SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૪૦]. શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૩ નિકળ્યું. આ જોતાં જેનાં રોમરાય વિકસ્વર થયેલા છે એ હર્ષિત થયેલે તે જ્યાં આચાર્ય મહારાજ બિરાજમાન હતા ત્યાં આવીને કહેવા લાગ્યું કે–હે સ્વામીન, આપના બતાવ્યા પ્રમાણે નિધાન પ્રાપ્ત થયું છે. આપ આને અર્ધ ભાગ સ્વીકારી લ્યો. સૂરીશ્વરે કહ્યું કે અમે તે જ્યારથી ભાગવતી દીક્ષા અંગીકાર કરી ત્યારથી જ કંચન અને કામિનીને સર્વથા (જાવજીવ સુધી) ત્યાગ કરે છે. માટે અમારે એની પૃહા પણું નથી. ત્યારે સર્વદેવે જણાવ્યું કે – હે પ્રભો, પૃથ્વી રસાતાલમાં પેસી જાય, સુવર્ણમય મેરૂ પર્વત ચલાયમાન થાય, સૂર્ય ભલે પશ્ચિમમાં ઉગે, રત્નાકર (સમુદ્ર) પિતાની મર્યાદાને છોડી દે, આકાશપાતાલ એક થઈ જાય, શરીરના ટુકડેટુકડા થઈ જાય, સ્વર્ગ ભુવનમાંથી ઇન્દ્રમહારાજ ખુદ આવે તો પણ હું મારી પ્રતિજ્ઞાને પ્રાણુતે પણ ભંગ કરવાનું નથી. પ્રથમ આ૫ આને અર્ધ ભાગ વીકારી લે, પછી આપની ઇચ્છાનુસાર વ્યવસ્થા કરજે. આ પ્રમાણે સર્વ દેવ અને સુરીશ્વરજીની વચ્ચે એક વર્ષ સુધી વાદવિવાદ ચાલ્યો. પ્રાંતે આચાર્ય મહારાજે જણાવ્યું કે-હે ભદ્ર ! અમારે દ્રવ્યની આવશ્યકતા જ નથી, તે પછી લેવાની કે તેને સ્પર્શ કરવાની વાત જ ક્યાંથી હોય ? તેમ છતાં ય પ્રતિજ્ઞાને પ્રતિબંધ નડતા હોય તે તમારા ગૃહમાંથી સાર વસ્તુમાંથી અર્ધભાગ આપો. | સર્વ દેવે કહ્યું કે હે જગતવંદ ! મારા ગૃહમાં દ્રવ્ય કરતાં અન્ય સાર વરતુમાં શી છે, કે જે હું આપને અર્પણ કરી શકું, અને મારી પ્રતિજ્ઞ માંથી મુક્ત થઈ શકુ. સરિજીએ જવું કે-હે મહાનુભવ તમારા ગૃહમંદિરમાં સાર રૂ૫ બે પુત્ર છે, તેમાંથી એક પુત્ર અમને આપે, એટલે તમારી પ્રતિજ્ઞા પરિપૂર્ણ થાય. આ સાંભળતાં જ મેહના શને લઇને હૃદયની અંદર અત્યન્ત અધાત , ચક્ષુ કુંભમાંથી ઘર ઘર અશ્ર. એની ધારાઓ છુટવા લાગી, જાણે એકમાં શ્રાવણ અને એકમાં ભાદર વરસવા લાગે. શરીર મૂચ્છ વશ થઈ ગયું હાડ કંપવા લાગ્યું. કિન્તુ પિતાની દઢ પ્રતિજ્ઞાને લઈને છેવટે મહાકષ્ટ સહિત પુત્ર આપવાને પણ સ્વીકાર કર્યો. આચાર્ય મહારાજ પણ અન્યત્ર સ્થાને વિહાર કરી ગયા. (અપૂર્ણ) પુસ્તકમાં જણાવે છે કે–અંક એ વખતનું મુખ્ય ચલણી નાણું હતું. હજી પણ આપણે “ટકાનું વ્યાજ ” “પુરી એક અંધેરી અને ગંડુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાન” વગેરે વગેરે શબ્દોમાં “ ટકા” શબ્દ વાપરીએ છીએ, તે, તે કાળના “કશબ્દ પરથી ચાલતો આવે છે. કિન્તુ હાલના ચલણી નાણુમાં શું કિંમત ગણાય છે, તે સમજાતું નથી. “ન આણસો મનમાં આશંક, તમે આવ્યું પામ્યા લાખ ક”—કવિ પ્રેમાનંદ. श्रीमतः सर्वदेवस्य महेंद्रस्य, प्रभोस्तथा । दानग्रहणयोर्वादो वर्ष यावत् तदाऽभवत् ॥ २९ ॥-प्र. म. प्र. २इति कर्तव्यतामूढो द्विजः कष्टेन सोऽवदत् । प्रदास्यामि ततो वेश्य, निज चिंतातुरो ययौ ॥ ३३ ॥-प्र. म. प्र. For Private And Personal Use Only
SR No.521526
Book TitleJain Satyaprakash 1937 11 SrNo 28
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy