________________
અંક ૫]
વિરાટ નગરીને પ્રાચીન શિલાલેખ
[ ૩૫ !
(૧૬) તેની સ્ત્રી જરીનો તેને પુત્ર સં૦ વિમળદાસ, અજયરાજની બીજી પત્નીનું નામ નગીનાં છે. ઇન્દ્રરાજના બીજ નાના ભાઈનું નામ સં યામીદાસ (બીજા લેખ પ્રમાણે ઘાસીદાસ એ તેનું બીજું નામ હશે.) તેની સ્ત્રી અખંડત છે.
(૧૭) પ્રારંભમાં કાં વંચાય છે તે તેની સ્ત્રીનું નામ હશે. તેને પુત્ર સં. જગજીવન (બીજા લેખના આધારે જીવન પણ તેનું નામ હશે) તેની મી મેતી (મૂલમાં મોતનું નામ છે.) તેને પુત્ર સં૦ કરાભાઈ અને બીજા પુત્રનું નામ (સ્વામીદાસના બીજા પુત્રનું નામ) સં ચતુર્ભુજ વગેરે સમસ્ત કુટુંબ સહિત.....ખંડિત છે.
(૧૮-૧૯) પ્રારંભમાં ‘ઈરાટ છે પરંતુ પ્રથમની પંકિતના ખંડિત પાઠ સાથે મેળવતાં વઈરાટ થાય છે. આ વેરાટ નગરને અધિકાર ધારણ કરતા (અધિકારી) સંદ ઈઝરાજે પોતાના પિતાના નામથી પાષાણુની શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા રી રી મથની એક જાતની ધાતુની (પંચ ધાતુની) પિતાના નામની ચંદ્રપ્રભુજીની પ્રતિમા અને પિતાના ભાઈ અજયરાજના નામથી શ્રી ઋષભદેવ પ્રભુની પ્રતિમા, આ ત્રણ પ્રતિમાઓ સહિત મૂલનાયક શ્રી વિમલનાથ પ્રભુનું બિંબ–પ્રતિમા.
(૨૦) પિન કલ્યાણ માટે ઘણું દ્રવ્ય ખર્ચીને બનાવેલ શ્રી. ઇન્દ્રવિહાર જેનું બીજું નામ મહદયપ્રાસાદ છે તેમાં પ્રતિષ્ઠા કરી.
(૨૧ થી ૨૩) પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય શ્રી હીરવિજયસૂરીશ્વરજીના પૂર્વના ત્રણ આચાર્યોનું વર્ણન છે. જેનો સાર એ છે કે તપાગચ્છમાં શ્રી હેમવિમલસૂરિની પાટે મહાપુણ્યશાલી ગુરૂઆઝાપૂર્વક, કુમાર્ગમાં પડતા જતુઓને બચાવવા જેમણે સાધુ માર્ગનો ક્રિોદ્ધાર કર્યો છે એવા આણંદવિમલસૂરિજી થયા. તેમની પાસે મહાપ્રતાપી શ્રી વિજયદાનસૂરિજી થયા તેમની પટે
(૨થી ૩૧)શ્રી હીરવિજયસુરીશ્વરજીની પ્રશંસા અને સંક્ષિપ્ત કાર્યવાહિને ઉલ્લેખ છે. ( વિજયદાનસૂરિજીની પાટે ) સુર્ય સમાન પ્રતાપી અને પિતાની વચનચાતુરીથી બાદશાહ અકબરને ચમત્કૃત-આકર્ષિત કર્યો હતો. તે સમ્રા, અકબર કાશ્મીર કામરૂ મુલાન કાબીલ બદકમાં ઢીલી (દીલ્હી) મરુસ્થલી (મારવાડ), માલવમંડળ માળવા) વગેરે અનેક દેશોને ઉપરી ચૌદ છત્રપતિ રાજાઓથી સેવિત હુમાયુપુત્ર અકબર કે જેણે સૂરિજીના ઉપદેશથી આગળ જણાવેલા દિવસોમાં પિતાના સમસ્ત રાજ્યમાં અમારી પડાવી હતી, સૂરિજીને પિતાને પુસ્તક ભંડાર અર્પણ કર્યો હતો, સૂરિજીના ઉપદેશથી બદીઓ છેડયા હતા, સર્વત્ર પ્રખ્યાત જગદગુરૂ બિરૂદ (સુરિજીને) આપ્યું હતું. તેમ પ્રશસ્તિતા નિસ્પૃહતા .સવિતા અને યુગપ્રધાનના આદિ ગુણે વડે શ્રી વાસ્વામી આદિ પૂવયાનું અનુસરણ કરનાર, પછી ૨૧ વાર શ્રી શ્રી શ્રી એ શ્રી હીરવિજયસૂરીશ્વરજીએ પોતાના શિષ્યો
(૩૧ થી ૩૮) પ્રતિષ્ઠા કરાવનાર મહોપાધ્યાય શ્રી કલ્યાણવિજયગણનો પરિચય
છે. તેઓ સૌભાગ્ય વૈરાગ્ય આદિ ગુણોથી શોભતા છે, ગુરૂઆશા પાલવામાં સદાય તત્પર Jain Educatioછે, અનેક સ્થાનોએ ઉત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવી છે. સુંદર મહાન વ્યાખ્યાતા છે.
www.jainelibrary.org