SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૦ શ્રી જૈન સત્ય પ્રકાશ જે ભ્રષ્ટ આચારથી આખા કુળને, સારૂં હોય તેાય, કલ આણે છે; તેથી એ રૂપને શાભાવતી નથી. સાચું જ કહ્યું છે કે કલ્પનાના સ્વપ્ર ઉપર અને સુંદર મૃગજલ ઉપર જેટલા વિશ્વાસ રખાય એટલે જ વિશ્વાસ ચંચળ અને ચતુર નારી ઉપર રખાય.' આ સાંભળીને તરંગવતી કંઇક શરમ પામી. ધીમે ધીમે બધું શાન્ત પડી ગયું. ધરસ સાર ખુબ સારી રીતે ચાલવા લાગ્યા. ૬'પતીએ શ્રાવકનાં ત્રતા સ્વીકાર્યાં. ઉપદેશ સાંભળ્યે. ઝળહળતાં હતાં તેમને ઉપદેશ વસંતઋતુ ખીલી હતી. ક્રાયલ ટહુકવા લાગી હતી. વૃક્ષરાજી ખીલી ઉઠી હતી. આવે વખતે તરંગવતી અને પદ્મદેવ ઉદ્યાનમાં ફરવા ગયાં હતાં ત્યાં એક તપસ્વી મી” સાધુને બન્ને જણાએ ભાવથી વિનયપૂર્વક વંદન કરી તેમને સાધુજીના મુખ ઉપર અપૂર્વ ત્યાગ અને શાંતિ સચેાટ હતા. તેમની વાણીમાં અમૃતભર્યું હતું. આ સાધુ મહાત્મા તે મીજા કાઈ નહિ પણ દંપતીને દુઃખમાંથી ઉગારનાર લુંટારા જ હતા. દંપતીને જંગલની બહાર મૂક્યા પછી તેને વિચાર થયા કે “હવે હું જઈશ તે બધી વાતની ખબર પડી ગઈ હશે અને સરદાર મને મારી નાખશે. આ જીંદગીમાં ઘણાં પાપ કર્યાં છે, હવે તેા કર્ણક પુણ્ય ધર્મકરૂં” એમ શુભ ભાવના તેનામાં જાગી અને તે બધું છેડી સાધુ થયે।, વિહાર કરતા તે ત્યાં પહેાંચ્યા હતા. સાધુછતા અમૃતમય ધર્મોપદેશ સાંભળી 'પતીને વૈરાગ્ય ઉપન્યે અને તેએએ કહ્યું “હે પ્રભો! આપે જ અમને તે વખતે દુઃખમાંથી ઉગાર્યાં હતા તેા હવે જન્મમરણના ભયંકર દુઃખમાગરમાંથી અમને મુક્તિ આપે।. અમારી હવે મેક્ષે જવાની ઈચ્છા છે. તીર્થંકરાએ બતાવેલા પવિત્ર માર્ગે અમને દેરી જાએ. સાધુ જીવનનાં વિવિધશાસને અમારી સયમ યાત્રાનું ભાથું હા! ” આ જ સાધુ પૂર્વભવે ચક્રવાકને મારનાર પારધી હતેા. અને પછીના ભવે એ જ બચાવનાર થયે . છેવટે સાધુજીએ આંતી દીક્ષાનું મહાત્મ્ય વળ્યું અને દીક્ષા લેવા સમજાવ્યા. આ ઉપદેશ 'પતીને અમૃતરૂપે નીવડયા. બન્નેએ આત્મકલ્યાણકારી આતી દીક્ષા લીધી. પવનવેગે આ સમાચાર ગામમાં પ્રસર્યાં. બન્નેનાં માબાપ આવ્યાં. તર ંગવતીના સાસુ સસરાએ પુત્રને કહ્યુ કે દીકરા આ તને કૈાણે શીખવ્યું, અમારી સાથે રહેવું તને ના ગમ્યું? એવું તે તને શું દુઃખ પડયું કે તું કંટાળીને સાધુ થઈ ગયા. આવી રીતે પુત્રને મુખ ઉપાલંભ આપ્યા. પછી સંસારી વાસનાએની લાલચેા બતાવી, ખુબ છાતીફાટ રૂદન કર્યું. પણ પુત્રે કહ્યું : પૂ. ધનમાલથી પણ દુઃખ થાય છે. ધન પ્રાપ્ત કરતાં પણ દુઃખ, અને સાચવતાં પણ દુઃખ છે. તે જ્યારે નાશ પામે છે ત્યારે પણ દુ:ખ થાય છે. અને મા, ખાપ, ભાઈ, વહુ, છેકરાં ને સગાંવહાલાં એ તે નિર્વાણના માર્ગોમાં ધનની સાંકળે! છે. આ ધર્મોપદેશ દરેક જીવે ગ્રહણ કરી આચરવા જેવેા છે. અન્તે તેમણે વિહાર કર્યાં. તરગવતીને ગીતા સાધ્વીજીને સોંપી આ કથાની નાયીકા એ જ તરંગવતી સાધ્વીના રૂપમાં ધનાઢયને ત્યાં વહેારવા આવેલ હતી. તરંગવતીની આ બધી આપવીતી સાંભળી સાંભળી શેઠાણીનું હૃદય પીગળી ગયું. તે સાધુમાગે ચાલવા અશક્ત હેાવાથી ગૃહસ્થનાં વ્રતે સ્વીકારી આત્મકલ્યાણને માગ સ્વીકાર્યાં. For Private And Personal Use Only
SR No.521522
Book TitleJain Satyaprakash 1937 06 SrNo 23
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy