SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક વ્યાકરણ ન્યાય-કાવ્ય–અલંકાર-પુરાણ-ઉપનિષદ વગેરે સ્વધર્મશાસ્ત્રના પારંગત બન્યા. હંમેશાં ત્રણે ભાઈઓ પાંચસો પાંચસે શિષ્યને ભણાવતા હતા. આવા પંડિત હોવા છતાં સમ્યગ્દર્શનના અભાવે તેઓ ખરા જ્ઞાની નહેતા ગણાતા, કારણ કે શુદ્ધ શ્રદ્ધાયુક્ત જ્ઞાન જ સાચું જ્ઞાન કહેવાય છે અને તે એમની પાસે ન હતું. ભગવાન મહાવીરને સમાગમ અને દીક્ષા: એ પ્રમાણે શ્રી ઇંદ્રભૂતિ ૫૦ વર્ષની ઉંમર સુધી મિથ્યાત્વી રૂપે રહ્યા. બીજી બાજુ શ્રી મહાવીરદેવને, કેવલજ્ઞાન થયા બાદ તીર્થની રથાપના કરવાના પ્રસંગે, શ્રી ઇંદ્રભૂતિ વગેરે અગિયારે બ્રાહ્મણે ગણધર પદને લાયક જણાયા. તેથી પ્રભુ વિહાર કરી મધ્યમ પાપા ( અપાપા) નગરીના મહસેન નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં સમવસરણમાં બેસી પ્રભુ દેશના આપી રહ્યા હતા, અને નગરીમાં સપરિવાર શ્રી ઇદ્રભૂતિ આદિ બ્રાહ્મણ યજ્ઞક્રિયા કરી રહ્યા હતા, ત્યારે ઇદ્રભૂતિને, આકાશ માર્ગે આવતા દેવેના નિમિત્તે, સર્વત્તા પ્રભુ શ્રી મહાવીરનો પરિચય થયો. તે પ્રભુની પાસે ગમે ત્યારે પ્રભુએ તેને પૂછયું, “હે. ઈદ્રભૂતિ ! તમને “જીવે છે કે નહિ ” આ બાબતનો સદેહ છે.” પ્રભુનું આ વચન સાંભળીને ઇન્દ્રભૂતિને આશ્ચર્ય થયું અને સાથે સાથે પ્રભુના સર્વપણાની ખાત્રી થઈ. વેદવાક્યનો ઈંદ્રભૂતિ જે અનુચિત અર્થ કરતા હતા તેને પ્રભુએ, ઉપયોગ ધર્મની અપેક્ષાએ, સત્ય અર્થ સમજાવ્યો એટલે સંદેહ દૂર થતાં, તેમણે પચ્ચાસ વર્ષ પૂરા થયા બાદ એકાવનમાં વર્ષે, વૈશાખ સુદી અગીયારસના દિવસે પૂર્વ ભાગમાં સંયમ ગ્રહણ કર્યું.૧ (બાકીના ૧૦ બ્રાહ્મણોએ પણ તે જ દિવસે પિતાને સંશય દૂર થાતાં ઇન્દ્રભૂતિજીની માફક દીક્ષા ગ્રહણ કરી.) ગણધરપદ અને ચાર જ્ઞાનની પ્રાપ્તિ: અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે, પિતાને સંદેહ દૂર થતાં શ્રી ઇદ્રભૂતિ આદિની મિયા પરિણતિ પણ દૂર થઈ અને સમ્યકત્વની પરિગતિ પ્રાપ્ત થઈ. પ્રભુએ લાયક જાણી તેમને ગણધર પદવી આપી અને વાસક્ષેપ કર્યો, એટલે એ જ વખતે તેઓ બધા સમ્યગ્દર્શન ઉપરાંત ચાર જ્ઞાન (મતિ, કૃતિ, અવધ અને મન:પર્યવ) ને ધારક બન્યા. ખરેખર, પ્રભુના વાસક્ષેપનો પ્રભાવ અલોકિક હોય છે. થોડા જ વખત પહેલાં જેઓને સમજ્ઞાનની ગંધ પણ ન હતી, જેઓ મિથ્યાજ્ઞાનરૂપી કાદવમાં ખૂતેલા હતા અને તેથી જેઓ પ્રભુને “ ઈજાલિયો” વગેરે વગેરે શબ્દો કહેતા હતા, તેઓ થોડા જ વખતમાં આવા જ્ઞાની બન્યા અને ઉચ્ચ કોટીમાં મૂકાયા. ખરેખર, પુરુષે. સમાગમ અપૂર્વ લાભકારક હોય છે ! અસ્તુ. તીર્થકરપદ અને ગણધરપદને રંક વિચારઃ તીર્થકર પદ સિવાયના બીજા બધા પદોમાં ગણધરપદ પ્રધાન છે. અનેક ગ્રંથો ઉપર સરલ ટીકા બનાવનાર અને સરસ્વતીના વરદાનવાળા આચાર્ય મલયગિરિજી મહારાજે પંચસંગ્રહમાં કહ્યું છે કે—કષાયની મંદતાવાળા અને સમ્યગ્દર્શન સહિત એવા જે છે, ૧ ગણધરવાદનું વિવેચન સ્વતંત્ર લેખરૂપે આપવાનો વિચાર હોવાથી અહીં આપ્યું નથી. ૨. આ સૂરિજીના ચરિત્રને માટે જુઓ-માસ્તર મંગલદાસની છપાવેલી કર્મપ્રકૃતિની પ્રસ્તાવના For Private And Personal Use Only
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy