SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra કક ક www.kobatirth.org દિગંબરોની ઉત્પત્તિ લેખકઃ આચાર્ય મહારાજ શ્રીમત્ સાગરાનદરિજી Acharya Shri Kailassagarsuri Gyanmandir #a #cha | ( 2 ) થકી થાય ! ( ગતાંકથી ચાલુ ) કદાચ કાઈ મહાનુભાવને એવા પ્રશ્ન થઈ આવે કે આ પ્રમાણે અત્યાર સુધી જે હકીકત સબંધી વિચાર કરવામાં આવ્યે તે કેવળ મતાગ્રહના ચશ્માને જ આભારી છે. આપણે દુનીયામાં હમેશાં જોઇએ છીએ કે વસ્તુ ગમે તેવા પ્રકારની હાય અને તે વસ્તુનું અવલેાકન કરનાર માણસ પણ ગમે તેવા પ્રકારના હાય પરન્તુ જે તેણે જુદા રંગનો જ ચશ્માં ચડાવ્યા હાય તે બધું જુદા જ રંગનું દેખાય છે, અને વસ્તુ પેાતાના મૂળ રૂપમાં તેને દેખાતી જ નથી. કમળાથી પીડાતા માણસ કે પીળા ચશ્માને ધારણ કરનાર માણસ સફેદ વસ્તુને પણ રંગીન કહે છે એ આપણા સ્વાનુભવની વાત છે, તેવી જ રીત અહીં પણ કેમ ન થયું હેાય કે સ્વમતના આગ્રહના ચશ્માની 'દરથી કેવળ પેાતાનું તે જ સારું એવા ખ્યાલ શ્વેતાંબરેશને થયે હાય અને તેથી દિગંબરાની માન્યતાઓનું ખંડન કરતા હોય. પરન્તુ આવા પ્રશ્નને અહીં લેશ પણ અવકાશ નથી, કારણ કે કેવળ દિગબર ભાઈએ જ, કે જેઓ વ્યવહાર અને પ્રરૂપણા એ બન્ને ષ્ટિએ જૈન શાસનથી દૂર થયેલા છે તેના જ અચેલકપણાને એકાન્ત આગ્રહ છે, અને સચેલક તરીકે કેાઈ પણ સાધુ હોય જ નહીં એવું એકાન્ત પ્રરૂપણ પણ તે જ કરે છે. એટલે આવા એકાન્તપણાના કદાગ્રહના ચમા તે એમની પાસે જ છે. શ્વેતાંબરાએ તા આવા એકાન્ત આગ્રહ કર્યા જ નથી. કારણ કે જો એવા એકાન્ત આગ્રહ શ્વેતાંબરાએ રાખ્યા હાત તે તેઓ પણ દિગબર ભાઇઓની માફ્ક એમ જ પ્રરૂપણા કરત કે સચેલકપણા ( વસ્રસહિતપણા ) સિવાય કદી પણ મેક્ષ કે મેાક્ષના પરમ સાધનરૂપ સાધુતા સ ંભવે જ નહીં, પણ આવી, અનેકાન્ત વાદના પરમ પવિત્ર સિદ્ધાંતના મૂળમાં જ કુઠારાઘાત કરનારી, વાત કી પણ તેઓએ કરી જ નથી—તે કરી શકે પણું નહીં ! વળી એક વસ્તુ એ પણ ભૂલવા જેવી નથી કે જો દિગમ્બર સપ્રદાયમાંથી શ્વેતાંખર સંપ્રદાય નીકળ્યેા હાત તા જરૂર શ્વેતાંબર સ ́પ્રદાય સચેલકતા ( વજ્રસહિતપણા ) ને ખૂબ ખૂબ આગ્રહ રાખત અને પરૂપણા For Private And Personal Use Only
SR No.521515
Book TitleJain Satyaprakash 1936 10 SrNo 15
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy