SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ આગમાંધ્ધારકની અમોધ દેશના ૪૪૩ શ્રી સિદ્ધચક્ર દેશનાકાર '럭저 D ** * *p3 [me જૈનપિતા વારસો શાનો આપે ? જુલાઈ ૧૯૩૬ ગોધ્ધારક. સાધક કોણ થાય ? ચાર બાબતો વિચારો સંસારમાં જ રહેવાવાળાને પણ જેમ આ ચાર બાબતો વિચારવી પડે છે તે જ પ્રમાણે મોક્ષ મેળવવાની ઇચ્છાવાળાએ પણ આ ચાર બાબતો ધ્યાનપૂર્વક જોવી જ પડે છે અને એ ચાર બાબતો જે શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રીમાન્ યશોવિજ્ય ઉપાધ્યાયજી મહારાજ ભવ્યજીવોના ઉપકારને માટે જ્ઞાનસાર પ્રકરણ નામક ગ્રંથ રચી ગયા છે, તેમાં તેઓશ્રી એ પ્રથમ તો એ વાત જણાવી છે કે જે ધર્મનિષ્ઠ છે, જે આત્મકલ્યાણની ઇચ્છાવાળો છે, જે મોક્ષ માનનારો છે, જે મોક્ષ મેળવવા માગે છે, જે આત્મકલ્યાણ સાધવાવાળો છે અને જે આત્માના ગુણોને સ્થિર કરવાની ઇચ્છાવાળો છે તેણે એ વાતનો વિચાર કરવાની જરૂર છે કે હું કોણ ? મારી સ્થિતિ શી છે ? મારૂં સ્વરૂપ શું છે ? મારી દશા કેવી છે ? મારા સંયોગો ક્યા છે ? ને સાધ્ય શું છે ? સાધક પુરુષ પોતાની દશા, સ્થિતિ સંયોગો, સાધ્ય એને સમજતો નથી ત્યાં સુધી તે સાધક બની શકતો નથી. જેને માત્ર સંસારમાં જ રહેવું છું મારૂં ધ્યાનપૂર્વક જુએ છે તે જ મોક્ષ મેળવવાની પોતાની ધારણામાં ફાવી શકે છે. જે આત્મા આ ચાર બાબતો વિચારતો નથી તે કદાપિ પણ પોતાની મોક્ષ મેળવવાની ધારણામાં પણ ફાવતો જ નથી ! વૈશેષિકદર્શનનો અનુયાયી હોય તે પણ જીવ તો માને જ છે, તૈયાયિક હોય તે પણ જીવ માને છે, સાંખ્યવાદી હોય તે પણ જીવ માને છે અને મીમાંસાવાદીઓ હોય તે પણ જીવ તો માને છે, અરે વૈશેષિકો, નૈયાયિકો, સાંખ્યો અને મીમાંસકો જ જીવ માને છે. એટલું જ નહિ પરંતુ નાસ્તિકો છે, બીજી ત્રીજી વાતનો વિચાર જ નથી કરવો અને માત્ર દુન્યવી વસ્તુઓ મેળવીને તે પર જ રાચવું છે તેને પણ પોતાની દશા, સ્થિતિ, સંયોગો અને સાધ્ય તો વિચારવાં જ પડે છે.
SR No.520954
Book TitleSiddhachakra Varsh 04 - Pakshik From 1935 to 1936
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy