SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૨-૧૦-૩૯) શ્રી સિદ્ધચક્ર પર (જુઓ અનુસંધાન પાનું ૫૬૮ નું ચાલુ) છે અર્થાત પૌષધ એ પર્વનું અનુષ્ઠાન છે, એમ કહેવું તે તો વ્યુત્પત્તિ માત્ર છે, પરંતુ પ્રવૃત્તિ તો આહારાદિ ચારના ત્યાગમાં જ છે, એટલે જ્યારે જ્યારે તે આહારાદિનો ત્યાગ કરાય ત્યારે ત્યારે પૌષધ કહી શકાય. વિશેષ આશ્ચર્યની વાત તો એ છે કે શ્રીસમયસુંદરજી સરખા મહાશયો શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના યુદ પä. એ ઉસૂત્રની વ્યાખ્યાને અરત્તિ ન હાવ એ અપવાદિકપદની સાથે જોડી દે છે. વળી જે શ્રી તત્ત્વાર્થ ભાષ્યકારના પ્રતિપાઘચતમાં સિચિવ સરખા કોઈપણ તિથિએ પૌષધ કરવાની અનિયમિતપણે છુટ જણાવનાર વાક્યને કલ્યાણકતિથિના નામે ગચ્છના આગ્રહથી ખેંચે છે, તે તો હદ કરે છે. શું ભાષ્યકાર સરખાને કલ્યાણકતિથિ અભિગ્રાહ્ય એટલું કહેતાં ન આવડ્યું? એમ તેઓ માને છે. છેવટમાં ખરતરગચ્છીયો પૌષધમાં પાછલી રાતે સામાયિક ઉચ્ચરવાનું માને છે, પરંતુ શ્રી તપગચ્છવાળાઓ નાર પદું, કહીને સામાયિક ઉચ્ચરેલું હોવાથી પૌષધ સુધી સામાયિક કાયમ છે એમ માની, પાછલી રાતે સામાયિક ઉચ્ચરવાની જરૂર જોતા નથી. ખરતરગચ્છીઓ પણ દિવસનો પૌષધ હોય તો તેને પાછલે ભાગે ફેર સામાયિક ઉચ્ચરવાની જરૂર સ્વીકારતા નથી. કેટલાક મુગ્ધ તપગચ્છીઓ શ્રી યશોદેવસૂરિજીએ પંચાશકની ચૂર્ણિમાં જણાવેલું પૌષધની રાત્રિના અત્યભાગનું સામાયિક પ્રામાણિક ઠરાવવા જાય છે, પરંતુ તે પંચાશકચૂર્ણિમાં પૌષધ સાથેના સામાયિકનો પાઠના નિયમ પદવાળો છે અને નાવ પસદં વાળો પાઠ તો ત્યાં મતાંતર તરીકે છે. માટે ના પોસઈ વાળો પાઠ લઈને સામાયિક ઉચ્ચરનારાઓએ રાત્રિના અન્ય ભાગમાં સામાયિક ઉચ્ચરણની જગા રહે નહિ અને જો પૌષધનો પ્રતિક્રમણના પ્રારંભમાં જ અંત થયેલો માની લઈ સામાયિકનો અંત થયો છે એમ ગણાય અને તેથી સામાયિક ફરી ઉચ્ચરવાની જરૂર છે એમ મનાય તો, તે પ્રતિક્રમણમાં નાવ સપનુવામિ. એમ બોલવું જોઈએ નહિ અને બોલાય પણ નહિ. જૈનશાસનની મર્યાદાને જાણનારાઓ અહોરાત્રનો છેદ સૂર્યોદય સિવાય ન થાય અને તેથી અહોરાત્રના પૌષધનાં પચ્ચકખાણ સૂર્યોદય સિવાય પૂરાં ન થાય એ હેજે સમજી શકે તેમ છે. સમાલોચના ૧. પરસ્પરના એ પાઠથી વચમાં પડદો ન હોય. ૨. સેવા આગળ અપિશબ્દ નથી, પણ ચતુર્વિધા આગળ છે. છતાં અપિશબ્દથી મનુષ્ય લેનારને ધન્ય છે. ૩. કલ્પ વગેરેના તેવા પાઠો રાખવા. ૪. દેવતા જ હતા એમ જણાવનાર સ્પષ્ટપણે આચારાંગાદિકના પ્રૌઢ પાઠો છે. પ. શિલ્પશાસ્ત્રના જાણનારને પૂછવું. ૬. સાચારૂપે કથિરશાસન થાય ત્યારે સત્ય રીતે તેમ કહેવું થાય. ૭. મહેસાણાવાળા ખુલાસો દે. ૮. પ્રત્યેક ભેદે અનન્ત તારતમ્યતા છતાં અડધા ભેદો લાખ જેટલા દરેકના લેવાય છે. ૯. ૧-૨-૩ ઉપયોગ મેલ્યાનો લેખ જોયો નથી. ૧૦. ૪ માનસિક નિશ્ચય તે ત્યાં અભિગ્રહ છે. (ભ0 સો-સુ)
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy