SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દુર્લભ પંચક [ શાંતિનાથજન અને શાખદાન–મુનિદાનનું વિવરણ લેખક— આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપદ્મસૂરિજી Acharya Shri Kailassagarsuri Gyanmandir રાત્રુન્નય : શિવપુર, નફો રામુ(મિધા || શ્રીરાાંતિ: શમિનાં વાન, રાજારા: પદ્મ મુર્ત્તમા : ||૨|| પરમતારક પૂજ્ય શ્રી. તીર્થંકર દેવેએ આરંભ સમારભમય વિવિધ પ્રવૃત્તિઓથી ભરેલા પ્રવૃત્તિમય જીવન કરતાં નિવૃત્તિમય જીવનને મુક્તિપદ મેળવવાનાં અનેક સાધનેમાં ઉત્તમ સાધન તરીકે ફરમાવ્યું છે. એ તો અનુભ સિદ્ધ છે કે પ્રવૃત્તિનાં લાભાદિ સાધનાને દૂર કરીએ અને પરમ પ્રભાવશાલી શ્રી. તીર્થ સેવાદિ ઉત્તમ સાધના સેવીએ તે જ નિવૃત્તિમય જીવન પામી શકાય. આવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી પૂર્વાચાર્ય ભગવંતાએ જેમ દશ દૃષ્ટાંતે મનુષ્ય ભવની અને તેમાં પણ-અનુક્રમે ધમશ્રવણ, શ્રદ્ધા, સયમ, અને તેની સાધનામાં આત્મિક વ ફેારવવું -આ ચારની દુલભતા જણાવી છે, તેવી જ રીતે પાંચ શકાર ( જે પદાર્થ વાચક શબ્દનો શરૂઆતમાં ‘શ' આવે તેવા પાંચ પદાર્થો )ની દુર્લભતા જણાવી છે. સમજવાનુ એમ છે કે-મહાભાગ્યોદયે કાયમની નિવૃત્તિને આપનાર આ પાંચ મળી શકે છે. તે પાંચ અને તેમનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું: ૧ શત્રુંજય, ૨ શિવપુર-મેાક્ષ, ૩ શત્રુજયા નદી, ૪ શાંતિનાથ પ્રભુનુ પૂજન અને ૫ શમિ-મુનીઓને દાન. ૧-શત્રુંજય તીર્થ—જે દ્વારા સંસારસમુદ્ર તરી શકાય તે તીથ કહેવાય. તેના ચાર ભેદ આ પ્રમાણે સમજવાઃ— (૧) નામ તીર્થં—કાઇનુ તીર્થ એવું નામ પડીએ તે પુરૂષ, નામ નિક્ષેપની અપેક્ષા (નામનુ) તીર્થ કહેવાય. (૨) સ્થાપના તીર્થં—તીના નકશા, જેમ શ્રી. શત્રુંજયાદિ તીતા પટ્ટ છઠ્ઠી વગેરે, (૩) દ્રવ્ય તીર્થં—1 ( અન્ય ધાર્મિક ) જેને તીર્થં તરકે સ્વીકારે છે, એવા લૌકિક તીથ, કે જેઓ, બાહ્ય મલને દુર કરે પણ આંતર મેલ ( કથી થયેલી જીવની મલિનતા )ને દુર કરી શકે નિહ. (૪) ભાવ તીર્થં~~સકલ કમલને દુર કરી દે મુકિત સુધીના પણ લાભ આપવાને સમ ડાય એવા અનંત તીર્થંકર ગણધર સમલકૃત શ્રી. શત્રુજય વગેરે પવિત્ર તીર્થ, કલ્યાણકભૂમિ વગેરે પવિત્ર લો. શ્રુતકૅવલિ ભદ્રબાહુ સ્વામી પૂજ્ય શ્રી, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણુ મહારાજે તથા For Private And Personal Use Only
SR No.521532
Book TitleJain Satyaprakash 1938 05 06 SrNo 34 35
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy