________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક 9 ! વાધ્યાય [35] પણ તાબેદારી કરવાની ન હોય તેવી આમિક ઋદ્ધિની ધમાં તેણે પિતાના એક વખતના વિલાસપ્રેમી દેહને ડી દીઘો ! આત્માએ પુદ્ગલ ઉપર વિજય મેળવ્યો ! - શાલીભદ્રની પાર્થિવ ઋદ્ધિ ઈચ્છનાર આપણે તેની સાચી ઋદ્ધિને ચાહતા કયારે થઈશ ? મહાપુરૂષનો ઋણ સ્વીકાર 1444 ગ્રંથ રચ્યાની જેમની ખ્યાતી છે તે મહાધૂરંધર આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી જન્મ બ્રાહ્મણ હતા. તેઓ ચિત્રકૂટમાં રહેતા હતા. તેઓ ધંધે રાજપુરોહિત હતા અને તેમના પડિત્યને કંઇ પાર ન હતું ચાર વેદ, તમામ ઉપનિષદ અને અઢાર પુરાણના તે પારંગત હતા. બ્રાહ્મણ ધર્મ-શાસ્ત્રાનું કઈ પણ અંગ એમનાથી અજાણ્યું ન હતું. વાદ કરવામાં કે તેમની તળે ન આવતું; સૌ કોઈ એમની અપાર શકિતને રવીકાર કરતું. અનેક વિધાર્થીઓની તેમની પાસે અધ્યન કરતા અને તે વખતના વિદ્વાનમાં તેમનું પ્રથમ સ્થાન ગણાતું. જનધર્મને પણ આ ઉત્કર્ષભર્યો સમય હતો. ઠેરઠેર તેના ધર્મપ્રચારકો પિતાને ઉપદેશ આપતા હતા. આ વખતે કોઈ અકળ સંયોગે હરિભદ્રને યાકિની નામક એક જન મહત્તરા-ગુરૂણી સાથે પ્રસંગ પડયો. એક ગાથાને અથે પોતે જે રીતે સમજતા હતા તેનાથી જુદી અને સાચી રીતે યાકિની મહત્તા બે તેમને તે ગાથાનો અર્થ કરી બતાવી સાચા ધન ને મર્મ સમજાવ્યો. - હરિમંદ્ર સાચા વિદ્વાન હતા. વિદ્રત્તાના મિથ્યા અભિમાને તેમના અતઃકરણને અવરી નહેતું લીધું. તેમને પોતાની ભૂલ અને સાચી વસ્તુ સમજતાં વાર ન લાગી યાકિની મહત્તરાએ ઉપદેશેલ બોધ તેમના હૃદયમાં તરત ઉતરી ગયા. તેમણે જનધર્મને સ્વકાર કરી પંચ મહાવ્રત અંગીકાર ક્યાં અને આત્મમાર્ગનું શોધન કરવા લાગ્યા. પિતાને લાધેલા આત્મદર્શનના ભાગનું મારું શ્રેય યાકિની મહત્તરાનું હતું તે વાત તે જાણતા હતા. અને તેથી એ સણને સ્વીકાર કરવા માટે તેમણે પોતાની જાતને અવિનામદત્તધર્મન્નુઃ (યાકિની મહત્તાના ધર્મપુત્ર) તરીકે ઓળખાવી ! આજે પણ જ્યાં જ્યાં હરિભદ્રસૂરિજીનું નામ મળે છે ત્યાં ત્યાં બીજાં વિશેષણો હોય કે ન હોય પણ ઉપરનું વિશેષણ તે મેટે ભાગે અવશ્ય મળે છે. न हि कृतमुपकारं साधवो विस्मरन्ति / મહાકવિની અજબ શક્તિ બારમા સૈકાની આ વાત છે. તે વખતે ગુજરાતમાં મહારાજા સિદ્ધરાજનું રાજ્ય તપતું હતું. નવા નવા દેશોના વિજયથી ગુજરાતના સમૃદ્ધિ દિન પ્રતિદિન વધતી જતી હતી. સાથે સાથે ગુજરાતનાં કળા કૌશલ્ય માટે પણ આ ચઢતીનો કાળ હતો. મહારાજા સિદ્ધરાજ જયસિંહ જેવા યુદ્ધવીર અને શૂરા હતા. તેવા કળાપ્રેમી પણ હતા. કળાકારોને અને વિદ્વાને તેમની રાજસભામાં સારું ઉત્તેજન મળતું. આવા વિદ્વાનને સન્માનવી અને ઉત્તેજવા માટે તેમણે એક વિકસભા કાયમ કરી હતી. - શ્રીપાળ નામને એક કવિ આ વખતે તેમના દરબારમાં હતા. તે જાતે પિરવાડ વૈશ્ય હતો. કોઈક કારણસર તેનાં નેત્ર ચાલ્યા ગયાં હતાં એટલે તે પ્રજ્ઞાચક્ષુ બની ગયે હતા. પોતે કવિ હોવા ઉપરાંત તે મહારાજા સિદ્ધરાજને બાળમિત્ર હતું, (ઇતિહાસ ગ્રંથમાં તેને “સિદ્ધરાજના બાલ લખા' તરીકે ઉલ્લેખ મળે છે.) અને વિદ્વત્સભાને તે માવડી હતા. For Private And Personal Use Only