SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ શ્રી સિદ્ધચક) વર્ષ ૮ અંક-૨-૧૩ ... [એપ્રિલ ૧૯૪૦, (અનુસંધાન ટાઈટલ ૪નું ચાલુ) પહેલાં તો બીજઆદિ છ પર્વ તિથિના ક્ષયે તેની પહેલાંની એકમ આદિ અપર્વતિથિનો ક્ષય કરતો હતો છે અને એ વાત એના તે વખતના પંચાંગો ઉપરથી સાબીત થયેલી છે.' ૨ શ્રીશ્રાદ્ધવિધિ વગેરેમાં પૂર્વ તિથિઃ ' એવું ફરમાન હોવાથી બીજ આદિ છ પર્વતિથિના તે ક્ષયની વખતે તેનાથી પહેલાની જે પડવા વિગેરે અપર્વતિથિ તેને જ બીજ આદિ પર્વતિથિપણે કરવી એટલે ૫ પડવા વિગેરે અપર્વતિથિનો ક્ષય કરવો એ ચોખું જ છે. (સામાન્ય સમજણવાળો મનુષ્ય પણ આ વાક્યનો તિથિને જ કરવાની વાત છે. એમ સમજી શકે તેમ છે. આ નવો વર્ગ તિથિના પલટાને ન લેતાં પડવો વિગેરે માની બીજ વિગેરેની આરાધના તેવા પ્રસંગે કરે છે, તો તેવી રીતે વર્તનારને શ્રીતત્ત્વતરંગિણીકાર સ્પષ્ટપણે મૃષાવાદી જણાવે છે અને અધિકમાં નવો વર્ગ આરાધનામાં રૂપક ન બને તો પણ બીજ આદિ પર્વ તિથિનો ક્ષય માનનાર હોવાથી પર્વતિથિનો લોપક તો બને જ છે. ૩ શ્રીતત્ત્વતરંગિણીમાં મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ કે જેઓ શાસનાનુસાર તપાગચ્છના અનુપમ સ્તંભ સમાન છે તેઓ સ્પષ્ટપણે ફરમાવે છે કે ઉદય અને સમાપ્તિ તેરસની હોય અને ચૌદશનો ઉદય ન હોય તો પણ શાસનને અનુસરનારાઓ તો તે દિવસે ઉદયવાળી એવી તેરસનું નામ પણ લે છ નહિ, પરંતુ ઉદય વગરની એવી ચૌદશનું જ નામ લે. અર્થાત્ આરાધનામાં તેરસનો ક્ષય જ કહેવો અને ) ચૌદશ જ છે એમ કહેવી એવું સ્પષ્ટ ફરમાન કરે છે. (નવાવર્ગના એક ઉ. એ જાણી જોઈને એ પંક્તિનો આ અર્થ કદાગ્રહથી જુઠો કરેલો છે અને તે જુઠાણું તેમના મોંઢે સમુદાય સમક્ષમાં જણાવવામાં આવેલું છે, તે છતાં યત્કિંચિત્ સમાધાન તેમણે આપ્યું નથી અને અન્યત્ર પ્રયાણ કરી દીધું છે. તે નવો વર્ગ લિખિતચર્ચા કરવા કેમ માગે છે અને મૌખિક ચર્ચામાંથી કેમ ખસ્યો છે અને ખસે છે તે આ ઉપરથી સમજાશે, વળી ઉદયવાળી જ તિથિ મનાય એવા નામે જે ભોળા જીવોને ભમાવવામાં આવે છે તેનો પણ ખુલાસો ઉદય અને સમાપ્તિએ ઉભયવાળી તેરસનો શાસ્ત્રકાર સ્પષ્ટ શબ્દોમાં ક્ષય જણાવે છે. ૪ આચાર્ય મહારાજ શ્રી હીરસૂરીશ્વરજી પોતાના હીરપ્રશ્નમાં સ્પષ્ટ પણે જણાવે છે કે પૂર્ણિમાનો ક્ષય હોય ત્યારે પૂનમની આરાધના માટે ત્રયોદશીવતુર્વો એમ કહી તેરસને દિવસે ચૌદશ અને છે ચૌદશને દિવસે પૂનમ કરવાનું સ્પષ્ટપણે જણાવે છે અને શાસ્ત્ર તથા પરંપરાને અનુસરનારાઓ અત્યાર સુધી પૂનમ અને અમાવાસ્યાના ક્ષયે તેની પહેલાંની તિથિ ચૌદશ એ પર્વતિથિ હોવાથી તેનો પણ ક્ષય ન થાય, માટે ક્ષયે પૂર્વાના ન્યાયે તેરસનો ક્ષય કરે છે. (સ્પષ્ટ શબ્દથી શ્રીહીરસૂરીજી પૂનમના ક્ષયે બે તિથિના પલટાને જણાવે છે, છતાં નવો વર્ગ ઉદયના નામે તેરસનો ક્ષય કરવા ના પાડી ભ્રમ પેદા કરે છે તે પરંપરા અને શાસ્ત્રથી વિરૂદ્ધ છે, તે નવા વર્ગમાં ચૌદશમાં (જુઓ અનુસંધાન પાનું ૨૭૧) -
SR No.520958
Book TitleSiddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages654
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy