SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૭ શ્રી સિદ્ધચક્ર તા. ૨૦-૩-૩૫ •••••••••••••••••••••••••••••••• ચારિત્ર લેવડાવતો હતો, તેવી જ રીતે મરીચિ પરિવ્રાજક ગ્લનદશામાં નિરાધારદશાનો અનુભવ કર્યા પછી અને ભીડ ભાંગનારા ભેરૂને મેળવવાની ભાવના થયા પછી પણ અનેક રાજકુમાર વિગેરેને પ્રતિબોધ આપી, સન્માર્ગવર્લી મુનિમહારાજાઓની ઉત્તમતા અને પોતાની અધમતા જણાવવાપૂર્વક ચારિત્ર ગ્રહણ કરાવતો જ રહ્યો. અર્થાત્ પરિવ્રાજકપણું લીધું ત્યારથી જ એકાકી, અદ્વિતીય હોવાને લીધે તે મરીચિકુમાર પરિવ્રાજકની નિરાધારતા હતી જ અને ગ્લાનદશામાં પોતાની તે નિરાધારતાનો તેને પૂરેપૂરો અનુભવ થવા સાથે ભીડને ભાંગનાર ભેરૂને મેળવવાની ભાવના થઈ પણ હતી, છતાં તે મરીચિના જીવની ઉત્તમતાને લીધે કહો કે પરોપકારવૃત્તિની પરાકાષ્ઠાને લીધે કહો અથવા સ્વાત્માને અપકાર થયેલો છતાં પણ અન્ય આત્માને અપકાર ન જ કરવો જોઈએ એવી વૃત્તિને લીધે કહો અગર તો કોઈપણ કારણથી તે મરીચિ પરિવ્રાજક આરોગ્ય દિશામાં આવ્યા પછી પણ હંમેશાં અનેક રાજકુમારાદિકોને પ્રતિબોધ આપી સન્માર્ગવર્લી મુનિઓની ઉત્તમતાની પ્રશંસા અને પોતાની અધમતાની નિંદા જણાવવાપૂર્વક સન્માર્ગવર્તી મુનિઓ પાસે ચારિત્ર ગ્રહણ કરાવે છે. જો કે કપિલરાજકુમારના પ્રસંગમાં ત્રીજી વખત પણ સન્માર્ગવર્તી મુનિઓની ઉત્તમતા અને પોતાની અધમતા જણાવવાપૂર્વક સાધુપુરુષોની સેવામાં ચારિત્ર લેવા માટે મોકલે છે અને તે કપિલરાજકુમાર ત્રીજી વખત પણ ભગવાન શ્રી ઋષભદેવજીની પાસે કે સન્માર્ગવતી મુનિઓની પાસે તે મરીચિ પરિવ્રાજકના કહેવાથી જ ગયો છે અને તે ભગવાન કે સન્માર્ગવત મુનિઓની પાસે ચારિત્ર લેવાનાં પરિણામ થયા નહિ એટલું જ નહિ પણ તે કપિલરાજકુમાર મરીચિ પરિવ્રાજક પોતાની અરૂચિ છતાં ઘણી વખત મોકલેલો હોઈ, ઘણો જ ચિઢાઈ ગયો એમ કહીએ તો ખોટું નથી, કેમકે ત્રીજી વખત ભગવાન ઋષભદેવજી પાસે કે સન્માર્ગવત મુનિ મહારાજાઓ પાસેથી પાછો આવ્યો ત્યારે કપિલરાજકુમાર મરીચિ પરિવ્રાજકને એ જ શબ્દો કહે છે કે “શું તમારા માર્ગમાં એટલે પરિવ્રાજકપણામાં સર્વથા ધર્મ નથી?” આ વાક્યનો ભાવાર્થ વિચારતાં એ અર્થ સ્પષ્ટ થાય છે કે મને તમે વારંવાર ભગવાન ઋષભદેવજી કે સન્માર્ગવર્લી મુનિઓ પાસે ઉત્તમ ધર્મ હોવાને નામે મોકલો છો અને તમારી પાસે હું આવીને શિષ્ય થવા વારંવાર માગણી કરું છું ત્યારે તમો પોતાની સંયમથી પતિતદશા જણાવી અધમતા જણાવવાપૂર્વક મને શિષ્ય કરવાની ના પાડો છો તો તમે જો કે સંયમમાર્ગથી પતિત થયા છો એમ સ્પષ્ટ જણાવો છો અને તમારા આત્મામાં કષાયસહિતપણું હોવા સાથે નિષ્કચનપણું નથી એમ જણાવો છો, છતાં હું વારંવાર પ્રભુ ઋષભદેવજી અને સન્માર્ગવર્લી મુનિઓ પાસે તમારા મોકલવાથી જઈ આવ્યો છું, પણ મને તે માર્ગ રૂચતો નથી, તો હવે તમારામાં કંઈ પણ અંશે ધર્મ છે કે નહિ ? કપિલ રાજકુમારના આ કથનની અસર મરીચિ ઉપર જબરદસ્ત થઈ અને તેથી અત્યાર સુધી પરોપકારવૃત્તિને અંગે જે ધર્મોપદેશની પ્રવૃત્તિનો પ્રબંધ ચાલતો હતો, તે ઉથલી ગયો, ગ્લાનપણામાં
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy