________________
૧૧૫ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ પાડવાનું હજુય માંડીવાળો, અને રવિવારે સંવત્સરી પક્ષનું પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરીને બનતી ત્વરાએ અમદાવાદ પધારો.
ચોમાસુ નજદીક આવે છે, વરસાદ દેખાવ દઈ ચૂક્યો છે. અને વિલંબ કરવાથી શાસ્ત્રાર્થ અશકય બનશે, માટે હવે નકામી વાતો કરીને સમય ન ગુમાવવાની હું ભલામણ કરું . * તમે જણાવો છો તેમ તમે જો સુરત જતા હો તો તમે અમદાવાદ આવો એવો મારો આગ્રહ જ નથી, પણ તમારું સુરત જવાનું આવી રીતિએ પડતું મૂકાય તો ઉપર જણાવ્યા મુજબ અમદાવાદ પધારવાની મારી વિનંતી છે.
જીવાભાઈ શેઠે તા. ૧૭મીના પત્રમાં તમે જણાવો છો તેવી વાત લખી હોય તો પણ તે અમને રૂબરૂ મળ્યાં પહેલાં જ લખેલી છે. સંઘવી નગીનદાસ કરમચંદ, ગીરધરલાલ છોટાલાલ અને જીવતલાલ પ્રતાપશી વિગેરે ગૃહસ્થો અમને તા. ૨૧મીએ મળ્યા હતા, એટલે હું યોગમાં છું તેવી ખબર તેમને તા. ૧૭મીએ ન હોય તે શક્ય છે.
એગ્રીમેન્ટ ઉપર અમોએ સહીઓ કરતાં પહેલાં જે શબ્દો નગીનદાસ વિગેરેને કહેલા તે મેં ગયા તારમાં જણાવ્યા છે તેથી તમારું તે વિષેનું બહાનું પણ વ્યાજબી નથી. - તમો જણાવો છો તેવી કમિટીની વાત પણ નગીનભાઈ, ગીરધરભાઈ કે જીવાભાઈએ એ ત્રણેમાંથી કોઈએ અમને સહી કરાવવા આવ્યા ત્યારે કરી જ નહોતી.
બન્ને પક્ષે સરખા મતાધિકારવાળી અને શાસ્ત્રાર્થ કરનાર બંને પ્રતિનિધિઓની સંમતિથી નિમાયેલી કમિટીની સાથે મળીને બન્ને પ્રતિનિધિઓ પંચો તથા સરપંચ નીમે તે જ ન્યાયી ગણાય.
શાસ્ત્રાર્થ કરવાને માટે આચાર્ય શ્રી વિજયનેમિસૂરીજી જામનગરથી જામવંથલી સુધી વિહાર કરીને આવ્યા એવી વાતો વર્તમાનપત્રોમાં પ્રગટ કરાવો છો અને બીજી તરફ મેં તમને કર્યો તેવો શાસ્ત્રાર્થનો તાર મેં તેમને પણ કર્યો હતો. તે છતાં તેમના તરફથી તમે કે તે પોતે જવાબ આપતા નથી. પ્રતિનિધિત્વની વાતને પણ તમે અડતા નથી, તેનો પણ તમારે ખુલાસો કરવો જોઇએ.
છેલ્લે ફરીથી પણ હું એજ વિનંતી કરું છું કે સમાજના ભલા ખાતર રવિવાર પક્ષનું પ્રતિનિધિત્વ મેળવી જલદી અમદાવાદ શાસ્ત્રાર્થ કરવા પધારો અને નાહક સમય ન ગુમાવો.
કલ્યાણવિજય