________________
અમોએ જ આ કાર્ય છેલ્લા પ્રૂફનું હાથમાં લીધું ચાતુર્માસની અનેક કાર્યવ્યસ્તતા છતાં સંતોષકારક કાર્ય થવા લાગ્યું. જોકે મારા પૂ. ગુરુદેવશ્રી મઝાકમાં કયારેક કહેતા કે “ઈન્થિયા પુત્યિયા કભી ન શુધ્ધિયા” નાં ન્યાય મુજબ વધુને વધુ સમય આપવા છતાં, પ્રૂફરીડરો બદલવા છતાં ક્ષતિઓ તો આવી જ છે જે વાંચકો ક્ષમ્ય ગણશે. એક વાર તો એક ફર્મો છપાયા બાદ છેલ્લા ૧૦ પાનામાં ઘણી ભૂલો હતી. આ આ ફર્મો અમારા ચેકીંગમાં રહી ગયેલ જેથી છપાઈ ગયેલાં એ તમામ પાના કેન્સલ કરી તે ફર્મો પુન:છાપ્યો છતાં એક મહામૂલો આગમનો ખજાનો નષ્ટભ્રષ્ટ થતાં બચ્યો એક સૂચન એ પણ આવ્યું કે પૂ. આગમોદ્ધારકશ્રીની ભાષા જ્યાં ક્લીષ્ટ છે તથા ગામઠી કહેવતો છે ત્યાં આજની ભાષામાં સરળ બનાવવી. પણ તેમ કરતાં દેશનાકારશ્રીનો ભાવ જ બદલાઈ જવાનાં ભયે તે સાહસ ન ક્યું અને એમ હતું તેમ જ રાખી છપાવ્યું. જો કે એક બે વાર શાંતિથી થોડું વાંચન ચાલુ રખાય તો આપોઆપ ગેડ બેસતી જાય અને આગમીક રહસ્યોની મઝા મનાતી જાય. “શુભેયથાશક્તિ યતનીયમુના ન્યાયનો પરમ આનંદ આજે અમારા આત્મામાં લહેરાઈ રહ્યો છે. - પ્રફને જોવાના બહાને મને પણ નવા નવા કેટલાય મુદ્દા, નવીન તર્કો, નવાશાસ્ત્ર પાઠો, નવા દ્રષ્ટાંતો, નવીનવી કહેવતો વિ. પ્રાપ્ત થઈ જે સમ્યગ જ્ઞાનની પ્રાપ્તિનું શુદ્ધિનું કારણ બન્યું. વિદ્વાન અને ગુણાનુરાગી પૂજ્ય આ.શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મ.સાહેબની આ ગ્રન્થની જ્ઞાનગર્ભીત અને રસોત્પાદક પ્રસ્તાવના તત્ત્વજ્ઞાનનાં ગંભીર રહસ્યોને આપોઆપ પ્રગટ કરે તેવી અને પૂજ્યપાદ આગમોધ્ધારકશ્રીની અણમોળ વાણીને જળકાવનારી તથા તેઓશ્રી પ્રત્યે અંતરંગ બહુમાન પ્રગટ કરાવે તેવી છે.
અમે આ સિધ્ધચક્રનાં અંકોનાં ટાઈટલ પણ જેવા રંગનાં હતાં તેવાજ રાખ્યા છે.
મારા આ કાર્યમાં મુનિ સૌમ્યચંદ્રસાગર તથા મુનિ વિવેકચંદ્રસાગર અનેક કાર્યવ્યસ્તતા હોવા છતાં સારા સહભાગી બન્યા છે.
લગભગ દરેક આ ગ્રંથમાં પૂ. આગમોદ્ધારકશ્રીની વિષયવાર જીવનપ્રભાની જ્યોત મૂકવામાં આવશે.
તથા પ્રથમથીજ તંત્રી તરીકે સેવા આપનાર ઝવેરી પાનાચંદ રુપચંદ (સૂરત) તથા ચીમનલાલ સવાઈચંદ સંઘવી (સૂરત)ની અનુમોદના કરીયે છીયે.
અત્તે ભગવતિ શ્રુતદેવી શાસનદેવતા અને પૂ. ગુરુદેવશ્રીની અસીમ કૃપાને વિનંતી કે આ કાર્ય ઝડપી સંપૂર્ણ બને અને જિજ્ઞાસુઓ આગમનાં રહસ્યોને પામી. જીવનમાં ઉતારી પરમપદને પ્રાપ્ત કરે એજ મંગળ કામના.
કૈલાસનગર જૈન ઉપાશ્રય
મજૂરા ગેટ,
સૂરત. સં. ૨૦૫૭ કા.સુ.૧૫
અભયગુરુપાદપક્વસેવી અશોકસાગરસૂરિ