SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -- અંક ૮ ] હિન્દુશાસ્ત્રોમાં જૈનધર્મ [૩૯]. ते कीदृशाः किमाहाराः महादेव, निगद्यतां ॥ दंडकंबलसंयुक्ता, अजलोमप्रमार्जनाः। गृह्णति शुद्धमाहारं, शास्त्रदृष्टया चरंति च ॥ २॥ तुंबीफलकरा भिक्षाभोजिनः श्वेतवाससः । न कुर्वति कदा कोपं, दयां कुर्वति जंतुषु ॥३॥ मुक्तिकारणधर्माय, पापनिःकंदनाय च । अवतारः कृतोऽमीषां, मया देवि युगे युगे॥ ४ ॥ અર્થ-શંકરજી પાર્વતીજીને જણાવે છે કે...હે દેવી, દંડ કંબલ સહીત, ઉનના રોહરણવાલા, શુદ્ધ આહારને ગ્રહણ કરનાર, અને શાસ્ત્રાનુસાર વર્તનાર, તરાપણી–તુંબીફલ રાખનાર, ભિક્ષાભેજન કરવાવાલા અને વેતવોવાળા એવા જૈન મુનિઓ કદાપિ ક્રોધ કરતા નથી, અને જીવ ઉપર હંમેશ દયા કરે છે. તેમને અવતાર દરેક યુગમાં મેં મુક્તિના કારણે, ધમને ફેલાવે કરવા, અને પાપનું નિકંદન કરવા કરેલ છે. આ ઉપરાંત નગરપુરાણ તથા મહાભારત ગ્રંથમાં-વિરાટ પર્વમાં ૩૫મા અધ્યાયમાં ૪૩મા લેકમાં જણાવે છે કે – दशभि जितैविप्रैर्यत् कृतं जायते फलम् । अर्हद्भक्तस्य तद्दाने, जायते तत्फलं कलौ ॥ અર્થ—કલિયુગમાં દશ બ્રાહ્મણોને ભોજન દેવાથી જે ફલ થાય છે તેટલું જ અરિહંતના એક ભક્તને દાન આપવાથી થાય છે. શ્રીમાલપુરાણમાં ૭૩મા અધ્યાયમાં અગિયારમા લેકમાં જણાવે છે કે – प्रथमं ऋषभो देवो, जैनधर्मप्रवर्तकः । एकादशसहस्राणि, शिष्याणां धारितो मुनिः । जैनधर्मस्य विस्तारं, करोति जगति तले । અર્થ–પ્રથમ રૂષભદેવ જૈનધર્મ પ્રવર્તાવનાર અગિયાર હજાર શિષ્યો સાથે જગતમાં જૈનધર્મને પ્રવર્તાવે છે. પ્રભાસ પુરાણમાં જણાવે છે – रैवताद्रौ जिनो नेमिः, युगादिविमलाचले । ऋषीणामाश्रमादेव, मुक्तिमार्गस्य कारणम् ।। અર્થ–રેવતાચલ નામના પર્વતમાં નેમિનાથ” નામવાલા જિનદેવ અને વિમલાચળ ઉપર યુગાદિદેવ- આદીશ્વર પ્રભુ ઋષિઓના આશ્રમથી મુક્તિમાર્ગના કારણરૂપ છે. હિંદુ શાસ્ત્રોમાં ચાર વેદ યજુર્વેદ, રૂદ, અથર્વવેદ અને સામવેદ ) છે કે-જેને સર્વ હિંદુ સર્વ શ્રેષ્ઠ માને-મનાવે છે. એ વેદો પૈકી રૂવેદમાં જૈન ધર્મ માટે જણાવે છે કે – ॐ त्रैलोक्यप्रतिष्ठितानां, चतुर्विशतितीर्थकराणां । ऋषभादिवर्द्धमानान्तानां, सिद्धीनां शरणं प्रपद्ये ॥ For Private And Personal Use Only
SR No.521530
Book TitleJain Satyaprakash 1938 03 SrNo 32
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy