SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શિત ૧૧ કી (તા. ૭-૧૨-૩૮) ૬ શ્રી વમાન ન આગમ મંદિર સંસ્થા ૧ . શ્રીઆગમ મંદિર, આગમોની શિલા અને ચોમુખજી વચ્ચે અઢીફુટનું અંતર રહેતું હતું તે ઓછું લાગવાથી કાર્યવાહકોએ દેરીની ઉંડાણ જે સાત ફૂટની હતી તે જગા પર નવ ફુટની કરીને તે આંતરૂ ચાર ફૂટનું નિયત કર્યું છે. ૨ શ્રીઆગમ મંદિરનું મુખ્યદ્વાર ઉત્તરબાજું કરવાનું થતું હતું. પરંતુ શ્રી તલાટીના રસ્તા તરફ જ જાહેર રીતે શ્રીસંઘને દેખાવનો લાભ થાય તેવી રીતિએ મુખ્યદ્વાર હતું તેમજ રાખવામાં આવ્યું છે. ૩ નૈઋત્યખુણા કરતાં ત્રણ દિશાની જમીનનું લેવલ નીચું હોવાથી ભોંયરા અને ટાંકાની સગવડ કરવામાં આવી છે. ૪ શ્રીઆગમ મંદિરનાં દ્વાર પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ઉત્તર એમ ચાર બાજુ રાખવાનાં છે. ૫ મુખ્ય મંદિરની પાછળ અને જમણી ડાબી બાજુ એમ ત્રણ બાજુ બીજાં મોટાં દેરાં થશે. ' ૬ શ્રીઆગમ મંદિરની સામી બાજુ પૂર્વદિશાએ શ્રી પુંડરીકસ્વામીજી જેવું રહેશે. ૭ પૂર્વબાજુએ પ્રવેશદ્વાર આગળ ચોકી રહેશે, બાકી ત્રણ બાજુ મંદિરની ભૂમિ રહેશે. ૮ નિયમિત રકમોથી ઓછી રકમો દેવાના ભાવવાળાઓ સંસ્થા ખાતે કોઈ પણ દઈ શકે છે. ૯ દેરીઓ અને ભમતિનાં મોટાં દેહરાઓમાં ચોમુખજીની સ્થાપના થવાની હોવાથી એક કુટુંબના ચાર ભાગ કરી ચારે પ્રતિમાઓ ઉપર જુદાંજુદાં નામો પણ લખાવી શકશે. અને જુદા જુદા પધરાવી શકશે. ભમતિના દેરાની ૧૭000) સત્તર હજાર તથા દેરીની ૩૫00) પાંત્રીસોની રકમ સંસ્થાએ ખર્ચ આદિ પેટે લેવાની રાખી છે. વધારો કરવાની જરૂર જણાશે તો તે નોંધાયેલા અને નાણાં આપી દેનારને લાગું તે નહિ પડે. - શ્રી વર્ધમાન જૈન આગમ મંદિરને અંગે આ સંસ્થા દેશી રાજ્યમાં રાખવા કરતાં બીજે રાખી હોત તો સારું હતું કે ? બ્રીટીશ રાજયમાં સારું ગણાય. પરંતુ જૈનની સમગ્ર કોમને અત્યંત માન્ય એવું શ્રીસિદ્ધાચલતીર્થ હોવાથી અને તે દેશી રાજયમાં આવેલ હોવાથી દેશી રાજ્યમાં આ મંદિર સ્થાપવું ઠીક ગયું. જૈનજનતામાં
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy