________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સયન
૫૫૭
ઉપરથી નિર્વિવાદ જરૂર કહી શકાય કે સમ્યગ્દર્શન એ સિદ્ધિપદ પામવાના સાધનોમાં મુખ્ય સાધન છે.
એવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં લઈને દશપૂર્વધર, પૂજ્યપાદ1 વાચક વર્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજ શ્રી તત્વાર્થસૂત્રના “સઘનશાનવારિકા મોક્ષમાર્કઃ ” આ પ્રથમ સૂત્રની શરૂઆતમાં સમ્યગ્દર્શનનું ગ્રહણ કરેલ છે.
પ્રશ્ન–અહીં ત્રણની આરાધનાથી મોક્ષ મળે એમ કહ્યું, તે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત વિશેષાવશ્યક આદિમાં “નાવિ િમાવો” આ વચન દેખાય છે, તે કઈ અપેક્ષાએ સમજવું ?
ઉત્તર–સમજવા જેવી બીના એ છે કે–અન્વય વ્યતિરેકથી દર્શન અને જ્ઞાન સાથે જ રહે છે. એટલે જ્યાં (જે જીવને) જ્ઞાન હોય, ત્યાં દર્શન અને જ્યાં દર્શન હોય ત્યાં જ્ઞાન હોય છે. દર્શન વિનાનું જ્ઞાન તો અજ્ઞાન કહેવાય છે. કારણ કે તેમાં મિથ્યાવ ભળ્યું છે. જુઓ પ્રશમરતિને સાક્ષિપાઠ–“સાર્વત્રિજમાનામપિ મવતિ મિથ્યાત્વસપુર” આ અપેક્ષાએ દર્શનને જ્ઞાનમાં અંતર્ભાવ કરીને “જ્ઞાનશિયાખ્યાં :” એમ કહેલ છે.
સમ્યકત્વનું સ્વરૂપ (1) દર્શન તે સમ્યકત્વ જાણવું અને તે તત્વાર્થના શ્રદ્ધાનરૂપ છે. જુઓ સાક્ષિ પાઠ“નમિg Hd તે તત્તત્વન ” સંબધ પ્રકરણમાં. (૨) શ્રીવીતરાગ પ્રભુએ કહેલ દ્રવ્ય, ગુણ, પર્યાયરૂપ તવોને વિષે નિર્મલ રૂચિ એટલે શ્રદ્ધા રાખવી તે સમ્યકત્વ કહેવાય. જુઓ સાક્ષિપાઠ–“વિનોmતરફ હરિ, શુ સગેવમુક્ત” યેગશસ્ત્રમાં. (૩) તત્ત્વભૂત પદાર્થોનું યથાર્થ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન કહેવાય. કહ્યું છે કે “તાવાર્થથાનં ન ” તવાર્થ માં. એ પ્રમાણે અનેક ગ્રંથોના પાઠોનું સૂક્ષ્મ બુદ્ધિથી અવલોકન કરવાના પરિણામે નિર્ણય એ થશે કે–તસ્વાર્થ સંબંધિ શ્રદ્ધાન તે સમ્યકત્વ (રૂપકારણ)નું કાર્ય છે.
૧. આ ઉપરથી ઉમાસ્વાતિજી પૂર્વધર હતા એમ જાણવું. કહ્યું છે કે –
वाईय खमासमणे-दिवायरे वायगत्तिएगट्टे ॥ पुव्वगयंमिय सुत्ते-एए सद्दा पयति ॥१॥ ૨. શ્રી ઉમાસ્વાતિજી મહારાજ આર્ય મહાગિરિજીના પ્રશિષ્ય અને બલિરૂહના શિષ્ય થાય અને પ્રજ્ઞાપનાના વિધાયક શ્રીશ્યામાચાર્યજીના ગુરુ થાય.
જેન ધમને પ્રાચીન ઇતિહાસ”માં કહ્યું છે કે- વી. સં. ૧૦૧ માં તેઓ વિદ્યમાન હતા. તત્વાર્થ સૂત્ર, પ્રશમરતિ, ચશોધર ચરિત્ર, શ્રાવક પ્રજ્ઞપ્તિ આદિ ૫૦૦ ગ્રંથને તેઓ કર્તા હતા. એમ
વધ તીર્થ સ્પમાં કહ્યું છે. તેઓ કૌભાષિની ગેત્રના હતા, તેમના પિતાનું નામ સ્વાતિ અને માતાનું નામ ઉમા હતું. જન્મસ્થલ-ન્યગ્રોધિકાગ્રામ હતું. પાટલિપુત્ર (કુસુમપુર)માં તેમણે તત્ત્વાર્થસૂત્ર બનાવ્યું. ભાષ્ય પણ બનાવ્યું. તેઓ વિદ્યામંત્રનિધાન હતા. દિગંબરે તેમને સરસ્વતી ગચ્છના કહે છે.
૩આ યુગપ્રધાન આચાર્ય. વિ. સં. ૫૮૫ થી ૬૪૫ સુધીમાં હયાત હતા. તેમણે સંક્ષિપ્ત જિતક૯૫, બતક્ષેત્ર સમાસ, ધ્યાનશતક, બહાસંગ્રહણી, વિશેષાવશ્યક ભાષ્ય આદિ ગ્રંથો બનાવ્યા. તેમનો સ્વર્ગવાસ ૧૦૪ વર્ષની ઉંમરે થયે.
For Private And Personal Use Only