SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯૨] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ : * મહાશ્રાવક સુરાદેવ વારાણસી નગરીમાં સુરાદેવ નામના એક ગૃહસ્થ રહેતા હતા તેમને ધન્યા નામની સ્ત્રી હતી. આ સુરાદેવને કાનદેવના જેટલી દ્રવ્ય સંપત્તિ અને ગોકુલે હતાં. એક દિવસ પ્રભુ શ્રી મહાવીરની દેશના સાંભળીને આનંદાદિ મહાશ્રાવકની માફક પ્રભુની પાસે તેમણે બાર વ્રત અંગીકાર કર્યા. આ વ્રતનું ઉલ્લાસથી આરાધન કરતાં, ઉપસર્ગના પ્રસંગે પણ તેણે ધર્મને રંગ છોડે નહીં. એમને ત્રણ પુત્રો હતા. જેમ કામદેવ શ્રાવકના પ્રસંગે બન્યું હતું, તેમ અહીં પણ એક વખત એમ બન્યું કે—કઈ મિથ્યાદષ્ટિ દેવે તેમના ત્રણ પુત્રને મારી નાંખવાની ધમકી આપતાં કહ્યું: “હે સુરાદેવ, તું આ ધર્મને છોડી દે.” છતાં પણ શ્રીસુરાદેવ લગાર પણ ચલાયમાન થયા નહિ. ત્યારે દેવે કહ્યું “હે સુરાદેવ, હજુ પણ તારે જીવવાની ઇચ્છા હોય તે જલ્દી આ ધર્મને છોડી દે, નહિ તે હું તારા શરીરમાં સેળ મહારગ ઉત્પન્ન કરીશ, જેથી તારે ઘણી વેદના ભોગવવી પડશે, અને તેથી તારે બહુ રીબાઈ રીબાઈને મરવું પડશે.' દેવનાં આ વચન સાંભળીને શ્રી સુરાદેવે કલાહિલ કર્યો જે સંભાળીને તેમની સ્ત્રી બન્યા આવી પહોંચી. તેણીએ તમામ ખુલાસો કર્યો, જેથી સુરાદેવ સ્વસ્થ બન્યા. અહીંથી આગળની બીના શ્રી કામદેવની માફક જાણવી. શ્રી સુરાદેવે શ્રાવકની અગિયારે પ્રતિમા વહન કરીને અતિમ સમયે શ્રી આનંદાદિની માફક સલેખનાદિ કરવા પૂર્વક સમાધિમરણે મરણ પામી સૌધર્મ દેવલોકના અરૂણકાંત નામના વિમાનમાં દેવતાઇ ઋદ્ધિ મેળવી ત્યાંનાં દેવતાઈ સુખ ચાર પલ્યોપમ સુધી ભોગવીને ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુલમાં જન્મ પામી, અવસરે સંયમાદિની સાધના કરી પરમાનન્દમય ક્ષસુખને પામશે. ૫ મહાવક ચુલશતક શ્રી આલંભિકા નગરીમાં ચુલશતક નામના એક સંગ્રહસ્થ રહેતા હતા. તેમને બહુલા નામે સ્ત્રી હતી. શ્રાવક કામદેવની માફક તેમને ધનસંપત્તિ ગોકુલ વગેરે હતાં. પ્રભુશ્રી મહાવીરદેવની પાસે તેમણે ત્રત અંગીકાર કર્યા હતાં અને શ્રાવકની અગિયારે પ્રતિમાઓ વહન કરી હતી. ચુલન પિતાને જેમ ઉપસર્ગ થયું હતું તેમ અહીં પણ તેમ થયું હતું, તેમાં તફાવત એટલે હતે કે–આને ધર્મથી ચલિત કરવાને માટે પરીક્ષક દેવે તેના પુત્રને ઉપસર્ગ કર્યો હતો એટલે દેવે પુત્રને મારવાની ધમકી આપી હતી. પણ તે ચલાયમાન થયા નહિ. છેવટે દેવે કહ્યું: “હે યુદ્ધશતક, જે તું આ ધર્મને નહિ છોડે તે તારી અઢાર ક્રોડ સેનયા પ્રમાણુ તમામ લક્ષ્મીને આ નગરીના ચૌટા આદિ સ્થલે વિખેરી નાંખીશ. જે જોઈને તેને ધણું આ રૌદ્રધ્યાન થશે, અને અસમાધિ મરણ થશે.” આ પ્રસંગે ચુલશતકે કોલાહલ કર્યો, જે સાંભળી તેમની સ્ત્રી બહુલાએ આવીને સત્ય બીના જણાવી જેથી તે શાંત થયા. બાકીની બીના શ્રી આનંદાદિની માફક જાવી. અનિમ સમયે શ્રાવક યુદ્ધશતક સમાધિ મરણ પામી સૌધર્મ દેવકના અરૂણસિદ્ધ વિમાનમાં દેવપણે ચાર પલ્યોપમના આયુ વાળા દેવ થયા. ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. ૬ મહાશાવક કુંડલિક કાંપિલ્યપુરની અંદર કંડકલિક નામના એક સદગૃહસ્થ રહેતા હતા. તેમને પુષ્પમિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy