________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થસ્થાનો સંબંધી કંઈક
લેખકઃ—શ્રીયુત મેહનલાલ દીપચંદ ચેકસી આજ કાલ કઈ કઈ સ્થળે એવી વાત સંભળાય છે કે તીર્થસ્થળે માટે શા સારૂ તગડા કરવાના હોય ! એને લગતા કેસ પાછા લાખો રૂપીમાનું પાણી કરવાથી શું લાભ? દિગંબર બંધુઓ પૂજા કરે એમાં શું બગડી જવાનું હતું ? પૂજા માટે તકરાર કરવાપણું હેય જ નહીં. વળી દિગંબર સંપ્રદાય અનુસારનાં જુદાં તાં હેવા છતાં ઘણાં ખરાં રથાને કેવલ વહીવટમાં ભાગ પડાવવાની વૃત્તિથી જ ખટલા ઉભા કરાયેલા છે. ઉભય સંકદાયના એ સંબંધી ગ્ર વાંચવાથી તેમજ વિધમાન પરિસ્થિતિ સાથે તુલના કરવાથી એ વાત દીવા જેવી સ્પષ્ટ જણાય તેમ છે કેટલેક વર્ગ ગરમીની મોસમમાં હવાખાવાના સ્થળોમાં જાય છે ને શાંતિ મેળવવા પ્રયાસ સેવે છે. એ વર્ગ આ વૃત્તાન્ત વાંચશે તે સહજ સમજશે કે જન તીથોને મોટા ભાગ પહાડ ઉપર આવેલો છે, એટલે એની શુદ્ધ હવા માટે શંકા ધરવાપણું નથી. વળી ત્યાં જવાથી જે શાંતિ અનુભવાય છે એવી અન્યત્ર લાભવાને સંભવ નથી. એ હેતુ લક્ષમાં રાખી તીર્થસ્થળ વિષે કંઈક કહેવાનો આરંભ કરું છું.
તીર્થો વિષે–પર્વોની માફક તીર્થો પણ આત્માને પ્રગતિના માર્ગે આગળ વધવામાં સવિશેષ મદદ કર્તા છે. “તારે તે તીર્થ” એ વ્યાખ્યા તેથી જ યથાર્થ છે. દરેક તીર્થની સ્થાપનામાં કંઈ ને કંઈ જુનો ઈતિહાસ સંકળાયેલા હોય છે. આજની શેધ કે ઉપલબ્ધ થતાં સાધનથી ઘણાંખરાં તીર્થોના સંબંધમાં એ વાત પુરવાર થઈ ચૂકી છે. એ સંબંધી વિસ્તારથી અવકન કરવા માટે અહીં સ્થાન નથી, છતાં સામાન્ય સ્વરૂપ વિચારી જવાની લાલસાને થોભાવી ન જ શકાય.
અન્ય દર્શનીઓનાં તીર્થો માફક જૈન તીર્થો ખાસ કરીને નદીકાંઠે કે દરિયાકિનારે આવ્યાં નથી. મોટા ભાગે એ તીર્થો રષ્ટિની સપાટીથી ઉંચા વધતા પ્રદેશમાં એટલે કે ડુંગર કે પર્વત પર રથપાયેલો છે. આથી દુનિયાના વાતાવરણની કે જનતાની ધમાલની અસર ત્યાં પહોચી શતી નથી. આથી જ એવાં સ્થળનું વાતાવરણ અધાપિ પર્યત શાંત ને મનરમ રહેલ છે. એમાં કુદરત પિતાને ફાળે ખપે છે. એટલે જેનતીર્થો નિવૃત્તિનાં ધામ છે એમ કહીએ તે એમાં અતિશયોકિત જેવું ન ગણાય રમણીય પર્વત પ્રદેશને પસંદગી આપવામાં જૈનધર્મના પૂર-ગામીઓએ અલબત દીર્ઘદર્શિત અને બુદ્ધિ કૌશલ્ય દાખવ્યું છે. આત્મિક ઉન્નતિના નિમિત્ત ભૂત શાંતિ-નિવૃત્તિને સુગ મેળવવા ઉપરાંત જગતની દેધામ અને પ્રવૃત્તિને દૂર ફેંકી દીધી છે. એ રીતે પુદ્ગલાનંદપણને અને જડતાને ખંખેરી નાંખી છે એમ કહીએ તે ચાલે. “અંતિપરિવાથ” જે પ્રસંગ પણ તેથી ઉપસ્થિત થતો નથી.
તીર્થસ્થાપનમાં શા શા હેતુઓ સમયલા છે એ તરફ જરા દૃષ્ટિ ફેંકી આગળ વધીએ. જૈનધર્મમાં તીર્થકરે જ્યાં ઉપન્યા હોય, કેવળ્યુ પામ્યા હોય અને જે સ્થાને સિદ્ધિને વર્યા હોય એ સર્વ સ્થાને તીર્થરૂપ ગણાય છે. એ રીતે વિચારતાં તાર્યની સંખ્યાનો
For Private And Personal Use Only