SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મથુરા ૯૫ કર્તા- શ્રીમદ્દ જિનપ્રભસૂરી અનુ મુનિ ન્યાયવિજયજી મથુરામાં વીરબિબની સ્થાપનાશત્રુંજયમાં કાષભદેવજીને, ગિરનારમાં નેમિનાથજીને, ભરૂચમાં મુનિ સુત્રત સુપાર્શ્વનાથજી સાતમા તીર્થંકર છે, તેમનું અવને જન્મ, દીક્ષા, અને કેવલ એ ચ્યારે કલ્યાણક ભદૈની (બનારસ)માં થયેલ છે. અને નિર્વાણ સમેતશિખરજીમાં થયું છે. તેમને થયે અસંખ્ય વર્ષો વ્યતીત થઈ ગયાં છે. શ્રી પાર્શ્વનાથજી તેવીસમા તીર્થંકર છે. તેમનું ચ્યવન, જન્મ, દીક્ષા, અને કેવલ જ્ઞાન કાશી (વારાણસી)માં થયેલ છે. તેમના પિતાનું નામ અશ્વસેન રાજા, માતાનું નામ વામાદેવી. ઈ. સ. પૂર્વ ૭૭૬માં તેઓ નિર્વાણ પામ્યા છે. ૬ શત્રુંજય તીર્થ કાઠિયાવાડમાં ભાવનગર સ્ટેટની નજીકમાં પાલીતાણા સ્ટેટ છે. ત્યાં જેનોનું આ મહાન તીર્થ આવેલું છે. જેમાં પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવજી પૂર્વ નવાણુ વાર પધાર્યા હતા અને બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથજી સિવાયના તેવોસ તીર્થકર આ પવિત્ર ભૂમિ ઉપર આવ્યા છે, અને અનેક શ્રમણો, મહષિઓ અહિં નિર્વાણ પામ્યા છે. આજે પણ જેનોનું આ મહાન તીર્થ ધામ છે. જેના ઉપર ચાર હજાર મંદિરો છે. આ બધાં મંદિરમાં ઋષભદેવજીનું મંદિર મુખ્ય મનાય છે. પાલીતાણું B S Rનું સ્ટેશન છે અને ત્યાંથી બે માઈલ દુર આ પહાડ આવેલ છે. જેની વ્યવસ્થા હિંદુસ્તાનના જૈનસંઘની મુખ્ય સંસ્થા આણંદજી કલ્યાણજીની પેઢી કરે છે. ૭ ગીરનાર તીર્થ. કાઠિયાવાડમાં જુનાગઢ સ્ટેટના મુખ્ય શહેર જુનાગઢથી ત્રણ માઈલ દુર આ પહાડતીર્થ આવેલું છે. જે પહાડ ઉપર બાવીશમા તિર્થંકર નેમિનાથજી કેવલજ્ઞાન અને નિર્વાણ પામ્યા હતા. તેમજ બીજા પણ અનેક મુનિવરો અહી મોક્ષે ગયા છે. અહીં આજે પણ જૈનોનાં ગગનચુખી ભવ્ય દેવાલયો વસેલાં છે. તેમાં નેમિનાથજીનું મંદિર મુખ્ય છે. આ સિવાય સંપ્રતિ રાજાનું વિમલમંત્રીનું વસ્તુપાલ તેજપાલનું અને કુમારપાલનાં મંદિરો પણ છે. આ તીર્થની વ્યવસ્થા હિંદુસ્તાનના જૈન સંઘની મુખ્ય સંસ્થા આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા લખમીચંદ દેવચંદની પેઢી કરે છે, ૮ ભરૂચ-ભગુકચ્છ. ગુજરાતના લોટ દેશની મુખ્ય નગરી છે. અહીં વીસમા તીર્થકર શ્રી મુનિસુવ્રત For Private And Personal Use Only
SR No.521504
Book TitleJain Satyaprakash 1935 10 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1935
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy