________________
૫૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૧-૧૧-૩૪ અને વાડ કૂદવી એમ બે પ્રયત્ન કરવાના પણ ગળેથી, પગેથી એમ ચોમેરથી બાંધી હોય એ કેવી રીતે નીકળી શકે? બળી મરવાની મરજી એક રૂઆડે પણ ન જ હોય, છતાં એ કરે શું? ઉંચા, નીચા કૂદકા મારે, બરાડે, પણ ગળાનું, પગનું, શીંગડાનું બંધન ન તૂટે ત્યાં બિચારી ગાય કરે શું? એવી રીતે નાની ઉંમરમાં ઉપદેશ સાંભળતાંની સાથે જ વૈરાગ્ય આવે કારણ કે એ વખતે એને એક બંધન નથી, ઉંમર વધ્યા પછી વૈરાગ્ય આવે તો પણ એ મનુષ્ય, વળગેલા અનેક બંધનોથી છૂટી શકતો નથી. તમને વૈરાગ્ય નથી આવતો એમ નહિ, પણ તે જ વખતે બાયડી છોકરાનું શું થાય, વેપારનું શું થાય વિગેરે વિગેરે બંધનોની પરંપરા નજર સામે ખડી થાય છે. આસ્તિકને, ધર્મિષ્ઠને વૈરાગ્ય નથી આવતો એમ છે જ નહિ પણ વૈરાગ્ય આવે છે તે વખતે અનેક દોરડાથી બંધાયેલ હોવાથી તે છૂટી શકતો નથીઃ બાહ્ય અભ્યતર બંધનો વૈરાગ્યને તોડી સાફ કરે છે. પેલી બરાડા મારતી ગાય બિચારી નીકળવાને ઉછળે તો ખરી પણ ગળે, પગે, શીંગડે બાંધેલું દોરડું એને આડું આવે છે તેમ આપણને પણ બાયડી છોકરાંરૂપી દોરડાં આગમાંથી જતાં-હસતાં અટકાવે છે. એ બંધનો તોડવા માટે વર્ષોલ્લાસ થવો જોઇએ. એ વર્ષોલ્લાસની આડે આવનારું વળી બળાત્કારનું નડતર જબરદસ્ત છે. પરિણામ ન થાય, મુંઝાઇએ તે આપણી ખામી પણ પરિણામ તથા પ્રયત્ન છતાં કોઈ રોકે ત્યાં શુ? દોરડું તોડીને પણ આગમાંથી ગાય નીકળવા માગે પણ ગોવાળીયા રોકી રાખે ત્યાં શું થાય? એ જ રીતે અહીં પણ મોહનીયનું બંધન તોડી નાંખ્યું પણ કૌટુંબિક બળાત્કારના બંધનનું થાય શું? એ બંધન સૌથી મોટું છે. પુ શ્રી તીર્થંકરદેવના વખતમાં પણ આવા બળાત્કારના બંધનો હતાં. એવા બંધનથી તો કેટલાક સાધુની છાતી બળી ગઈ સાધુએ નવ જાતનાં નિયાણાં કરવાં નહિ એમ કહ્યું છે. દીક્ષા લેતાં પહેલાં કુટુંબાદિ તરફથી એટલો ત્રાસ થયો હોય કે દીક્ષા લીધા પછી, એ પાળતાં પણ એ બળાત્કારની અસર જતી નથી, જેથી છેલ્લે એવાં કુટુંબ નહિ મળવાનું નિયાણું પણ કેટલીક વખત સાધુઓ કરે છે. વિચારો કે એ બળાત્કાર કેવો અને કેટલો હશે! એ કુટુંબીઓ દુર્ગતિના સાથી છે, પોતે પડે છે અને બીજાને પરાણે પાડે છે. દારૂડીયાઓ પોતે દારૂ પીવે છે અને બીજા ન પીયે તેને પછાડીને પરાણે પાય છે. આ સંસારી સ્નેહીઓ સંસારરૂપી દારૂના પીઠાના ગોઠીયા છે, પોતે તેમાં મસ્ત રહે છે અને બીજાને બળાત્કારે એમાં મસ્ત કરે છે. દારૂડીયા કે બંગેરીની ટોળીમાં રહી દારૂ કે ભાંગ પીધા વિનાના રહી શકવું જેવું મુશ્કેલ છે તેવું બલકે તેથી વધારે સંસારપીઠાના ગોઠીયા સાથે મોહ વગરના રહેવું મુશ્કેલ છે. જો વ્યસન છોડવું હોય તે વ્યસની ગોઠીયાઓની સંગત છોડવી એ પહેલી ફરજ છે. મોહનાં પારખાં કરવામાં ન હોય.
શ્રી તીર્થંકરદેવને તો પ્રથમથી જ (ગર્ભથી જ) વણ જ્ઞાન છે, એમનું આત્મીય બળ તેમજ શારીરિક