________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨ મહાતીર્થ મંઢેરા
૨૫૭ છે એમ બરાબર સિદ્ધ થાય છે. પ્રત્યક્ષ રીત્યા આ મૂલ મંદિરમાં અત્યારે જિનેશ્વરની પ્રતિમાં રહેવા દેવામાં આવી નથી—આપણે જોવામાં નથી આવતી. કિન્તુ મંદિરના દરેક વિભાગની રચને એમ કહે છે કે નિર્વિવાદ આ જૈનમંદિર છે.
(1 ) યદિ આ શિવાલય હોત તો પિઠીય-નાદિ શિવલિંગ કે શિવલિંગને બિરાજમાન કરવાનો ખાડો હોત, જલાધારીનું નિશાન પણ હોત. પણ એમાંનું કશુંયે નથી.
(૨ ) રિગ કે રામચંદ્રજીનું પણ આ મંદિર નથી. કોઈ પણ અજૈન દેવ કયાંય બિરાજમાન નથી. યદિ અર્જા મંદિર હોત તો અવશ્યમેવ ગણેશજી, હનુમાનજી કે હરકોઈ અજૈન દેવનું ચિન્હ હોત.
(૩) જ્યારે તેથી વિપરીત ત્રણ પવાસન ઉપર ગાદી, જૈનમંદિર સિવાય બીજા મંદિરમાં નથી હોતી તેમ જ મૂતની પાછળના આકારો જે આજેય દેખાય છે તેથી એમ બરાબર લાગે છે કે અહીં જૈન–પ્રતિમાઓ જ હશે-હતી.
(૪) આ સિવાય દરેક ગોખલામાં ઉભી બ્રહ્મ શાંતિની ચતૃભુજ મૂર્તિ છે. રકાથી એમ પણ લાગે છે કે આ મંદિર અન્તિમ તીર્થંકર પ્રભુ મહાવીરસ્વામિનું જ મંદિર હશે અને એ જ કથનને વિવિધતીર્થકલ્પકાર પણ “ g વીર”થી ટેકો આપે છે. એ ઉલ્લેખ આ જૈનમંદિર જ છે તેની પણ બરાબર ખાત્રી કરાવે છે.
૫) અને પાશ્વયક્ષ (વામનયક્ષ) ની સુંદર મૂર્તિ મંદિરમાં અદ્યાવધિ વિદ્યમાન છે. અને સૌથી સબલ પ્રત્યક્ષ પુરાવો કુંડમાંની દેરીઓમાંની જિનપ્રતિમાઓ અને મૂલ મંદિરના બહારના વિભાગમાં વિદ્યમાન શાસનદેવ અને શાસદેવીઓની મૂર્તિઓ છે. એટલે આ જૈનમંદિર છે એમાં તો લગારે શંકા જેવું નથી. વળી પ્રાચીન, ઐતિહાસિક પ્રમાણ પણ કયાં ઓછાં છે ?
એતિહાસિક પ્રમાણે – વાચકે ને કદાચ એમ થશે કે આ બધી નરી કપનાઓ જ છે કે કોઈ પ્રાચીન ઐતિહાસિક પ્રમાણ છે ખરાં ?
–મેંઢારાના આ જિમંદિરની પ્રાચીનતાનાં એક નહિ અનેક પ્રમાણે મૌજુદ છે.
શ્રીજિનપ્રભસૂરિજીકૃત વિવિધતીર્થકલ્પમાં લખ્યું છે કે મેંઢેરામાં શ્રી મહાવીર દેવનું પ્રાચીન મંદિર હતું અને તેનાં દર્શન કરવા આમરાજા–ગોપગિરિ-વાલીયરના આમરાજાના પ્રતિબંધક આચાર્ય શ્રી બપ્પભટ્ટસૂરિજી નિરંતર આવતા.
તે જ જિનપ્રભસૂરિજી મોઢેરાને જૈનધર્મનાં પ્રાચીન તીર્થ ધામમાં પણ ગણાવે છે. વિવિધ તીર્થમાં ચતુરક્ષિતિગતિર્ણનામચંga ter માં જૈનધર્મનાં ૮૪ મહાતીર્થો ગણાવે છે જેમાં મારે ? : લખી મેંઢેરાને મહાવીર પ્રભુનું મહાતીર્થ જણાવે છે એટલે ગુજરાતનું આ પ્રાચીન મહાતીર્થ છે.
૭, “શ્રી જન સત્ય પ્રકાશ”ના ૪--૫-૬ અંકમાં જિનપ્રભસૂરિજી કૃત વિવિધતીર્થંક૯૫ના એક ક૯પ મથુરાક અને અનુવાદ મેં બાપે છે તેમાં જિનપ્રભસૂરિજીને સત્તાસમ, વિવિધતીય - ક૯૫ની રચના અને તેને સમય તેમ જ મોઢેરાના મંદિરવાળી વિગત મેં આપી છે. વાચકો ત્યાંથી જોઈ લે. લંબાણના ભયથી તે બધું પુન: અહીં નથી આપ્યું.
For Private And Personal Use Only