________________
૩૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૫-૧૦-૧૯૩૭
પણ
વખતે આવી રીતે તત્ત્વતતંગિળીાર કહે છે તેથી પર્વતિથિના ક્ષયે તેનાથી વ્હેલાની અપર્વતિથિને ગણવી નહિં, પણ તે દિવસે પર્વતિથિજ ગણવી. એટલે સૂર્યોદય થયો ત્યારથી ચઉદશ આદિ પર્વતિથિ જ મનાય એટલે અપર્વનો ક્ષય કરનારને તો પર્વની તિથિ ઉદયવાળી જ છે. પણ જેઓ અપર્વતિથિનો ક્ષય નથી માનતા, તેઓને પર્વતિથિના ક્ષયે અપર્વમાં કરાતાં પચ્ચક્ખાણઆદિ ઉદય વગરનાં છે, અને તેથી ભેળસેળપંથિયો ઉદય વગરની પર્વતિથિને માનનારા હોવાથી આજ્ઞાભંગાદિ દોષો પામે છે. વળી પર્વતિથિની વૃદ્ધિની વખતે શ્રીહીરસૂરિમહારાજ બીજી પર્વતિથિને જ ઔદયિકી કહે છે અર્થાત્ હેલી પર્વતિથિને પર્વતિથિના ઉદયવાળી જ માનતા નથી અને તેથી હેલે દિવસે બીજ આદિનો સૂર્યોદય છતાં પણ ન ગણ્યો, એટલે આપો. આપ તે ઉદય પડવાઆદિ અપર્વનો જ ગણાયો. અર્થાત્ પર્વતિથિની વૃદ્ધિ વખતે વ્હેલાની અપર્વતિથિના જ બે સૂર્યોદયો થયા, એટલે અપર્વની વૃદ્ધિ થઈ. આવી રીતે પૂર્વ કે પૂર્વતર એવા અપર્વની વૃદ્ધિ માનનારાઓ તો ઉદયને એક વડો માને છે અને તિથિને આરાધે છે, પણ એક પર્વનો ઉદય માનીને પણ તે વ્હેલા પર્વને નહિં આરાધનારા આજ્ઞાભંગાદિ દોષોને પામનારા અને વ્રત નિયમોનો ભંગ કરનાર કરાવનાર છે.
પરંતુ ઇતરતિથિ કંઈ લેવી એ સમજવાની જરૂર છે. જે સ્થાને એ ગાથા શ્રાદ્ધવિધિમાં લેવામાં આવી. છે ત્યાં પૂ પદ્મદ્ઘાળું કિમળ તત્ત્વ નિયમાહળ બીહ તેપૂરો તીફ તિરીજી જાયવ્યું આ ગાથા જણાવતાં તિથિશ્ચ યા પ્રત્યાઘ્યાન વેત્તાયાં સ્થાત્ સા પ્રમાળં એમ જણાવે છે અને તેને અંગે ઇતરતિથિનો નિષેધ કરે છે. એટલે તિથિપ્રવેશ પૂજાદિક્રિયાકાલ કે પ્રતિક્રમણકાલવ્યાપ્તિથી તિથિ માનવામાં આવે તો આજ્ઞાભંગ આદિ દોષ લાગે છે. અર્થાત્ આ પ્રકરણથી બીજી રીતે તિથિ માન્યતા ન રાખવી એટલું જ જણાવે છે, એમ ન માનતાં જો એમ માનીયે કે અનુદયની તિથિ કરવા માત્રમાં આજ્ઞાભંગઆદિ દોષો લાગે છે તો પછી ક્ષીણ પર્વતિથિને આરાધતાં આજ્ઞાભંગ આદિ દોષો લાગશે. કારણકે જ્યારે બીજઆદિમાં સૂર્યોદયનો સ્પર્શ હોય નહિં ત્યારેજ તે બીજઆદિ ક્ષય પામેલી કહેવાય અને તેવી સૂર્યોદય વગરની બીજ આદિએ જો બીજઆદિતિથિ મનાય તો આજ્ઞાભંગાદિ લાગવા જોઈયે. વળી આ ગાથાથી ઉદયમાં હોય તે તિથિ કરવી જ જોઈયે એમ કહીયે તો પણ બીજઆદિની વૃદ્ધિ વખતે બન્ને તિથિયોમાં સૂર્યનો ઉદય ફરસેલો હોય છે, તેથી પ્હેલાની એક તિથિ અને તે નહિ આરાધનારને આજ્ઞાભંગઆદિ દોષો જરૂર લાગશે અને આ વાતને કોઈપણ સુજ્ઞ મંજુર કરે જ નહિં ખરી રીતે તો ચઉદશના ક્ષયે તેરશે તેરશનું નામ પણ કહેવાનો સંભવ નથી, પણ આરાધનામાં ચઉદશજ છે એમ કહેવાય છે. પર્વતિયાં ક્ષયની
પ્રશ્ન ૯૪૧ બીજઆદિ પર્વતિથિયોની આરાધનામાં ક્ષય કે વૃદ્ધિ થાય નહિં. એ ઠીક. પણ માદરવા સુદ ચોથ એ બીજઆદિ પર્વતિથિયોમાં