________________
(ટા. પા. ૨ થી ચાલુ)
૧૩ અનાદિ અનંત કાલીન ઔયિક ચર્તુદશી બોલનારા તેના ક્ષયમાં ક્યાંથી સાચા થશે. ? ક્ષયવૃદ્ધિ પ્રસંગ સિવાય તો ઔદયિક ચૌદશજ મનાયજ છે. પણ જો ચૌદશે વ્હેલીને ઉદય વાળી માનીને નહિ આરાધે તેનું શું થશે ? ઔદયિકશબ્દનો સમાપ્તિયુક્ત ઉદય એવો અર્થ માનનાર નવૌથિ વાળો પાઠ જુવે તો સારૂં.
૧૪ આણસૂરવાળા પુનમની જગોપર પડવો વધારી ખરતરના ખોળે બેસે અને તેથી તેને જુઠા જણાવાય. પણ શ્રી દેવસૂરવાળા તો શ્રી હીરસૂરિજીના વચનથી જ વૃદ્ધિમાં એકનેજ ' ૧૭ ઔદયિક માને તે વ્યાજબી છે છતાં તેને જુઠો કહેનાર મનુષ્ય આચાર્ય વચન અને પરંપરાનો ઉત્થાપકજ થાય. જો ચઉદશના ક્ષયે ઉદય વખત ચૌદશ માનવામાં અને તેરસ નહિં માનવામાં શાસ્ત્રાજ્ઞા છે તો પછી તિથિના નામે મૃષાવાદ કહેનાર શાસ્ત્રાજ્ઞાનો લોપકજ ગણાય. કલ્યાણક તિથિ પ્રાયે તપમાત્રથી આરાધાય છે અને એકઠી થઈ શકે છે. એ વાત ઘણી વખત જાહેર થઈ છે. ચૌદશાદિથી કલ્યાણકની આરાધ્યતા જુદી જાતની છે.
૧૮
૧૫ લૌકિકટીપનાની અપેક્ષાના લખાણને આરાધનામાં માનનારે વિચાર કરવો. બ્લોકવાળામાં પણ ખોખા બીજ વગેરે નથી લખ્યું. તેમ પર્વતિથિના ક્ષયજ લખાયેલા છે. ટીપનાને સંસ્કારિત કરીનેજ આરાધના માટે પંચાંગ લખાય છે. અને તેથી જ ચૌદશનો ક્ષય હોય ત્યારે તેરશે માનનાર આરાધકને
૧૬
મૂર્ખશિરોમણિ તરીકે તત્વ માં સ્પષ્ટપણે કહ્યો છે: નવીનો તેદશામાં ન જાય તો સારૂં. શ્રી હીરસૂરિજીએ ત્રયોનશીચતુર્વયો: અને તત્ત્વમાં વાસ્તવ્યેવ સ્થિતિ: એમ સ્પષ્ટ કહ્યું છે તેથી પુનમના ક્ષયે તેરસનો ક્ષયજ સ્પષ્ટ છે અને તેથીજ કલ્યાણક આરાધક તપમાત્ર કરનારા હોય છે એમ સ્પષ્ટ કહ્યું છે. દિનઅનુષ્ઠાન તિથિક્ષયે ઉડે પણ પર્વાનુષ્ઠાન તો પર્વના ક્ષયે પણ ન ઉડે, એ સહેલી વાત ક્ષયે ના પાઠને સમજે તો સમજે.શુંતિથિવૃદ્ધિથી દિનાનુષ્ઠાન વધે છે તેમ નવામતીયાઓ પર્વવૃદ્ધિએ પર્વાનુષ્ઠાન વધારે છે ? ચૌદશપુનમઆદિ તિથિયો પૌષધથી આરાધાય છે. અને તપની માફક બે પૌષધ સાથે ન ઉચરાય એ પણ તમારે કબુલ છે, તેથી પુનમની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવીજ પડશે. પુનમના ક્ષયે ચૌદશથી સરે એ વાત કહેનાર તો હીરપ્રશ્ન અને તત્વતરંગિણીથી જુઠો ઠરે છે. અને દેવસૂરિ તથા આણસૂરથી જુદો થઈ મુતૃતીય પન્થા: વાળો જ થાય છે.
ખરતરોને પુનમના ક્ષયે છઠમાં આગલો દિવસ લેવોજ પડે એ ચોખ્ખુંજ છે. વળી જેમ શક્તિ વગરની વાત મુખ્યમાર્ગમાં લાવનાર ઉન્માર્ગી થાય, તેમ ભૂલની વાત મુખ્યમાં લે તેનું પણ તેમજ થાય (અંદર ઉત્તર આવી જાય તે નથી આપ્યા. બાકી ભાદરવા સુદ, પાંચમ એ પર્વ છે તેથી તેની ક્ષય વૃદ્ધિએ ત્રીજની ક્ષયવૃદ્ધિ કરવી એજ જુના લેખોને અને પરંપરાને આધારે સત્ય છે. (વીર ? અજ્ઞાન.)
ધી ‘જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.