________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાચાર
પ્રતિમાજી નીકળ્યાં ઝાલરાપાટણમાં તા. ૧૯--૧ ૩૮ના દિવસે એક મકાન ખાદતાં શ્રી. પાર્શ્વનાથ પ્રભુની કૃણા અને સિ ંહાસન સાથેની નવ ઈંચની પ્રતિમાજી નીકળેલ છે. આ પ્રતિમાજી સ, ૧૧૫૬ની સાલની હાવાનુ જણાય છે.
પ્રતિષ્ઠા ઉમેદપુરમાં ફાગણ સુદી દસમના દિવસે શ્રી. પાર્શ્વનાથ પ્રભુના દેરાસરની પૂજ્ય આ. મ. શ્રી. વિજયલભસૂરિજી મ. ના હાથે તથા (૨) ભાંડાલી ( જેધપુર )માં ફાગણુ ર.દી દસમના દિવસે પૂજ્ય આ. મ. શ્રી. વિજયશાંતિસૂરિજી મના હાથે પ્રતિષ્ઠા થવાના સમાચાર મળ્યા છે.
દીક્ષા : સ`ખલપુરમાં ખલેાલના રહેવાસી મા. કચરાભાઇ લાલચ ંદે પૂ. મુ. શ્રી સ ંતોષવિજયજી પાસે .મના શિષ્ય તરીકે દીક્ષા લીધી છે. તેમનું નામ કુમુદવિજયજી રખાયુ છે
પદવી : (૧) ૫. શ્રી. કુસુમવિજયજી મહારાજને મહાવદી પાંચમને શનિવારે આર્ચાય પદવી આપવામાં આવી. (૨) પૂ. આ. મ. શ્રી. વિજયભકિતસૂરિજીના શિષ્ય શ્રી. સુમતિવિજજીને વીરમગામમાં મહાવદી સાતમે ગણી પદ આપવામાં આવ્યું (૩) પૂ. આ. મ. શ્રી. વિજયલબ્ધિસૂરિજીના શિષ્ય શ્રી. ભુવનવિજયજીને છાણીમાં ફાગણ સુદી પાંચમે પન્યાસ પદ આપવામાં આવ્યુ'.
સ્વર્ગવાસ : પાલીતાણા ખાતે તા. ૧૦-૨-૩૮ ના દિવસે પૂ. આ. શ્રી કૃપાચ'દ્રસૂરિજી મ. ના સ્વવાસ થયા.
જન હુન્નર શાળા : કરાંચીમાં જૈન સહાયક મડળ તરફથી છ માસના અખતરા તરીકે જૈન હુન્નર શાળા સ્થાપવામાં આવેલ છે.
શારીપુરના મેળા : શેરીપુરના મેળે ચૈત્ર વદી ૬-૭-૮ મે ભરાશે.
માદરના સુવર્ણમહાત્સવ : માલેગામના દેરાસરના સૂત્ર મહાત્સવ ૬-૭-૩૮
ઉજવાયા.
ભાષણમ'ધી : ભરતપુર રાજ્યમાં કોઇ પણ નતના જાહેર કે ખાનગી ભાષણની બધી કરવામાં આવી છે. આની અસર ઉપાશ્રયના વ્યાખ્યાન ઉપર પણ પડે છે.
ઈનામી નિમ`ધ : “ ભ મહાવીર અને તેમને સદેશ ” એ નામના અંગ્રેજી, ઉર્દુ કે હિન્દી ભાષાના ત્રણ સે। લીટીને નિબંધ આત્માનંદ જૈન સભા અબાલાસીટી તરફથી મંગાવવામાં આવ્યેા છે. નિબંધ મેાડામાં મેડા ૧૦-૪-૩૮ સુધીમાં મેાકલવાના છે. ઇનામ રૂ ૨૦) તથા ૧૦) નું રાખવામાં આવ્યુ છે.
ડેા. થેાસ : જૈન સાહિત્યના અભ્યાસી લંડનવાળા ડો. થેામસ આગરા મુકામે પૂ. આ. શ્રી. વિજયેન્દ્રસૂરિજીને મળશે.
હવુ જૈન પત્ર : કલકત્તાથી એસવાલ નામનું નવું જૈન પાક્ષિક નીકળ્યુ છે.
ચુંટાયા : શે. શાંતિદાસ આસકરણ, સર પ્રભાશંકર પટણીના અવસાનથી ખાલી પડેલી કોન્સીલ ઓફ સ્ટેટની જગ્યાએ ચુંટાયા છે.
અહિંસા દિન : નમનગરના સધના માનમાં મહા નદી છઠના દિવસને કાયમ માટે અહિંસા દિન તરીકે પાળવાનું પાલીતાણા રાજ્યે નકકી કર્યું છે.
ઉપયાગી જાહેરાત: મદ્રાસ સરકારે સ`સ્કૃત, પ્રાકૃત અને પાલીના ખચા ગ્રંથાનું કકાવાર લીસ્ટ તૈયાર કરવાનું નકી કર્યું છે, અને આ કામ ડો. એસ. કુપ્પુસ્વામી શાસ્રી એમ. એ. ની દેખરેખ નીચે થશે. જૈન ભારેાએ પણ પેાતાના ગ્રંથેાનું લીરટ મેાકલવુ' જોઈગે. તેમનું ઠેકાણુ આ પ્રમાણે છે. C/o ન્યુ યુનીવરસીડી. ટ્રીપ્લીકેન. મદ્રાસ
For Private And Personal Use Only