનાથી અધિક ઉપદેશ અધાદિ કોઈ પણ વરસાવવા કે ગુંથવા સમર્થ થયેલ નથી. કારણકે તીર્થકર દેવ જેવા જ્ઞાનદિવાકર દ્વાદશાંગીના ઉપદેશક હતા, અને સક્ષરસન્નિપાતી ગણધર ભગવન્ત જેવા શ્રુતકેવલી ગુંથનહાર હતા. તૃતીય સારાંશને જવાબ-લેખકના અભિપ્રાય પ્રમાણે વનસ્પત્યાહારના પ્રચારમાં અગત્યનો ભાગ ભજવાયા પહેલાંનો કાળ પ્રભુ મહાવીરથી માંડીને વિવાદગ્રસ્ત પાઠના આદ્ય ટીકાકાર સુધી સહેજે કહી શકાય. આ કાળમાં જેનોમાં માંસાહાર છુટથી થતો હતો, અને પ્રતિબંધ ન હતે આવું જે લખવું યા સૂચવવું તે નિબિડ અજ્ઞતાને આભારી છે. પ્રભુ મહાવીરના કૈવલ્ય જીવનથી જીવત દશામાં વર્તતા, તે કાલ સુધીના હાણાગાદિ અનેક આગમોમાં માંસાહારને પુનઃ પુનઃ ધિક્કારી નરકાદિ ઘોર દુઃખના સાધન તરીકે વર્ણવેલ છે. આ હકીકત વિદ્યમાન આગમમાંથી દીવા જેવી જઈ શકાય તેમ છે. ચતુર્થ સારાંશને જવાબ–ભગવાન મહાવીર કે જેઓ ધીર, વીર, ગબ્બીર, દયાના સાગર, ઘોર તપવી, નિડર અને અનેક નિરવદ્ય ઔષધના જ્ઞાતા હતા. અને ધર્મને માટે કોઈની પણ પરવા ન રાખતા, તેઓ માંસાહાર કરી શકે જ નહિ અને કરેલ પણ નથી. આ વિષયમાં લેખકને પણ એક જ પાઠ મળેલ છે, વધારે મળી શકવાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521543
Book TitleJain Satyaprakash 1939 02 SrNo 43
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages64
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy