SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સમાલોચના ૧. જ્ઞાનના આઠ આચારોને પણ શાસ્ત્ર પ્રમાણે ન માનનાર સમયધર્મિને શાસ્ત્રોકત એવા ઉપધાન અને તેની ક્રિયા રૂચે અને ન ઉઠાવે તેમાં જ સદ્બુદ્ધિવાળાને આશ્ચય થાય. (સમય) ૧. આચાર્ય આનન્દવિમલસૂરીજીનું પાનું સોલમી સદીનું છે એમ સાબીત કરવાની જવાબદારી પંન્યાસ પર કલ્યાણવિજયજીએ અમદાવાદમાં લીધી છે અને તે પાનું તેમની પાસે હોવાથી તે વ્યાજબી જ છે. ૨.શ્રી આનન્દવિમલજીવાળું તિથિસંબંધનું લખાણ સંસ્કૃતમાં અને ગદ્યમાં છે અને તેથી વિરુદ્ધ ગાથાઓનું બહાનું પ્રથમ નંબરે ખોટું છે. ૩. પૂર્વતિથિની હાનિવૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિ વૃદ્ધિ થાય છે તેની સત્યતા સાબીત કરવામાં ૧૬મી સદીથી ઘણીએ સદીઓના પુરાવા છે અને તે સાબીત કરવા શાસનપક્ષ તો હંમેશાં તૈયાર હતો અને છે, પણ રામટોળ વિરમગામ વટાવવું છે. દક્ષિણમાં દોડી જવું છે, પુનાથી આવવું જ નથી, પાલીતાણેથી જંબુને પલાયન થવું છે અને વૃદ્ધ તપસ્વિના મોઢે પરાણે બોલાવી સંતાડવાની રમત રમવી છે. ૪. રામટોળીએ વૃદ્ધતપસ્વિ પાસે જે પરાણે બોલાવ્યું છે તેની પ્રતિજ્ઞા તેમની સહીથી ! બહાર હજી સુધી ઘણું કહ્યા છતાં કેમ બહાર નથી આવતી? ૩પ.ગૃહસ્થોને માટે પ્રતિજ્ઞા અને પ્રતિજ્ઞા વિનાનાં કથનો તો હોય, પરંતુ વૃદ્ધતપસ્વિયોના વચનોમાં કહેલાં વચનો પણ પ્રતિજ્ઞા પૂર્વકનાં નથી એમ કહેનારા કેવા હશે? ૬. આખી તિથિચર્ચાના અનેક પુરાવાનો પ્રશ્નોત્તર ન કરતાં એક અંશીય પુરાવાને નામે જુઠી બાજી જીરું રમાય તે વૃદ્ધતપસ્વિ અને ઉપાસકને શોભે ખરું? ૭. ધરણેન્દ્રસૂરિને નામે સામાન્યપર્વની વાત કરી અને પછી ચૌદશ ઉપર તે ચઢાવાય એ વૃદ્ધને તોડી ન જ શોભે. (રામટોળી અમદા.) ૧. નવા મતવાળાઓ પર્વતિથિની હાનિવૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિવૃદ્ધિ કરવાનો રીવાજ તો છે, પણ તે શાસ્ત્રથી વિરુદ્ધ છે એમ કહે છે, તેથી નવા મતવાળાને વાદીપણું સ્વાભાવિક જ રા આવી જાય છે. (આચાર્ય સિદ્ધિ સૂરિજીએ પણ ૧૬મી સદીમાં બે પૂનમો હતી ત્યારે બે તેરસ થઈ એ લખાણને જુઠું ઠરાવવાનું હોવાથી વાદિ થવાનું જ છે.) (યાદ રહે છે કે શાસ્ત્ર અને પરંપરા જ માનનાર પક્ષ ૧૬મી સદી આદિના અનેક લેખોથી પ્રવૃત્તિ સાબીત કરે છે.) ૨. નવા પક્ષથી ફતવો બહાર પડ્યો છે કે ધરણેન્દ્રસૂરિ શ્રીપૂજયથી જ આ પ્રવૃત્તિ ચાલી છે તો નવા પક્ષને તે સાબીત કરવા માટે વાદી થવાનું છે. . અરે ૩. નિશ્ચય કરી તેની જાહેરાત કરવી અને કર્યા, તથા ન કર્યાના પ્રાયશ્ચિત્તની પ્રતિજ્ઞા કરવી, અને પ્રસંગ ક આવે ત્યારે જવાબદારીથી ખસવા માટે મારું કથન જિજ્ઞાસા વૃત્તિથી થયું છે એમ કહેવું છે તો કોઇને પણ શોભે તેમ નથી. (સિદ્ધિ)
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy