SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગુણિજના મારા નગરમાં રહે, તેને તમે શા માટે અટકાવ (નિષેધ ) કરે છે ? તેવાં ગેરવ્યાજબીપણું શું છે ? રાજાના આ પ્રશ્નના ઉત્તરમાં તે ચિત્યવાસિઓ બાલ્યા કે- હે રાજેન્દ્ર! પૂવે વનરાજ નામના રાજાને નાગેન્દ્ર ગરછીય, ચૈત્યવાસી શ્રી દેવચંદ્રસૂરિએ ઘણા ઉપકાર કરેલા હોવાથી કૃતજ્ઞ એવા તે રાજાની સમક્ષ શ્રી સંઘે એવી વ્યવસ્થા કરી કે- “ સંપ્રદાયના ભેદ ન રાખવાથી લઘુતા થવા પામી છે. માટે જે મુનિ ચિત્યગ૨છવાસી યતિધર્મને સંમત હોય તે જ અહીં રહી શકે, પણ બીજા નહિ. તે હે રાજન ! તે પ્રાચીન રીવાજ ધ્યાનમાં લઈને તમારે ન્યાય આપવા જોઈએ. રાજાએ કહ્યું કે- તે પ્રમાણે જ કબૂલ છે, પરંતુ ગુણિજનાને આદર જરુર દેવા જોઈએ. જે કે રાજ્યની આબાદી તમારી હેમદ્રષ્ટિને આધીન જ છે, છતાં અમારા આગ્રહથી એમને નગરમાં રહેવા દેવાનું કબુલ રાખે ! રાજાના આ વાકયને તેઓએ માન્ય રાખ્યું. આ મુશ્કેલી દૂર કરવા માટે કેટલાક સમય વીત્યા બાદ રાજાએ ફરમાવેલા સ્થલે પુરોહિતે ઉપાશ્રય કરાવ્યા. ત્યાં રહેલા અને સૂરિજી મહારાજે ધર્મોપદેશ દઈને ઘણા જીવનને સત્યના સાધક બનાવ્યા. આ શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ સં૦ ૧૦૮૦ માં જાહેર (મારવાડ ) માં રહીને આઠ હજાર લેક પ્રમાણ બુદ્ધિસાગર ” નામે નવું વ્યાકરણ બનાવ્યું. એક વખત વિહાર કરતાં શ્રી જિનેશ્વરસૂરિ અનુક્રમે ધારા નગરી 4' પધાર્યા. અહીં’ મહીધર નામના શેઠ અને ધનદેવી શેઠાણીને અભયકુ મા ર નામના મહાગુણવંત પુત્ર હતા. પુત્ર સહિત શેઠ સૂરિજીને વંદન કરવા ગયા . ત્યાં સંસારની અસારતાને જણાવનારી નિર્મલ દેશના સાંભળી અભયકુમારને વૈરાગ્ય પ્રકટા, તે સંયમ લેવાને ઉત્સુક થયા. પિતાની અનુમતિ હોવાથી ગુરુ મહારાજે અભય કુમારને દીક્ષા આપી. ગ્રહણશિક્ષા અને આસેવનાશિક્ષાને અભ્યાસ કરી મહાજ્ઞાનિ એવા શ્રી અભયમુનિજી યાગદ્વહન કરવા પૂર્વક સેલ વર્ષની અંદર સ્વપર શાસ્ત્ર પારગામી બની શ્રી સંઘના પરમ ઉદ્ધારક અન્યા. એકદા વ્યાખ્યાનમાં સર્વાનુયાગમય પંગમાંગ શ્રી ભગવતી (વ્યા ખ્યા પ્રજ્ઞપ્તિ ) સૂત્રમાં કહેલા ચેડા રાજા અને કેણિકની વચ્ચે થયેલા રથ કટકાદિ યુદ્ધનું વર્ણન કરતાં વ્યાખ્યાન વાચસ્પતિ શ્રી અભય મુનિએ રૌદ્ર અને વીર રસનું એવું વર્ણન કર્યું કે- તે સાંભળીને ક્ષત્રિઓ લડવા તૈયાર થઈ ગયા. તે જોઈને શ્રી જિનેશ્વરસૂરિજીએ તરત જ મહાશ્રાવક નાગનત્તઓનું વર્ણન કરીને એ શાંતરસ વિસ્તાર્યો કે તે સાંભળીને સવે શાંત થઈ ગયા, અને મનમાં વિચાર કરવા લાગ્યા કે- અહા, અમને ધિક્કાર છે, કે વ્યાખ્યાનના અવસરે પણ અમે પ્રમાદથી ઉન્મત્ત થઈ ગયા. ધન્ય છે તે નાગનત્તક શ્રાવકને કે જેણે લડાઈના પ્રસંગે પણ ધર્મારાધનમાં અડગ ટેક રાખી. ગુરુજીએ અભયમુનિને શિખામણ દીધી કે- હે બુદ્ધિનિધાન શિષ્ય ! તારે અવસર જોઈને વ્યાખ્યાન વાંચવું. ( અપૂર્ણ) For Private And Personal use only
SR No.521511
Book TitleJain Satyaprakash 1936 05 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy