SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુઓનું સંઘમાં સ્થાન. જૈનજનતામાં શ્રીસંઘ શબ્દ એટલો બધો પ્રસિદ્ધ છે કે તે શબ્દને નહિ જાણનાર સૂર્યને છે, નહિં જાણનાર જેવો ગણાય, પરન્તુ તેથી સંઘશબ્દના અર્થને સમજવામાં ઘણા લોકો અણસમજ • ધરાવે છે, શ્રીસંઘને ભગવાન જિનેશ્વર મહારાજાઓ નમસ્કાર કરે છે, એ વાત આ સકલજૈનસમૂહમાં પ્રસિદ્ધ છે. પણ સુજ્ઞોએ સમજવું જોઈએ કે ભગવાન જિનેશ્વર મહારાજા નમો સંપરસ એવું કોઈ દિવસ બોલતા જ નથી, ભગવાન્ તો દરેક સમવસરણમાં બીરાજતાં * ધર્મદેશનાની આદિમાં નો તિસ્થ એમ કહે છે, એટલે તેઓ તીર્થને નમસ્કાર કરે છે અને તીર્થ શબ્દનો અર્થ પ્રથમ નંબરે પ્રથમ ગણધર મહારાજા છે અને બીજે નંબરે શ્રીચતુર્વિધ ૪. સંઘ છે, તેમાં પ્રથમ ગણધર મહારાજા તો સ્વતંત્ર તીર્થ તરીકે છે, પણ શ્રી ચતુર્વિધ સંઘ ' સ્વયં તીર્થના અર્થ તરીકે નથી, પરન્તુ તીર્થ શબ્દનો સીધો અર્થ પ્રવચન છે અને પ્રવચનનો અર્થ દ્વાદશાંગી છે અને તે દ્વાદશાંગી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ શ્રી ચતુર્વિધ ૪ સંઘને આધારે છે માટે અધેય જે દ્વાદશાંગી, તેના નમસ્કારથી આધાર જે શ્રીચતુર્વિધ સંઘ ૪ 'તે નમસ્કાર કરવા લાયક ગણાયો છે. રત્ન ધારણ કરનાર સોનું કે હરકોઈ ધાતુ હોય છે છે ત્યાં રત્નની કિંમત થાઓ જ છે. તેમજદ્વાદશાંગીના મહિમાને લીધે શ્રીસંઘનો મહિમા થાય છે, જ છે, અને દ્વાદશાંગીના મુખ્ય અધિકારી યુવાનસંબંહિઝ માર્દિ એવી શ્રી ઉપાસકદશાંગ : 'આદિના વચનથી સાધુઓ જ છે માટે શ્રીસંઘમાં સાધુઓ જ અગ્રપદે છે ને સાધુ ભગવંતો ' હોય ત્યારે જ શ્રીસંઘ કહેવાય. (અનુસંધાન ટાઈટલ પાન ૪ થી ચાલુ) ધ્યાન રાખવું જરૂરી છે કે પર્વતિથિના નિયમવાળાને પર્વતિથિનો ક્ષય કર્યો પણ પાલવે જ તેમ નથી, તેવી જ રીતે પર્વતિથિની વૃદ્ધિ માને અને પર્વતિથિની નામે લીધેલા નિયમો : ન સાચવે એ પણ પાલવે તેમ નથી. માટે પર્વતિથિના ક્ષયે પૂર્વની અપર્વતિથિનો ક્ષય, અને પર્વતિથિની વૃદ્ધિએ તેનાથી પૂર્વની અપર્વતિથિની વૃદ્ધિ કરે જ છુટકો છે. આ Sતા. ક- આ હકીકત સમજનારને માલમ પડશે કે રવિવારની સંવછરી કરનારા કોઈપણ પ્રકારે કદાગ્રહી છે જ નહિ. તેઓ તો પરંપરા અને શાસ્ત્ર એ બન્નેના આધારે ચાલનારા , છે. શાસ્ત્ર અને પરંપરા એ બન્નેને ઉઠાવીને જેઓને કલ્પિત કરવું છે, તેઓને જ કદાગ્રહ કરવાની જરૂર રહે છે. શાસ્ત્ર અને પરંપરાને કોઈપણ ખોટા ઠરાવ્યા સિવાય ? તેની વિરૂદ્ધ વાંખા મારવા અને વર્તન કરવું તે મુમુક્ષુ જીવોને કોઈપણ પ્રકારે શોભે ? તેમ નથી.
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy